અમે હિંસા વિરુદ્ધ છીએ…સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાની કરી નિંદા

|

Aug 10, 2024 | 7:47 AM

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, અમે બાંગ્લાદેશની સરકાર અને લોકોને જરૂરી લાગે તે કોઈપણ રીતે સમર્થન આપવા તૈયાર છીએ. આ દરમિયાન ભારતે શુક્રવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિ અને બાંગ્લાદેશમાં ભારતીયો અને હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

અમે હિંસા વિરુદ્ધ છીએ...સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાની કરી નિંદા
attacks on Hindus in Bangladesh

Follow us on

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અમે હિંદુ લઘુમતીઓ પર હુમલાના વિરોધમાં છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે બાંગ્લાદેશમાં તાજેતરના અઠવાડિયામાં જે હિંસા થઈ છે તેમાં ઘટાડો થાય. સેક્રેટરી જનરલના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે, અમે કોઈપણ જાતિ આધારિત હુમલા અથવા હિંસા ભડકાવવાની વિરુદ્ધ છીએ.

છેલ્લા અઠવાડિયામાં હિન્દુ સમુદાયની માલિકીના મંદિરો, વ્યવસાયો અને ઘરોને બાળી નાખવાના ઘણા વીડિયો અને ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પર સામે આવ્યા છે. આ અશાંતિ શેખ હસીનાના રાજીનામા બાદ અને હિંસક વિરોધ વચ્ચે તેમના દેશમાંથી ભાગી જવાથી થઈ છે.

હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા

બાંગ્લાદેશી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછા 27 જિલ્લાઓમાં વ્યવસાયિક સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી હતી. ટોળાના હુમલામાં હિંદુઓને નિશાન બનાવીને મારી નાખવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા ત્યારથી ફેલાયેલી અરાજકતામાં ઓછામાં ઓછા 232 લોકોએ જીવ ગુમાવ્યા છે. જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો ત્યારથી મૃત્યુની કુલ સંખ્યા 550 થી વધુ થઈ ગઈ છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ગુટેરેસે હજુ સુધી યુનુસ સાથે વાત કરી નથી

અમેરિકી પ્રવક્તાએ એ પણ સ્વીકાર્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ ગ્રહણ કર્યા પછી યુએનને એક સમાવિષ્ટ સરકાર રચના પ્રક્રિયાની અપેક્ષા છે. તેમણે એમ પણ કહ્યું કે ગુટેરેસે હજુ સુધી યુનુસ સાથે વાત કરી નથી.

યુનુસના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપનાર બાંગ્લાદેશમાં યુએનના સ્થાનિક સંયોજક ગ્વિન લેવિસે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, યુએન આ સમયે બાંગ્લાદેશના લોકો સાથે શાંતિ અને સર્વસમાવેશકતા માટેના આહ્વાનને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

અમે સમર્થન આપવા તૈયાર છીએ

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સંયુક્ત રાષ્ટ્ર બાંગ્લાદેશમાં થયેલી હત્યાઓની કોઈ સત્તાવાર તપાસમાં ભાગ લેશે. હકે કહ્યું કે, યુએન નવા વહીવટીતંત્ર તરફથી આવી કોઈપણ વિનંતીઓની રાહ જોશે. તેમણે કહ્યું કે, અમે બાંગ્લાદેશની સરકાર અને લોકોને જે પણ જરૂરી લાગે તે રીતે સમર્થન આપવા તૈયાર છીએ.

આ દરમિયાન ભારતે શુક્રવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિ અને બાંગ્લાદેશમાં ભારતીયો અને હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

 

Published On - 7:10 am, Sat, 10 August 24

Next Article