AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Visaને લઈ Good News, હવે થોડા અઠવાડિયામાં જ અમેરિકાના વિઝા મળશે, ઈન્ટરવ્યુની રાહ જોવાના સમયમાં 60% ઘટાડો

ભારતીયોને વિઝા આપવા અંગે અમેરિકી અધિકારીએ કહ્યું કે જે વ્યક્તિ પહેલા અમેરિકા જઈ ચૂકી છે તેને બે અઠવાડિયાથી ઓછા સમયમાં વિઝા મળી શકે છે. અમે તેને વધુ સુધારવા માટે કામ કરી રહ્યા છીએ.

US Visaને લઈ Good News, હવે થોડા અઠવાડિયામાં જ અમેરિકાના વિઝા મળશે, ઈન્ટરવ્યુની રાહ જોવાના સમયમાં 60% ઘટાડો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 2:52 PM
Share

ભારતમાંથી અમેરિકા જનારા લોકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાના વિઝા મેળવવા માટેના ઈન્ટરવ્યુના સમયમાં ઘણો ઘટાડો થયો છે. આનો અર્થ એ છે કે તમારે પહેલાની સરખામણીએ અમેરિકા જવા માટે વિઝા ઇન્ટરવ્યુ માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પીટીઆઈના અહેવાલ મુજબ, યુએસ વિઝા સેવા વિભાગના ઉપ સહાયક સચિવ જુલી સ્ટફ્ટે કહ્યું કે ભારતમાં યુએસ વિઝા માટે ઈન્ટરવ્યુની રાહ જોવાનો સમય ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કરવામાં આવેલા પ્રયાસોને કારણે રાહ જોવાના સમયમાં 60 ટકાનો ઘટાડો થયો છે, જે વિઝા ઈચ્છનારાઓ માટે રાહતની વાત છે.

અમેરિકી અધિકારીએ કહ્યું કે વિઝા ઇન્ટરવ્યુ માટે રાહ જોવાનો સમય ઘટાડવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે, અને સતત સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવા પ્રયાસ હેઠળ ભારતમાં અમેરિકન અધિકારીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે. આ સાથે અન્ય સ્થળોએ પણ રાજદ્વારી મિશન ખોલવામાં આવી રહ્યા છે.

અમેરિકા ભારતમાં અધિકારીઓની સંખ્યા વધારી રહ્યું છે

જુલી સ્ટફ્ટે કહ્યું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ વર્ષે લગભગ 10 લાખ વિઝા આપવાનું લક્ષ્ય રાખ્યું છે, જે મહામારી પહેલા કરતા વધુ છે. તેમણે કહ્યું કે અમે ભારતમાં અધિકારીઓની સંખ્યામાં વધારો કર્યો છે. અમે હૈદરાબાદમાં નવું કોન્સ્યુલેટ ખોલી રહ્યા છીએ. આ સમયે અમારું સંપૂર્ણ ધ્યાન ફક્ત તેના પર છે કે અમે ભારતમાં અમારા વિઝા માટે રાહ જોવાનો સમય કેવી રીતે ઘટાડી શકીએ.

આ પણ વાચો: Anti-India Slogans: કેનેડામાં રામ મંદિરની દીવાલ પર લખાયા PM મોદી વિરૂદ્ધ સૂત્રો, ભારતે કડક કાર્યવાહીની કરી માગ

અમેરિકી અધિકારીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારતીયો તેમના દેશમાં વિઝા માટે અરજી કરી શકે અને અમે ત્યાં પહોંચી જઈશું. તેમણે કહ્યું કે 100થી વધુ અમેરિકન રાજદ્વારી મિશન ભારતના લોકોને વિઝા આપી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ભારતમાં રાહ જોવાનો સમય ઘટાડવા માટે સખત મહેનત કરી રહ્યું છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">