અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન થોડા દિવસ માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપશે પોતાની સત્તા, જાણો શું છે કારણ

વ્હાઈટ હાઉસ તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પાવર ટ્રાન્સફર કરશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન થોડા દિવસ માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપશે પોતાની સત્તા, જાણો શું છે કારણ
Us President Joe Biden And Vice President Kamala Harris
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 10:29 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (President Joe Biden) થોડા દિવસ માટે પોતાની તમામ સત્તા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Vice President Kamala Harris)ને સોંપશે. જાણકારી મુજબ અમેરિકી બંધારણમાં રાષ્ટ્રપતિને આપવામાં આવેલી તમામ સત્તા કમલા હેરિસને આપવામાં આવશે. કમલા હેરિસ જરૂર પડવા પર આ સત્તાનો ઉપયોગ કરી શકે છે. જાણકારી મુજબ જો બાઈડન કોલોનોસ્કોપી માટે એનેસ્થેસિયા લેવાના છે. તેને લઈને તે પોતાનો પાવર કમલા હેરિસને સોંપશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વ્હાઈટ હાઉસ તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પાવર ટ્રાન્સફર કરશે. આ દરમિયાન તે પોતાની સારવાર માટે એનેસ્થેસિયા લેશે. જો બાઈડેન દર વર્ષે કોલોનોસ્કોપી કરાવે છે. ત્યારે કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે.

જો બાઈડેન અને કમલા હેરિસની વચ્ચે તકરાર

આ સમાચાર એવા સમયે સામે આવ્યા છચે જ્યારે હાલમાં જ પ્રેસિડેન્ટ જો બાઈડેન અને કમલા હેરિસની વચ્ચે તકરારના સમાચાર સામે આવ્યા હતા. હેરિસના સ્ટાફનું કહેવું હતું કે તેમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિની ટીમનું કહેવું હતું કે હેરિસ અમેરિકાની જનતાની સાથે રમી રહી છે.

તે સિવાય ગયા મહિને હેરિસની એપ્રૂવલ રેટિંગ પણ બાયડેનના મુકાબલે ઓછી હતી. આવી સ્થિતિમાં હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી હટાવી શકાય તેવી અટકળો ચાલી રહી હતી. જણાવવામાં આવી રહ્યું હતું કે તેના માટે બાઈડેન બેકડોરનો રસ્તો અપનાવશે અને હેરિસને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર વ્હાઈટ હાઉસના સૂત્રોએ સીએનએનને જણાવ્યું કે કમલા હેરિસ અને તેમના સહયોગીઓ સરહદ સંકટ જેવા ‘વો વિન’ મુદ્દાઓ સોંપવા બદલ રાષ્ટ્રપતિથી નારાજ છે. આ સંવેદનશીલ મુદ્દાઓ છે, જેનો સામનો કરવો એ તલવારની ધાર પર ચાલવા જેવું છે.

આ પણ વાંચો: અમેરિકાએ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ બુસ્ટરને આપી માન્યતા

આ પણ વાંચો: Agricultural Laws: કોંગ્રેસ શનિવારે દેશભરમાં ‘કિસાન વિજય દિવસ’ ઉજવશે, રેલી અને કેન્ડલ માર્ચ યોજશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">