AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: નિશાન પર હતી પાકિસ્તાની સેના! વઝીરિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 11 મજૂરોના મોત

પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં આતંકીઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યું હતું. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આતંકવાદીઓએ ખરેખર મજૂરોને નિશાન બનાવ્યા હતા. સેનાનો કાફલો નજીકથી પસાર થઈ રહ્યો હતો અને પાકિસ્તાનમાં સેના પર હુમલા સામાન્ય છે.

Pakistan News: નિશાન પર હતી પાકિસ્તાની સેના! વઝીરિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 11 મજૂરોના મોત
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 8:28 AM
Share

Pakistan: પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો થયો છે. 11 મજૂરોના મોત થયા છે. બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીએ વાહનમાં બ્લાસ્ટ કર્યો ત્યારે કેટલાક મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. આ હુમલો ઉત્તર વજીરિસ્તાનના શવાલમાં થયો હતો. સેનાનો કાફલો પણ નજીકથી પસાર થઈ રહ્યો હતો. પાકિસ્તાનમાં સેનાને નિશાન બનાવતા હુમલા સામાન્ય છે. એ સ્પષ્ટ નથી થયું કે આતંકવાદીઓએ સેનાને નિશાન બનાવવા માટે હુમલો કર્યો હતો કે પછી માત્ર મજૂરોને મારવાનો તેમનો ઈરાદો હતો.

આ પણ વાંચો: Bus Fire Breaking News: પાકિસ્તાનમાં મોટો અકસ્માત, કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી બસમાં લાગી આગ, 35ના મોત

સેનાને નિશાન બનાવતા અન્ય હુમલાઓ વઝીરિસ્તાનના જ દક્ષિણી વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. શનિવારના હુમલામાં પાકિસ્તાની સેનાના ચાર જવાન ભયંકર રીતે ઘાયલ થયા હતા. આતંકીઓએ સૈનિકોના કાફલા પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ એટલે કે RPG વડે હુમલો કર્યો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો વજીરિસ્તાનના લધામાં થયો હતો. પાકિસ્તાનમાં સેના પર આતંકી હુમલા સામાન્ય છે. ખોરાસાન પ્રાંતમાં ઇસ્લામિક સ્ટેટ, ખૈબર પખ્તુનખ્વા સ્થિત TTP-તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન સામાન્ય રીતે હુમલાઓને અંજામ આપે છે. TTP અને ISIS-Kએ ભૂતકાળમાં અનેક હુમલાઓ કર્યા છે, જેમાં મોટી સંખ્યામાં સેનાના જવાનો માર્યા ગયા છે.

ખૈબર પખ્તુનખ્વા હુમલામાં 45ના મોત

ગયા મહિને, 31 જુલાઈએ, આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં એક રાજકીય રેલી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં જમીયત ઉલેમા ઈસ્લામના એક નેતા સહિત 45 લોકો માર્યા ગયા હતા. જમિયત ઉલેમા ઈસ્લામ શાહબાઝ સરકાર દ્વારા સમર્થિત પાર્ટી છે. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી. તાલિબાને પોતાને તેનાથી દૂર કર્યા અને હુમલાની નિંદા પણ કરી હતી. જો કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ પાકિસ્તાન સ્થિત તાલિબાની વિંગે હુમલામાં વધારો કર્યો છે. તેઓ ખાસ કરીને સેનાને નિશાન બનાવે છે.

બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરો પર હુમલો

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગયા અઠવાડિયે થયેલા હુમલામાં કેટલાય ચીની એન્જિનિયરો માર્યા ગયા હતા. જોકે, આ હુમલો બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો હતો, જેને પાકિસ્તાન અલગતાવાદી સંગઠન માને છે. ચીની એન્જિનિયરોનો કાફલો ગ્વાદરમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">