AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka: સંસદના સ્પીકરે બેઠક બોલાવી, બંધારણીય સુધારા પર થશે ચર્ચા

શ્રીલંકા 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા પછીના ઇતિહાસમાં અભૂતપૂર્વ આર્થિક અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં ઈંધણના ભાવ આસમાને છે.

Sri Lanka: સંસદના સ્પીકરે બેઠક બોલાવી, બંધારણીય સુધારા પર થશે ચર્ચા
Sri Lankan Prime Minister Mahinda RajapaksaImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 1:14 PM
Share

Srilanka: શ્રીલંકા (Srilanka)ની સંસદના અધ્યક્ષ મહિન્દા અભયવર્દનેએ સોમવારે જણાવ્યું હતું કે તેમણે મુખ્ય બંધારણીય સુધારાઓ પર ચર્ચા કરવા ગુરુવારે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. શ્રીલંકાની મુખ્ય વિપક્ષી પાર્ટી સામગી જાના બલવેગયા (SJB)એ દેશમાં રાષ્ટ્રપતિ પ્રણાલીને નાબૂદ કરવાની જોગવાઈઓ સાથે બંધારણીય સુધારો બિલ રજૂ કર્યું છે. વિપક્ષે 1978થી દેશમાં રાષ્ટ્રપતિ શાસન (Presidential Rule) નાબૂદ કરીને બંધારણીય લોકશાહીની પુનઃસ્થાપનાની માંગ કરી છે. SJBએ ગુરુવારે બંધારણીય સુધારા બિલ રજૂ કર્યું, જેમાં રાષ્ટ્રપતિ શાસનની પ્રણાલીને નાબૂદ કરવા સહિત અન્ય ઘણી જોગવાઈઓ પણ છે.

શ્રીલંકા 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા પછીના ઈતિહાસમાં અભૂતપૂર્વ આર્થિક અને ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં ઈંધણના ભાવ આસમાને છે. શ્રીલંકામાં લોકો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમની પાર્ટી શ્રીલંકા પોદુજાના (પેરામુના)ની આગેવાની હેઠળની સરકારના રાજીનામાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.

ભારત શ્રીલંકામાં મોટો સહયોગ કરી રહ્યું છે

શ્રીલંકાની કટોકટી દરમિયાન ભારત તેના પાડોશી દેશનો સૌથી મોટો મદદગાર બનીને ઉભરી આવ્યો છે. સંકટની આ ઘડીમાં ભારતે શ્રીલંકાને અલગ-અલગ વસ્તુઓમાં 2.4 બિલિયન ડોલરની સહાય આપી છે. બીજી તરફ શ્રીલંકાએ વર્તમાન પરિસ્થિતિ બાદ ચીન પાસે મદદ માંગી છે. ચીને ગયા શુક્રવાર સુધી શ્રીલંકાને ઈમરજન્સી માનવતાવાદી સહાય તરીકે 31 મિલિયનની સહાય મોકલી છે. આ ભારતની મદદના માત્ર 2 ટકા છે. ચોંકાવનારી વાત એ છે કે શ્રીલંકાએ ચીન પાસે 2.5 અબજ ડોલરની મદદ માંગી હતી, જ્યારે તેને બહુ ઓછી મળી.

શું ચીનને રસ્તામાંથી દુર કરવાની તક મળશે

ભારતમાં ઘણા લોકો તેને એક મહત્વપૂર્ણ રાજદ્વારી પ્રસંગ માની રહ્યા છે. ઘણા નિષ્ણાતોએ સરકારને એવો અભિપ્રાય આપ્યો છે કે શ્રીલંકાની વર્તમાન સ્થિતિનો ફાયદો ઉઠાવીને ચીનને ત્યાંથી હટાવવાની વધુ સારી તક છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

Rajkot: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું મોટું નિવેદન, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">