Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખોરાક માટે તરસ્યું શ્રીલંકા ! અનાજ માટે $51 બિલિયનની લોન ડિફોલ્ટ કરશે, ભારત 11 હજાર ટન ચોખા મોકલશે

Sri Lanka Economic Crisis:શ્રીલંકાની આર્થિક સ્થિતિ દયનીય છે. ત્યાંના લોકોને ખાવાનું મળી રહ્યું નથી. ત્યાંની સરકારે $51 બિલિયનનું વિદેશી દેવું નહીં ચૂકવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ નવા વર્ષ પહેલા ભારતે 11 હજાર ટન ચોખાની નિકાસ કરી છે.

ખોરાક માટે તરસ્યું શ્રીલંકા ! અનાજ માટે $51 બિલિયનની લોન ડિફોલ્ટ કરશે, ભારત 11 હજાર ટન ચોખા મોકલશે
Sri lanka crisis (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 4:53 PM

શ્રીલંકા (Sri Lanka Economic Crisis) ની આર્થિક હાલત અત્યંત ખરાબ થઇ રહી છે. ખોરાક માટે લોકો વલખા મારી રહ્યાં છે. આવી સ્થિતિમાં શ્રીલંકાની સરકારે 51 અબજ ડોલરની લોન ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે અમે લોનની ચુકવણી (External debt repayment) માં ડિફોલ્ટ કરી રહ્યા છીએ જેથી કરીને આપણા દેશના લોકોને ભોજન મળી શકે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા આઝાદી પછીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ખોરાક અને ઈંધણની ભારે કટોકટી ચાલી રહી છે. ભારત આ સંકટમાં સતત મદદ કરી રહ્યું છે. શ્રીલંકાના પરંપરાગત નવા વર્ષ પહેલા મંગળવારે ભારતથી 11,000 ટન ચોખાનો માલ અહીં પહોંચ્યો હતો. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે નવા વર્ષની ઉજવણી પહેલા આ મોટી રાહત છે. શ્રીલંકાના લોકો 13 અને 14 એપ્રિલે સિંહલ અને તમિલ નવા વર્ષની ઉજવણી કરશે. તે શ્રીલંકાના સૌથી મોટા તહેવારોમાંનો એક છે.

ભારતીય હાઈ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રીલંકાના લોકો દ્વારા નવા વર્ષની ઉજવણી પહેલા ભારતમાંથી ચોખાનો માલ કોલંબો પહોંચ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા એક સપ્તાહમાં ભારતની મદદ હેઠળ શ્રીલંકાને 16,000 ટન ચોખા સપ્લાય કરવામાં આવ્યા છે. ભારતીય હાઈ કમિશને કહ્યું કે આ પુરવઠો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના વિશેષ સંબંધોને દર્શાવે છે.

શ્રીલંકા હજુ વિદેશી દેવું ચૂકવશે નહીં

શ્રીલંકાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (International Monetary Fund) તરફથી રાહત પેકેજ સુધી તેના વિદેશી દેવા પર ડિફોલ્ટ રહેશે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સામાન્ય ક્રેડિટ સેવાઓને સ્થગિત કરવાની શ્રીલંકા સરકારની નીતિ હશે. આ 12 એપ્રિલ 2022 સુધી બાકી રહેલી લોન પર લાગુ થશે.”

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

એક કપ ચા 100 રૂપિયામાં મળે છે

શ્રીલંકામાં ચાના કપની કિંમત 100 રૂપિયા, બ્રેડ 1400 રૂપિયા પ્રતિ પેકેટ, ચોખા 500 રૂપિયા પ્રતિ કિલો અને એલપીજી સિલિન્ડર 6500 રૂપિયા છે. આટલી મોંઘવારી છતાં શ્રીલંકામાં દૈનિક વેતન મજૂરોને રોજના 500 રૂપિયા નથી મળતા. પૈસાની અછતને કારણે સરકારે ઘણા દેશોમાં પોતાના દૂતાવાસો પણ બંધ કરી દીધા છે અને વિદેશી હૂંડિયામણના ભંડાર પણ ખાલી થઈ ગયા છે. શ્રીલંકા પાસે માત્ર $2 બિલિયન વિદેશી અનામત બચ્યું છે, જેના કારણે ભાગ્યે જ એક મહિનો આયાત કરી શકાય છે.

નાદારી માટે ઘણા કારણો છે

શ્રીલંકાની નાદારી માટે ઘણા કારણો છે. ઉદાહરણ તરીકે, પર્યટન, આવકનો મુખ્ય સ્ત્રોત, કોરોનાને કારણે પડી ભાંગ્યો અને ખાતરો પર પ્રતિબંધને કારણે કૃષિ ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો. મોંઘી અને અઘરી શરતે ચીન પાસેથી લોન લીધી. સરકારમાં ભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું. રાજપક્ષે પરિવારના હાથમાં કેબિનેટ બજેટનો બે તૃતીયાંશ ભાગ રાખવામાં આવ્યો હતો. પરંતુ શ્રીલંકાની નાદારી પાછળનું સૌથી મોટું કારણ સરકારની લોકપ્રિય નીતિઓ એટલે કે મફત યોજનાઓ છે.

આ પણ વાંચો: મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં રોકાણ કરવા અમેરિકન સંરક્ષણ કંપનીઓને રાજનાથ સિંહની અપીલ

આ પણ વાંચો: પાકિસ્તાનઃ સત્તા સંભાળ્યા બાદ શાહબાઝ શરીફ માટે આસાન નહીં હોય સફર, આ મોટા પડકારો છે સામે

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">