પાકિસ્તાનમાં એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. પાકિસ્તાનના શેખુપુરામાં ટ્રેન અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં ઓછામાં ઓછા 19 શીખ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સિવાય અન્ય 8 તીર્થયાત્રાળુઓ પણ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કોરોનાના લીધે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત, 31 જૂલાઈ સુધી સેવા શરૂ નહીં થાય
ઓનલાઈન મીડિયા રિપોર્ટ મુજબ આ દૂર્ઘટના નનકાના સાહબની નજીક એક રેલવે ક્રોસિંગે ઘટી હતી. આ રેલવે ક્રોસિંગમાં ફાટક નહોતી અને તેના લીધે જ ટ્રેન અને બસ વચ્ચે ટક્કર થઈ. પાકિસ્તાનના રેલવે મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શેખુપુરાના જિલ્લા અધિકારીઓએ કહ્યું કે ઘટના શેખુપુરાના ફરુકાબાદની છે. કરાચીથી લાહોર જઈ રહેલી શાહ હુસૈન એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન સાથે બસની ટક્કર થઈ હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પાકિસ્તાનના રેલવે મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રેલવે અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ આ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દૂર્ઘટનામાં જે પણ તીર્થયાત્રીના મોત થયા છે તેના મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. જ્યારે જે પણ તીર્થયાત્રીઓ ઘાયલ છે તેમને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 12:19 pm, Fri, 3 July 20