AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: શું પુતિનને સતાવી રહ્યો છે પોતાની ‘હત્યા’નો ડર! 1000 પર્સનલ સ્ટાફની કરી છટણી

યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વભરના દેશો દ્વારા વ્યાપકપણે નિંદા કરવામાં આવી છે. આ ઉપરાંત, વિશ્વભરમાં પુતિન અને તેના સાથીદારો પર આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રશિયા પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

Russia-Ukraine War: શું પુતિનને સતાવી રહ્યો છે પોતાની 'હત્યા'નો ડર! 1000 પર્સનલ સ્ટાફની કરી છટણી
Russian President Vladimir Putin
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 8:57 PM
Share

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના અંગત સ્ટાફના લગભગ 1000 સભ્યોને બદલી નાખ્યા છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે પુતિનને ડર હતો કે આ લોકો તેમને ઝેર આપી શકે છે. ડેઈલી બીસ્ટના અહેવાલમાં રશિયન સરકારના એક સૂત્રનો હવાલો આપીને જણાવવામાં આવ્યું હતું કે જેઓ બરતરફ કરવામાં આવ્યા હતા તેમાં અંગરક્ષકો, રસોઈયા, લોન્ડ્રીમેન અને સચિવોનો સમાવેશ થાય છે. યુક્રેન પર રશિયાના હુમલા (Russia-Ukraine War) ની વિશ્વભરના દેશો દ્વારા વ્યાપકપણે નિંદા કરવામાં આવી છે. આ ઉપરાંત, વિશ્વભરમાં પુતિન અને તેના સાથીદારો પર આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રશિયા પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

યુએસ અને પશ્ચિમી અધિકારીઓએ ફેબ્રુઆરીમાં વારંવાર ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન સાથેની તેની સહિયારી સરહદ પર સૈનિકો એકત્ર કરી રહ્યું છે. તેનો ઈરાદો યુક્રેન પર હુમલો કરવાનો છે. જોકે, ક્રેમલિને સતત હુમલાની શક્યતાને નકારી કાઢી હતી. પરંતુ 24 ફેબ્રુઆરીએ પુતિનના આદેશ પર યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો.

અમેરિકાના દક્ષિણ કેરોલિનાના સાંસદ લિન્ડસે ગ્રેહામે રશિયાના રાષ્ટ્રપતિની હત્યાની વાત કરી છે. આ મહિનાની શરૂઆતમાં ગ્રેહામે પુતિનની સરખામણી એડોલ્ફ હિટલર સાથે કરી હતી. તેમણે કહ્યું કે યુદ્ધને સમાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે કોઈ વ્યક્તિ આ વ્યક્તિને ખતમ કરી દે.

ક્રેમલિન ઝેર આપવા માટે કુખ્યાત છે

લિન્ડસે ગ્રેહામે ડેઈલી બીસ્ટને કહ્યું કે આવું કોઈ વિદેશી સરકાર દ્વારા કરવામાં નહીં આવે. તેમણે કહ્યું, તે ક્રેમલિનની અંદરથી એક પ્રયાસ હશે. રશિયન ગુપ્તચર સંભવતઃ એકમાત્ર સંસ્થા બાકી છે જે લોકોને મારવા માટે ઝેર આપે છે. ઝેરની ઘટનાઓ અગાઉ ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) સાથે જોડવામાં આવતી હતી. પુતિનના સૌથી મોટા વિવેચક એલેક્સી નવાલનીને ઓગસ્ટ 2020 માં નોવિચિક આપવામાં આવ્યું હતું. પરંતુ સમયસર સારવાર મળવાને કારણે તેઓ બચી ગયા હતા. જો કે હાલમાં તેઓ રશિયાની જેલમાં બંધ છે.

યુદ્ધમાં પાંચ રશિયન જનરલ માર્યા ગયા

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં લાખો લોકોને દેશ છોડવો પડ્યો છે. આ લોકોએ પોલેન્ડ, રોમાનિયા, મોલ્ડોવા જેવા દેશોમાં આશરો લીધો છે. બીજી તરફ આ યુદ્ધમાં રશિયાને પણ મોટાપાયે નુકસાન થયું છે. યુક્રેન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના ટોચના પાંચ જનરલો માર્યા ગયા છે. યુક્રેને કહ્યું છે કે તેણે તાજેતરમાં યુક્રેનના દક્ષિણી શહેર ખેરસન નજીક ચોર્નોબાઈવકામાં રશિયાની 8મી સંયુક્ત આર્મ્સ ફોર્સના કમાન્ડર લેફ્ટનન્ટ-જનરલ આંદ્રે મોર્ડવિચેવને મારી નાખ્યા છે. પુતિન માટે આ કોઈ મોટા આંચકાથી ઓછું નથી, કારણ કે પહેલાથી જ ચાર જનરલ માર્યા ગયા છે.

આ પણ વાંચો :  યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિનને આપી ચેતવણી, કહ્યું- રશિયાને પેઢીઓ સુધી યુદ્ધની કિંમત ચૂકવવી પડશે

Follow Us
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">