AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War Timeline: બે મહિનાના યુદ્ધમાં શહેરો કાટમાળમાં ફેરવાયા, હજારો લોકોએ ગુમાવ્યા જીવ, જાણો 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં શું થયું

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધ હજુ પણ ચાલુ છે. રશિયાએ અહીં વિશેષ સૈન્ય અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી. જેને રવિવારે બે માસ પૂર્ણ થઈ રહ્યા છે.

Russia Ukraine War Timeline: બે મહિનાના યુદ્ધમાં શહેરો કાટમાળમાં ફેરવાયા, હજારો લોકોએ ગુમાવ્યા જીવ, જાણો 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં શું થયું
Russia Ukraine War (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:28 PM
Share

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ (Russia Ukraine War) રવિવારે ત્રીજા મહિનામાં પ્રવેશવા જઈ રહ્યું છે. 2 મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. લાખો લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે અને સુંદર દેખાતા તમામ શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. યુક્રેન (Russia Attacks Ukraine) પશ્ચિમી દેશોના હથિયારોની મદદથી મક્કમતાથી ઊભું છે અને પોતાના પર લાદવામાં આવેલા પ્રતિબંધો છતાં રશિયા યુક્રેન (Ukraine) પર બોમ્બમારો ચાલુ રાખ્યા છે. હવે તે કહે છે કે તે દેશના પૂર્વ ભાગની સાથે સાથે દક્ષિણ ભાગને પણ કબજે કરવા માંગે છે.

જાણો, અત્યાર સુધી યુદ્ધમાં શું થયું…

24 ફેબ્રુઆરીઃ રશિયાએ યુક્રેનને ત્રણ મોરચાથી નિશાન બનાવ્યું. બીજા વિશ્વ યુદ્ધ પછીનો સૌથી મોટો હુમલો કર્યો. જેના કારણે સામાન્ય નાગરિકો પોતાનો જીવ બચાવવા અહીંથી દોડવા લાગ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ યુક્રેનને ત્યાં બિનલશ્કરીકરણ કરવા માટે “ખાસ લશ્કરી કાર્યવાહી” શરૂ કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, “રશિયા દુષ્ટતાના માર્ગ પર છે પરંતુ યુક્રેન પોતાનો બચાવ કરશે.”

25 ફેબ્રુઆરીઃ યુક્રેન સેનાએ દેશના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભાગોમાં રશિયન ઘૂસણખોરો સાથે લડાઈ શરૂ કરી. રાજધાની કિવ અને તેની આસપાસના વિસ્તારોમાં સત્તાવાળાઓએ સામાન્ય લોકોને મોલોટોવ કોકટેલ તૈયાર કરવા કહ્યું. આ એક પ્રકારનું હથિયાર છે. જેમાં કાચની બોટલની અંદર જ્વલનશીલ પદાર્થ નાખવામાં આવે છે.

28 ફેબ્રુઆરીઃ બંને પક્ષો વચ્ચે પ્રથમ વાટાઘાટો થઈ, પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી.

1 માર્ચઃ રશિયાએ કિવમાં એક ટીવી ટાવર પર હુમલો કર્યો અને ઉત્તર પૂર્વીય ખાર્કિવ અને અન્ય શહેરો પર હુમલાઓ તીવ્ર કર્યા. તેના પરથી માનવામાં આવતું હતું કે રશિયા ટૂંક સમયમાં કિવ પર કબજો કરી લેશે. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે રશિયન સૈનિકો લોજિસ્ટિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે તેઓ છેલ્લા 24 કલાકમાં કિવ પહોંચવામાં કોઈ પ્રગતિ કરી રહ્યાં નથી.

2 માર્ચઃ રશિયન દળોએ 14 કલાક માટે દક્ષિણ બંદરના શહેર માર્યુપોલ પર બોમ્બમારો કર્યો અને નાગરિકોને શહેર છોડતા અટકાવ્યા. શહેરના મેયરે જણાવ્યું હતું કે મોસ્કોએ શહેરને બ્લોક કરી દીધું હતું, પરંતુ રશિયાએ નાગરિકોને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો હતો. રશિયન સૈન્ય ખેરસનમાં કાળા સમુદ્રના કેન્દ્ર તરફ આગળ વધ્યું અને તેણે એક મોટા શહેરી કેન્દ્રને કબજે કરવાનો દાવો કર્યો.

3 માર્ચઃ રશિયા અને યુક્રેન વચ્ચે દેશ છોડીને ભાગી રહેલા લોકો માટે માનવતાવાદી કોરિડોર બનાવવા માટે સંમત થયા હતા. યુક્રેનના દરિયાકાંઠે એક મોટું માલવાહક જહાજ ડૂબી ગયું. જ્યારે આના થોડા કલાકો પહેલા જ અન્ય એક બંદર પર અન્ય જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. UN શરણાર્થી એજન્સી UNHCR અનુસાર, આ સમય સુધીમાં લગભગ 10 લાખ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા હતા.

4 માર્ચઃ રશિયન દળોએ યુરોપના સૌથી મોટા ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કર્યો. નાટોએ નો-ફ્લાય ઝોન માટે યુક્રેનની અપીલને ફગાવી દીધી, એમ કહીને કે તેનાથી સંઘર્ષ વધશે.

6 માર્ચઃ પોપ ફ્રાન્સિસે સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે ભીડને કહ્યું, યુક્રેનમાં લોહી અને આંસુની નદીઓ વહી રહી છે. તે માત્ર સૈન્ય કાર્યવાહી નથી પરંતુ એક યુદ્ધ છે, જે મૃત્યુ, દુઃખ અને વિનાશના બીજ વાવે છે.

8 માર્ચઃ પ્રથમ સફળ માનવતાવાદી કોરિડોર દ્વારા, નાગરિકોએ કબજા હેઠળના સુમી શહેરમાંથી ભાગવાનું શરૂ કર્યું. યુએનએચસીઆરના આંકડા અનુસાર, આ સમય સુધીમાં 20 લાખ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા હતા.

9 માર્ચઃ યુક્રેને રશિયા પર મારિયોપોલમાં પ્રસૂતિ હોસ્પિટલ પર હુમલો કરવાનો આરોપ મૂક્યો. લોકો કાટમાળ હેઠળ દટાયેલા છે. રશિયાએ પાછળથી કહ્યું કે હોસ્પિટલ કાર્યરત નથી અને ત્યાં યુક્રેનના લડવૈયાઓ હતા.

13 માર્ચઃ રશિયાએ તેની લડાઈને આગળ વધારતા પશ્ચિમ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. તેણે નાટોના સદસ્ય પોલેન્ડ નજીક યાવોરીવના બેઝ પર મિસાઈલ છોડાવી હતી. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે હુમલામાં 35 લોકોના મોત થયા અને 134 લોકો ઘાયલ થયા.

16 માર્ચઃ યુક્રેન રશિયા પર મારિયોપોલમાં એક થિયેટરમાં બોમ્બ ધડાકાનો આરોપ મૂકે છે. જ્યાં સેંકડો લોકોએ આશરો લીધો છે. મોસ્કોએ પણ આ દાવાને ફગાવી દીધો હતો.

29 માર્ચઃ તુર્કીના ઈસ્તાંબુલમાં યોજાનારી મંત્રણામાં યુક્રેને તટસ્થ સ્થિતિ અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ સમય સુધીમાં 40 લાખ લોકોએ દેશ છોડી દીધું હતું.

01 એપ્રિલઃ યુક્રેને કિવની આસપાસનો વિસ્તાર પાછો મેળવ્યો. અહીં રશિયન સૈનિકોએ તેમની ટેન્ક છોડીને ભાગવું પડ્યું.

3-4એપ્રિલઃ યુક્રેને રશિયા પર યુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂક્યો. અહીં સેનાને બુચા શહેરમાં મૃતદેહો અને સામૂહિક કબરો મળી. જેને રશિયન કબજામાંથી બચાવી લેવામાં આવ્યા હતા. આ લોકોને નજીકથી ગોળી મારવામાં આવી હતી. ક્રેમલિને પણ આ વાતને નકારી કાઢી હતી.

18 એપ્રિલઃ યુક્રેન અને તેના સાથીઓએ રશિયા પર ક્રામટોર્સ્કમાં ટ્રેન સ્ટેશન પર મિસાઇલ હુમલો કરવાનો આરોપ મૂક્યો. જેમાં ઓછામાં ઓછા 52 લોકોના મોત થયા હતા. આ એ લોકો હતા જેઓ યુદ્ધગ્રસ્ત પૂર્વી વિસ્તારમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રશિયાએ પણ હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો.

14 એપ્રિલઃ કાળા સમુદ્રમાં વિસ્ફોટ બાદ રશિયન યુદ્ધ જહાજ ડૂબી ગયું. યુક્રેને કહ્યું કે આ મિસાઈલ હુમલા બાદ થયું છે. રશિયાએ જહાજ ડૂબી જવા પાછળનું કારણ દારૂગોળા વિસ્ફોટ થયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે યુ.એસ.એ કહ્યું હતું કે 2 યુક્રેનિયન મિસાઇલો ત્રાટક્યા પછી થયું હતું.

18 એપ્રિલઃ રશિયાએ યુક્રેનના પૂર્વ ભાગમાં હુમલો કરવાનું શરૂ કર્યું છે. તેણે 2 પ્રાંત કબજે કરવા માટે અહીં પોતાના સૈનિકો મોકલવાનું પણ શરૂ કરી દીધું છે. આ સમય સુધીમાં 50 લાખ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે.

21 એપ્રિલઃ પુતિને 2 મહિનાથી કબજામાં રહેલા માર્યુપોલ શહેરને સ્વતંત્ર જાહેર કર્યું.

22 એપ્રિલઃ એક રશિયન જનરલે કહ્યું કે મોસ્કો યુક્રેનના સમગ્ર દક્ષિણ અને પૂર્વીય ભાગ પર નિયંત્રણ ઈચ્છે છે.

આ પણ વાંચો : ભારત ફરી એકવાર શ્રીલંકાની મદદ માટે આગળ આવ્યું, ઈંધણ ખરીદવા માટે આપી વધારાની મદદ

આ પણ વાંચો : Viral Video: આમિર ખાને ક્રિકેટ રમતા રમતા એક જાહેરાત કરી, કહ્યું 28 એપ્રિલે નવી સ્ટોરી સંભળાવીશ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">