AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુદ્ધમાં 16600 રશિયન સૈનિકો માર્યા ગયા અને 582 ટેન્ક નાશ પામ્યા, યુક્રેનનો દાવો

Russia war casualties: પશ્ચિમી અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ યુદ્ધમાં રશિયાના (Russia) સાત જનરલ માર્યા ગયા હતા. આ સિવાય એક જનરલને બરતરફ પણ કરવામાં આવ્યા છે.

Russia Ukraine War: યુદ્ધમાં 16600 રશિયન સૈનિકો માર્યા ગયા અને 582 ટેન્ક નાશ પામ્યા, યુક્રેનનો દાવો
Russia Ukraine WarImage Credit source: AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 11:20 PM
Share

રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે 32 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે જ સમયે, યુક્રેનની ન્યૂઝ વેબસાઇટ ધ કિવ ઇન્ડિપેન્ડન્ટે અહેવાલ આપ્યો છે કે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયું ત્યારથી 16,600 રશિયન સૈનિકો માર્યા ગયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન આ યુદ્ધમાં 582 રશિયન ટેન્કને પણ નષ્ટ કરી ચૂકી છે. યુક્રેનિયન મીડિયાનો આ દાવો ત્યારે સામે આવ્યો છે, જ્યારે થોડા દિવસો પહેલા રશિયાએ કહ્યું હતું કે યુક્રેનમાં ચાલી રહેલા ‘મિલિટરી ઓપરેશન’માં 1,351 સૈનિકો માર્યા ગયા છે.

યુક્રેનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુદ્ધમાં રશિયાને મોટું નુકસાન થયું છે. રશિયાના 1,664 બખ્તરબંધ વાહનો, 121 એરક્રાફ્ટ, 127 હેલિકોપ્ટર વગેરેનો નાશ કરવામાં આવ્યો છે. તે જ સમયે, શુક્રવારે રશિયાએ કહ્યું કે યુદ્ધમાં તેણે 1,351 સૈનિકો ગુમાવ્યા છે, જ્યારે 3,825 સૈનિકો ઘાયલ થયા છે. જો કે, નાટોએ દાવો કર્યો છે કે, અંદાજે 7,000 થી 15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે.

શનિવારે પશ્ચિમી અધિકારીઓએ દાવો કર્યો હતો કે યુદ્ધમાં સાત રશિયન જનરલ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે ક્રેમલિને આ મહિનાની શરૂઆતમાં ટોચના રેન્કિંગ અધિકારીને બરતરફ પણ કર્યા હતા. રશિયાની 49મી સંયુક્ત આર્મ્સ ફોર્સના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ યાકોવ રેઝાનસ્તાવ પણ આ કાર્યવાહીમાં માર્યા ગયા હતા.

રશિયાએ જનરલ વ્લાસ્લાવ યર્શોવને બરતરફ કર્યા

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, યુક્રેનમાં એક મહિના સુધી ચાલેલા યુદ્ધને કારણે ભારે નુકસાન અને વ્યૂહાત્મક નિષ્ફળતાઓને કારણે જનરલ વ્લાસ્લાવ યરશોવને અચાનક બરતરફ કરવામાં આવ્યા હતા. પશ્ચિમી અધિકારીઓએ એવો પણ દાવો કર્યો છે કે રશિયાના 115-120 વ્યૂહાત્મક લશ્કરી એકમોમાંથી 20 યુદ્ધના નુકસાનને કારણે બિનઅસરકારક બની ગયા છે. યુદ્ધના 32મા દિવસે પણ યુક્રેનના ઘણા શહેરોમાં ભીષણ લડાઈ ચાલુ છે.

મોસ્કોએ રવિવારે પશ્ચિમ યુક્રેનિયન શહેર લ્વિવમાં ઉચ્ચ-ચોકસાઇવાળા ક્રુઝ મિસાઇલોથી લશ્કરી થાણા પર હુમલો કર્યો. અહીં ઘણા મોટા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયાએ લાંબા અંતરની મિસાઇલો વડે લ્વીવ નજીક યુક્રેનિયન દળો દ્વારા ઉપયોગમાં લેવાતા ઇંધણ ડેપોને નિશાન બનાવ્યું હતું.

આ ઉપરાંત, મિસાઇલોએ શહેરના એક પ્લાન્ટ પર હુમલો કર્યો, જેનો ઉપયોગ એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ્સ, રડાર સ્ટેશનો અને ટાંકીઓના સમારકામ માટે કરવામાં આવતો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હજુ શાંત થતું જણાતું નથી. આ યુદ્ધને કારણે અત્યાર સુધીમાં 37 લાખ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે.

આ પણ વાંચો : Bahrain: બુરખો પહેરેલી મહિલાને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવી, રેસ્ટોરન્ટમાં મચ્યો ભારે હોબાળો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">