AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine Conflict: યુદ્ધના જોખમ વચ્ચે ભારતે તેના નાગરિકો અને વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાની સલાહ આપી

ભારતીય દૂતાવાસે કહ્યું કે વિદ્યાર્થીઓને ચાર્ટર ફ્લાઈટ્સ અંગે અપડેટ્સ માટે સંબંધિત વિદ્યાર્થી કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

Russia-Ukraine Conflict: યુદ્ધના જોખમ વચ્ચે ભારતે તેના નાગરિકો અને વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાની સલાહ આપી
Amid the threat of war, India advised its citizens and students to leave Ukraine
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 7:26 PM
Share

Russia-Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સંકટ ટળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. યુક્રેનમાં ચાલી રહેલા તણાવને જોતા કિવમાં ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “તમામ ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે.” વિદ્યાર્થીઓને ચાર્ટર ફ્લાઈટ્સ પર અપડેટ્સ માટે સંબંધિત વિદ્યાર્થી કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવે છે. આ સિવાય એડવાઈઝરીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે નાગરિકોને ત્યાં રહેવાની જરૂર નથી તેઓ યુક્રેન છોડી દે.

આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે દૂતાવાસના સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા અપડેટ્સ જોતા રહો. જણાવી દઈએ કે આ પહેલા 16 ફેબ્રુઆરીએ પણ આવી જ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવ ચાલી રહ્યો છે. રવિવારે, રોસ્ટોવ ક્ષેત્રના સરહદી વિસ્તારમાં વિસ્ફોટની જાણ કરવામાં આવી છે. આ પછી યુક્રેનના ડોનબાસથી મોટી સંખ્યામાં શરણાર્થીઓ રશિયા તરફ ભાગી રહ્યા છે. યુક્રેને ભારે તોપમારોને કારણે રશિયન સમર્થિત અલગતાવાદીઓ દ્વારા નિયંત્રિત પૂર્વ ડોનબાસ પ્રદેશમાં સાત પોસ્ટમાંથી એક પર કામ બંધ કરી દીધું છે. આ જાણકારી યુક્રેનની સેનાએ આપી છે.

જણાવી દઈએ કે, અલગતાવાદીઓએ શનિવારે મોર્ટાર અને ભારે એન્ટી ટેન્ક ગ્રેનેડ લોન્ચર વડે શાસ્ટી ચેકપોઈન્ટ પર ત્રણ વખત હુમલો કર્યો હતો. યુક્રેનમાં વિદ્રોહીઓના કબજા હેઠળના શહેર ડોનેત્સ્કમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. યુક્રેનની રાજધાની કિવ અને પશ્ચિમમાં એવો ભય વધી રહ્યો છે કે રશિયા તેનો ઉપયોગ પૂર્વ યુક્રેનમાં ખોટા ફ્લેગ ઓપરેશન કરીને હુમલો કરવા માટે કરી શકે છે.

આ પણ વાંચો –

યુક્રેનની સરહદ પર મોર્ટારનો મારો, ઝપેટમાં આવેલા ગૃહમંત્રી અને સૈન્ય અધિકારીઓએ, આશ્રયસ્થાનમાં છુપાઈને બચાવ્યો જીવ

આ પણ વાંચો –

Russia-Ukraine: યુક્રેન સંકટ પર વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, રાજદ્વારી એકમાત્ર વિકલ્પ છે, બંને દેશોએ અપનાવવી પડશે સમાધાનની પદ્ધતિઓ

આ પણ વાંચો –

US: યુક્રેન સંકટ પર બાઈડને બોલાવી સુરક્ષા પરિષદની બેઠક, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">