AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine Conflict: Air Indiaનું વિમાન 242 ભારતીય વિદ્યાર્થીઓને લઈને યુક્રેનથી પરત ફર્યું

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, AI-1947 એ નવી દિલ્હીથી IST સવારે લગભગ 7.30 વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ 3 વાગ્યે યુક્રેનના કિવના એરપોર્ટ પર પહોંચ્યું હતું.

Russia-Ukraine Conflict: Air Indiaનું વિમાન 242 ભારતીય વિદ્યાર્થીઓને લઈને યુક્રેનથી પરત ફર્યું
Air India flight returns from Ukraine carrying 242 Indian students
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:59 AM
Share

Russia-Ukraine Conflict: રશિયા-યુક્રેન(Russia-Ukraine)વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે એર ઈન્ડિયા(Air India)નું વિમાન યુક્રેનથી એક ભારતીયને લઈને ભારત પહોંચ્યું છે. વિમાનમાં 242 વિદ્યાર્થીઓ સવાર હતા. હકીકતમાં, યુક્રેન(Ukraine) સરહદ પર વધતા તણાવ વચ્ચે, એર ઈન્ડિયાએ મંગળવારે ત્યાંથી ભારતીયોને પરત લાવવા માટે બોઈંગ-787 એરક્રાફ્ટ ફ્લાઈટનું સંચાલન કર્યું.

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, AI-1947 એ નવી દિલ્હીથી IST સવારે લગભગ 7.30 વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ 3 વાગ્યે યુક્રેનના કિવના એરપોર્ટ પર પહોંચ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારતે પોતાના નાગરિકોને પરત ફરવાની સલાહ આપી છે.

કિવમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે ભારત પાછા ફરવાની સલાહ આપી છે. એર ઈન્ડિયાએ 19 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઈટ્સ ઓપરેટ કરશે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને જરૂરી માહિતી અને મદદ પૂરી પાડવા માટે વિદેશ મંત્રાલયે બુધવારે એક કંટ્રોલ રૂમની સ્થાપના કરી હતી. આ ઉપરાંત, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે પૂર્વ યુરોપીય દેશમાં ભારતીયોની મદદ માટે 24 કલાકની હેલ્પલાઇન પણ સ્થાપિત કરી હતી.

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેનના બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ત્રણ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. કંપનીએ આગળ લખ્યું, ‘એર ઈન્ડિયાની બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

દરમિયાન, એરલાઇન વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનોદ કન્નને મંગળવારે જણાવ્યું હતું કે તેમની યુક્રેનની ફ્લાઈટ ચલાવવાની કોઈ યોજના નથી.

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">