AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine Conflict: Air Indiaનું વિમાન 242 ભારતીય વિદ્યાર્થીઓને લઈને યુક્રેનથી પરત ફર્યું

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, AI-1947 એ નવી દિલ્હીથી IST સવારે લગભગ 7.30 વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ 3 વાગ્યે યુક્રેનના કિવના એરપોર્ટ પર પહોંચ્યું હતું.

Russia-Ukraine Conflict: Air Indiaનું વિમાન 242 ભારતીય વિદ્યાર્થીઓને લઈને યુક્રેનથી પરત ફર્યું
Air India flight returns from Ukraine carrying 242 Indian students
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:59 AM
Share

Russia-Ukraine Conflict: રશિયા-યુક્રેન(Russia-Ukraine)વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે એર ઈન્ડિયા(Air India)નું વિમાન યુક્રેનથી એક ભારતીયને લઈને ભારત પહોંચ્યું છે. વિમાનમાં 242 વિદ્યાર્થીઓ સવાર હતા. હકીકતમાં, યુક્રેન(Ukraine) સરહદ પર વધતા તણાવ વચ્ચે, એર ઈન્ડિયાએ મંગળવારે ત્યાંથી ભારતીયોને પરત લાવવા માટે બોઈંગ-787 એરક્રાફ્ટ ફ્લાઈટનું સંચાલન કર્યું.

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, AI-1947 એ નવી દિલ્હીથી IST સવારે લગભગ 7.30 વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ 3 વાગ્યે યુક્રેનના કિવના એરપોર્ટ પર પહોંચ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારતે પોતાના નાગરિકોને પરત ફરવાની સલાહ આપી છે.

કિવમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે ભારત પાછા ફરવાની સલાહ આપી છે. એર ઈન્ડિયાએ 19 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઈટ્સ ઓપરેટ કરશે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને જરૂરી માહિતી અને મદદ પૂરી પાડવા માટે વિદેશ મંત્રાલયે બુધવારે એક કંટ્રોલ રૂમની સ્થાપના કરી હતી. આ ઉપરાંત, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે પૂર્વ યુરોપીય દેશમાં ભારતીયોની મદદ માટે 24 કલાકની હેલ્પલાઇન પણ સ્થાપિત કરી હતી.

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેનના બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ત્રણ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. કંપનીએ આગળ લખ્યું, ‘એર ઈન્ડિયાની બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

દરમિયાન, એરલાઇન વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનોદ કન્નને મંગળવારે જણાવ્યું હતું કે તેમની યુક્રેનની ફ્લાઈટ ચલાવવાની કોઈ યોજના નથી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">