AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Quad Summit 2021: વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત, બાઈડેન બોલ્યા-સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતા હોવી જોઈએ

બંને દેશો (ભારત-અમેરિકા) એ અફઘાનિસ્તાન (Afghanistan) માં આતંકવાદ સામે લડવાના મહત્વ પર ચર્ચા કરી

Quad Summit 2021: વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત, બાઈડેન બોલ્યા-સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતા હોવી જોઈએ
PM Modi in US
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 7:07 AM
Share

Quad Summit 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠકના ભાગરૂપે શુક્રવારે વ્હાઈટ હાઉસ (White House) માં જો બાઈડેન (US President Jo Biden) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ કોવિડ -19 અને આબોહવા પરિવર્તન, વેપાર અને ઇન્ડો-પેસિફિક સહિત અનેક અગ્રતા મુદ્દાઓ પર ચર્ચા કરી.

બાદમાં, બેઠકનું વર્ણન કરતાં વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ અમેરિકાની મુલાકાતના બીજા દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. સત્તા સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વડાપ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત હતી.

રાષ્ટ્રપતિ જો બિડેને કોવિડની બીજી લહેર દરમિયાન ભારત સરકારે લીધેલા નિર્ણયોની પ્રશંસા કરી હતી. તેમણે રસીની નિકાસ ફરી શરૂ કરવાના ભારત સરકારના નિર્ણયને આવકાર્યો હતો. આ સિવાય ભારત-અમેરિકાના સંરક્ષણ સંબંધો પર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ સંરક્ષણ ક્ષેત્રે નવા ઉચ્ચ ટેકનોલોજી પ્રોજેક્ટ પર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું કાયમી સભ્યપદ હોવું જોઈએ – જો બાઈડેન વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા(Harshvardhan Shirngla) એ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેને (US President Jo Biden) સ્પષ્ટપણે વ્યક્ત કર્યું કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળવું જોઈએ. બંને દેશો સહમત થયા કે આતંકવાદ એક મહત્વનો મુદ્દો છે. તે જ સમયે, બંને દેશો આતંકવાદ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે.

આ સિવાય બંને દેશો (ભારત-અમેરિકા) એ અફઘાનિસ્તાન (Afghanistan) માં આતંકવાદ સામે લડવાના મહત્વ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે તાલિબાનોએ UNSC ઠરાવ 2593 પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા રાખવી જોઈએ અને અફઘાન ભૂમિનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન કરવો જોઈએ. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ન્યૂયોર્ક જવા રવાના થશે. તેઓ આવતીકાલે સવારે UNGA ના 76 માં સત્રને સંબોધિત કરવાના છે.

આ પણ વાંચો: Quad Summit 2021: ક્વાડ દેશોની બેઠકમાં PM મોદીએ કહ્યું- હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સૌ સાથે મળી કરીશું કામ, બધાએ સાથે મળીને વિશ્વ માટે શાંતિ સ્થાપવી જોઈએ

આ પણ વાંચો: Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પીઆઇની શંકાસ્પદ ભૂમિકા બાદ આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરાઇ

JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
g clip-path="url(#clip0_868_265)">