AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: પાકિસ્તાની મૌલાનાનું વિવાદિત નિવેદન, ગુરુ નાનકે ઈસ્લામ સ્વીકાર્યો ન હતો, તેઓ સારા વ્યક્તિ ન બની શકે

ટ્વિટર પર પાકિસ્તાનના એક મૌલવીની ક્લિપ વાયરલ થઈ રહી છે. ક્લિપમાં મૌલવીને ગુરુ નાનક વિશે વાત કરતા સાંભળી શકાય છે. આ ક્લિપ એવા સમયે સામે આવી છે, જ્યારે ભારતની બહાર ખાલિસ્તાનને સમર્થન વધી રહ્યું છે. પાકિસ્તાનને હંમેશા ખાલિસ્તાન આંદોલનનું સમર્થક માનવામાં આવે છે.

Video: પાકિસ્તાની મૌલાનાનું વિવાદિત નિવેદન, ગુરુ નાનકે ઈસ્લામ સ્વીકાર્યો ન હતો, તેઓ સારા વ્યક્તિ ન બની શકે
પાકિસ્તાની મૌલાનાના વિવાદિત બોલImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 2:03 PM
Share

પાકિસ્તાનના એક મૌલવીની ક્લિપ હાલમાં ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. આ મૌલવી આ ક્લિપમાં શીખોના ગુરુ નાનક વિશે વાત કરી રહ્યા છે. ક્લિપમાં મૌલવી ગુરુ નાનક અને ઈસ્લામ વિશે ઘણી વાતો કહી રહ્યા છે. ઘણા લોકો મૌલવીની આ વીડિયો ક્લિપને ખાલિસ્તાની સમર્થકોના મોઢા પર થપ્પડ ગણાવી રહ્યા છે. મૌલવીના મતે ગુરુ નાનક સારા વ્યક્તિ ન હોઈ શકે કારણ કે તેમણે ન તો કલમા વાંચી હતી અને ન તો ઈસ્લામ સ્વીકાર્યો હતો.

શું છે આ ક્લિપમાં?

આ મૌલવી ક્લિપમાં કહી રહ્યા છે કે કેટલાક લોકો મને કહે છે કે ગુરુ નાનક બાબા ફરીદને ખૂબ પ્રેમ કરતા હતા. હું તેને કહું છું કે જો તે બાબા ફરીદને આટલો પ્રેમ કરતા હતા તો તેમણે કલમા કેમ ન વાંચી. તેઓ માત્ર એક જ દલીલ આપે છે કે ગુરુ નાનક અને બાબા ફરીદ પ્રત્યે અપાર પ્રેમ રાખવાથી કોઈ પણ વ્યક્તિ મુસ્લિમ બનતું નથી. સાચો મુસલમાન એ છે જે કલમાનો પાઠ કરે છે.

ગુરુ નાનક દેવનો પાકિસ્તાન સાથે ઘણો સારો સંબંધ રહ્યો છે. તેમનો જન્મ નનકાના સાહિબમાં થયો હતો અને આ જગ્યા પાકિસ્તાનમાં છે. ત્યાં રહીને તેમણે સપ્ટેમ્બર 1539માં પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ખાતે સમાધિ લીધી હતી અને ત્યા હવે કરતારપુર સાહિબ ગુરુદ્વારા છે, જ્યાં દર વર્ષે ભારતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાય છે.

કોણ હતા બાબા ફરીદ

આ ક્લિપમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે બાબા ફરીદ પર ગુરુ નાનક દેવ પર ઘણો પ્રભાવ હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે ગુરુ નાનકે આવા ઘણા પ્રતીકોનો ઉપયોગ કર્યો હતો, જે બાબા ફરીદ સાથે પણ જોડાયેલા હતા. પંજાબી સાહિત્ય અનુસાર ગુરુ નાનકને બીજા કવિ માનવામાં આવે છે.

આ પણ વાચો: UNમાં યુક્રેન મુદ્દે યોજાયેલ બેઠક પાકિસ્તાને ફરી J&Kનો મુદ્દો ઉઠાવતા ભારતે કાઢી ઝાટકણી

એવું કહેવાય છે કે ગુરુ નાનકની કવિતાઓએ બાબા ફરીદને ગુરુ ગ્રંથ સાહિબને સમજવામાં મદદ કરી હતી. બાબા ફરીદનું સાચું નામ શેખ ફરીદ હતું અને તેમને પંજાબી ભાષાના પ્રથમ કવિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ મુલતાન નજીક કોઠેવાલમાં થયો હતો.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">