AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ભારત આવવાથી પાકિસ્તાન ડરી ગયું?

હાલમાં પાકિસ્તાન આર્થિક કટોકટી સામે લડી રહ્યુ છે. મોંઘવારીથી લોકો પરેશાન છે અને ખાદ્ય ચીજ વસ્તુઓની અછત સર્જાઈ છે. આ સાથે જ રાજકીય સંકટે પણ મુશ્કેલીઓ વધારી છે. પાકિસ્તાનની હાલત નાદાર જેવી થઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના બેલઆઉટ પેકેજ પર નિર્ભર દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલતા અનુભવી રહ્યો છે.

Pakistan News: સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ભારત આવવાથી પાકિસ્તાન ડરી ગયું?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 8:01 PM
Share

G-20 સમિટમાં (G20 Summit) ભાગ લેવા માટે વિશ્વભરમાંથી અનેક રાષ્ટ્રાધ્યક્ષો ભારત આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો (Prince Mohammad Bin Salman) સમાવેશ થાય છે. તેના ભારત આવવાથી પાકિસ્તાનમાં (Pakistan) ભારે ગભરાટ છે. તેઓ 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ એક દિવસ ભારતમાં રોકાશે. ભારતે પણ તેમને રાજ્યની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે.

પાકિસ્તાનની મુલાકાત લઈ શકે

પાકિસ્તાન સાઉદી અરેબિયાના પ્રિન્સ સલમાનને ભારતથી પરત ફરતી વખતે પાકિસ્તાનમાં જ રોકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ ઓફિસના સૂત્રોએ આ શક્યતાને નકારી નથી. પાકિસ્તાન પ્રિન્સને પોતાના દેશની મુલાકાતે આવે તે માટે પ્રયત્નો કરી રહ્યું છે. એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે, સાઉદી ક્રાઉન પ્રિન્સ તેમની ભારત મુલાકાત દરમિયાન પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે.

શું સાઉદી અરેબિયાના પ્રિન્સ સલમાન પાકિસ્તાન જશે?

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન બંને આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે. પાકિસ્તાની સૂત્રનું કહેવું છે કે, કે બંને દેશો પ્રિન્સની પાકિસ્તાનની મુલાકાતને સીક્રેટ રાખવાનું ઈચ્છે છે. ક્રાઉન પ્રિન્સ G-20 સમિટ બાદ એક દિવસ ભારતમાં રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, આ કારણથી જ પાકિસ્તાન માટે સાઉદી અરેબિયાના પ્રિન્સ પાકિસ્તાનની મુલાકાત લે તે વધુ મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : Pakistan News: સાઉદી ક્રાઉન પ્રિન્સે ફરી પોતાનો પ્રવાસ રદ કર્યો, G-20 સમિટ પહેલા બુધવારે જવાના હતા પાકિસ્તાન

પાકિસ્તાનને લાગ્યો ડર

હાલમાં પાકિસ્તાન આર્થિક કટોકટી સામે લડી રહ્યુ છે. મોંઘવારીથી લોકો પરેશાન છે અને ખાદ્ય ચીજ વસ્તુઓની અછત સર્જાઈ છે. આ સાથે જ રાજકીય સંકટે પણ મુશ્કેલીઓ વધારી છે. પાકિસ્તાનની હાલત નાદાર જેવી થઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના બેલઆઉટ પેકેજ પર નિર્ભર દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલતા અનુભવી રહ્યો છે.

અમેરિકા સહિતના ઘણા દેશ ભારત-પાકિસ્તાન વચ્ચેના અણબનાવ મુદ્દે નિવેદનો આપતા હતા. પરંતુ હવે આ દેશો ભારત સાથેના સંબંધો મજબૂત કરવા પર વિચાર કરી રહ્યા છે. તેથી પાકિસ્તાન આ બાબતે ચિંતિત છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">