AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો ! હાફિઝ સઈદના નજીકના સાથીને પહોચાડ્યો જન્નતમાં, જુઓ CCTV Video

પાકિસ્તાનના કરાચીમાં લશ્કરના વડા હાફિઝ સઈદના નજીકના સહયોગીને અજ્ઞાન લોકોએ ગોળી મારી હતી. બાદમાં તેનું મૃત્યુ થયું હતું. મુફ્તી કૈસર ફારૂક લશ્કરના સહ-સ્થાપક હતો. તે રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે એક બાઇક સવારે તેને ગોળી મારી દીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Pakistan News : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો ! હાફિઝ સઈદના નજીકના સાથીને પહોચાડ્યો જન્નતમાં, જુઓ CCTV Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 1:02 PM
Share

Pakistan News: ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં માર્યો ગયો છે. લશ્કર-એ-તૈયબાનો વડો હાફિઝ સઈદનો નજીકનો સહયોગી મુફ્તી કૈસર ફારૂક માર્યા ગયો છે. મુફ્તી કૈસર ફારૂક ભારત વિરોધી પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સહ-સ્થાપક હતા. તે લશ્કર ચીફ હાફિઝ સઈદનો નજીક રહ્યો છે. હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી ઝિયા ઉર રહેમાન કરાચીમાં જ માર્યો ગયો હતો.

આ પણ વાંચો: Pakistan News : આતંકવાદી હુમલા રોકવામાં નિષ્ફળ પાકિસ્તાન, હવે ભારતને કરી રહ્યું છે બદનામ

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના કરાચી શહેરમાં ભારતના અન્ય એક મોટા દુશ્મન મુફ્તી કૈસર ફારુકની એક અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી છે. મુફ્તી કૈસર ફારૂક ભારત વિરોધી પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સહ-સ્થાપક હતો અને હાફિઝ સઈદના નજીકનો હતો. આ હત્યા એ સમયે થઈ જ્યારે મુફ્તી કૈસર ફારુક ચાલી રહ્યો હતો, ત્યારે અજાણ્યા લોકોએ તેને ઘણી ગોળીઓ મારીને ઘાયલ કરી દીધો હતો.

આ હત્યા મુફ્તી કૈસર ફારુકને ખતમ કરવાનો મોટો મામલો છે અને હાફિઝ સઈદ માટે આ એક મોટો ફટકો હશે. હાફિઝ સઈદ મુખ્ય આતંકવાદી છે અને તેના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ લશ્કર-એ-તૈયબાએ ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા છે. આ હત્યા પાછળ અજાણ્યા લોકોના આતંકવાદી પ્લેટફોર્મનો હેતુ અને તેમની પ્રવૃત્તિઓની ભૂમિકા શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

બાઇક સવારે તેના પર ગોળીબાર કર્યો

મુફ્તી કૈસર ફારૂકની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં કેટલાક લોકો રસ્તા પર જતા જોવા મળી રહ્યા છે. સીસીટીવી અનુસાર, આ ફૂટેજમાં મુફ્તી કૈસર ફારૂક સફેદ કુર્તો અને પાયજામા પહેરીને રસ્તા પર જતો જોવા મળે છે. આ દરમિયાન બાઇક સવારે તેના પર ગોળીબાર કર્યો હતો. તે ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ ગોળી વાગ્યા બાદ તે ત્યાં પડી જાય છે અને તેની સાથે ચાલનારા ત્યાથી ભાગી જાય છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
g clip-path="url(#clip0_868_265)">