પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં વિસ્ફોટ, બે પોલીસ અધિકારીઓ સહિત પાંચના મોત

|

Sep 15, 2022 | 9:42 PM

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે સ્વાત જિલ્લાના કબાલ તહસીલની શાંતિ સમિતિના સભ્ય અને ગ્રામીણ સંરક્ષણ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ ઇદ્રિસ ખાનના વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. બડા બંદાઈ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં ખાન, તેના સુરક્ષા ગાર્ડ અને બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં વિસ્ફોટ, બે પોલીસ અધિકારીઓ સહિત પાંચના મોત
Pakhtunkhwa In Blast
Image Credit source: PTI

Follow us on

પાકિસ્તાનમાં (Pakistan)આતંકી હુમલાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અશાંત ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa )જિલ્લામાં મંગળવારે એક વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોતના અહેવાલ છે. આ બ્લાસ્ટમાં (Blast) શાંતિ સમિતિના એક સભ્ય અને બે પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે સ્વાત જિલ્લાના કબાલ તહસીલની શાંતિ સમિતિના સભ્ય અને ગ્રામીણ સંરક્ષણ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ ઇદ્રિસ ખાનના વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. બડા બંદાઈ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં ખાન, તેના સુરક્ષા ગાર્ડ અને બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

મુખ્યમંત્રી મહેમૂદ ખાને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તે જ સમયે, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્ય પ્રધાન મહમૂદ ખાને આ ઘટનાની નિંદા કરી છે અને વિગતવાર અહેવાલ માંગ્યો છે, તેમણે કહ્યું કે જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકી દળોની હકાલપટ્ટી બાદ તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો ત્યારથી પાકિસ્તાનને નિશાન બનાવતા હુમલામાં વધારો જોવા મળ્યો છે.

અગાઉ પણ વિસ્ફોટ થયા છે

અગાઉ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદ નજીકના વિસ્તારમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો માર્યા ગયા હતા અને લગભગ છ લોકો ઘાયલ થયા હતા. પેશાવરમાં જ 4 માર્ચ 2022ના રોજ મસ્જિદ પર હુમલો થયો હતો, જેમાં 57 લોકોના મોત થયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા. લોકો શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. પાકિસ્તાનમાં દરરોજ બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બને છે, જેમાં લોકો જીવ ગુમાવે છે. આ વર્ષે માર્ચમાં બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં પોલીસ વાન પાસે બોમ્બ વિસ્ફોટ થતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. જ્યારે અન્ય 24 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ક્વેટાના ફાતિમા જીન રોડ પર થયો હતો. ગુપ્તચર માહિતી અનુસાર વિસ્ફોટમાં બેથી અઢી કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Published On - 9:42 pm, Thu, 15 September 22

Next Article