જેલમાં બંધ છતાં ઈમરાન ખાને પાકિસ્તાનની રાજનીતિમાં મચાવ્યો ખળભળાટ, શું તખ્તાપલટની થઈ રહી છે તૈયારી ?
ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરાવવા માટે સમર્થકો ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન 6 સુરક્ષાકર્મીઓના મોત થયા હતા. આ પછી સેનાના ગોળીબારમાં કેટલાક લોકોના મોત થયાના પણ અહેવાલ છે. ત્યારેૃ પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર તખ્તાપલટની અફવાઓ તેજ થઈ ગઈ છે.

પાકિસ્તાન ફરી એકવાર રાજકીય અસ્થિરતાના વમળમાં ફસાઈ ગયું છે. પાકિસ્તાનની રાજધાનીમાં ઈમરાન ખાનના સમર્થકોના ઉગ્ર પ્રદર્શનથી ગભરાયેલી સરકારે સેના તૈનાત કરી દીધી હતી. આ વિરોધ પ્રદર્શનમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન ગુરુવારે બલૂચિસ્તાન એસેમ્બલીમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરાવવા માટે સમર્થકો ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન 6 સુરક્ષાકર્મીઓના મોત થયા હતા. આ પછી સેનાને પણ ખુલ્લોદોર આપવામાં આવ્યો હતો. જેમાં ગોળીબારમાં કેટલાક લોકોના મોત થયાના પણ અહેવાલ છે. એવું કહેવાય છે કે આ પ્રદર્શનની લગામ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના હાથમાં હતી. ઈમરાન ખાન પોતે હાલ જેલમાં છે. function loadTaboolaWidget() { ...
