Pakistan: ઈમરાનની પાર્ટીના બળવાખોર ધારાસભ્યોને ચૂંટણી પંચે ગણાવ્યા ‘અયોગ્ય’, શાહબાઝના પુત્ર હમઝાની ખુરશી ખતરામાં!

|

May 21, 2022 | 7:07 AM

ઈમરાન ખાનની ( Imran Khan) પાર્ટી PTIના 25 ધારાસભ્યોના મતે હમઝા શરીફને પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત પંજાબમાં બહુમતી મેળવવામાં મદદ કરી, તેથી જ તેઓ CM બન્યા.

Pakistan: ઈમરાનની પાર્ટીના બળવાખોર ધારાસભ્યોને ચૂંટણી પંચે ગણાવ્યા અયોગ્ય, શાહબાઝના પુત્ર હમઝાની ખુરશી ખતરામાં!
Imran Khan and shehbaz sharif (File Photo)
Image Credit source: File Photo

Follow us on

પાકિસ્તાનના ચૂંટણી પંચે (Election Commission) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (IMran Khan) પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના 25 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. આ ધારાસભ્યો પર ગયા મહિને પંજાબ પ્રાંતની વિધાનસભામાં મુખ્યમંત્રીની પસંદગી માટે પાર્ટીના નિર્દેશ વિરુદ્ધ મતદાન કરવાનો આરોપ હતો. જેના કારણે ધારાસભ્યોને હવે ‘પોતાના હોદ્દા પરથી દૂર’ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે ગયા મહિને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હમઝા શાહબાઝની તરફેણમાં મતદાન કરવા બદલ 25 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

આ કારણે PTI પાર્ટીના ધારાસભ્યોને ગણાવ્યા અયોગ્ય

ચૂંટણી પંચે તેના સર્વસંમતિથી નિર્ણયમાં જણાવ્યું હતું કે પીટીઆઈના સભ્યોએ બંધારણની (Constitution) કલમ 63-A હેઠળ “ક્ષતિપૂર્ણ” કાર્ય કર્યું હતું, તેથી તેઓએ “પદ છોડવું પડશે” જો કે તેમણે બેઠકો ગુમાવી છે, પરંતુ પીટીઆઈના આ સભ્યો આ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાગ લઈ શકે છે.ઉલ્લેખનીય છે કે પંચે 17 મેના રોજ આ મામલે નિર્ણય અનામત રાખ્યો હતો. દૂર કરાયેલા ધારાસભ્યો એક મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. તમને જણાવવું રહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલત પાસે આ મામલાની સુનાવણી માટે 90 દિવસનો સમય હશે.

શાહબાઝના પુત્ર હમઝાની CMની ખુરશી ખતરામાં!

પાકિસ્તાનના બંધારણની કલમ 63-A, વડાપ્રધાન અથવા મુખ્યપ્રધાનની ચૂંટણીમાં (Election) સાંસદોને વિશ્વાસ મત અથવા અવિશ્વાસના મત પર પક્ષના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને મતદાન કરવા પર પ્રતિબંધ મૂકે છે. તમને જણાવી દઈએ કે કલમ 63-A પક્ષપલટા પર સાંસદોને ગેરલાયક ઠેરવવા સાથે સંબંધિત છે, જેની જાહેરાત આ સપ્તાહની શરૂઆતમાં કરવામાં આવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના પુત્ર હમઝા શાહબાઝના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોના મત ગણી શકાય નહીં એવો ચુકાદો આપ્યો હતો. તેથી હાલ શાહબાઝની ખુરશી પર ખતરો તોળાઈ રહ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પદ માટેની ચૂંટણીમાં હમઝા શાહબાઝને(Hamza Shebaz sharif)  કુલ 197 વોટ મળ્યા જ્યારે બહુમત માટે 186 વોટની જરૂર હતી. પીટીઆઈના 25 બળવાખોર ધારાસભ્યોના મતે હમઝાને પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત પંજાબમાં બહુમતી મેળવવામાં મદદ કરી. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ચૂંટણી પંચના નિર્ણયથી પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઊંડું થશે. જેના કારણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પણ ટૂંક સમયમાં યોજાનારી ચૂંટણી માટે પણ દબાણ કરી શકશે.

Next Article