AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ આફ્રિકામાં Omicronનો પ્રકોપ! રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ થયા સંક્રમિત, 24 કલાકમાં નોંધાયા કોરોનાના 37000થી વધુ કેસ

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી છે.

દક્ષિણ આફ્રિકામાં Omicronનો પ્રકોપ! રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ થયા સંક્રમિત, 24 કલાકમાં નોંધાયા કોરોનાના 37000થી વધુ કેસ
Cyril Ramaphosa
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 5:01 PM
Share

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા (Cyril Ramaphosa) કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમને ચેપના હળવા લક્ષણો છે. તેમની ઓફિસે રવિવારે આ જાણકારી આપી. રાષ્ટ્રપતિ રામફોસા એવા દિવસે સંક્રમિત જોવા મળ્યા છે જ્યારે દેશમાં સંક્રમણના 37,875 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસ પહેલા કેસની સંખ્યા 17,154 હતી.

મંત્રી મોન્ડાલી ગુંગુબેલેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રમુખ રામફોસાએ અગાઉ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એફડબ્લ્યુ ડી ક્લાર્કના સન્માનમાં એક કાર્યક્રમમાંથી બહાર નીકળ્યા પછી અસ્વસ્થતા અનુભવવા લાગી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ઠીક છે અને દક્ષિણ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સની દક્ષિણ આફ્રિકન હેલ્થ સર્વિસ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિનું રસીકરણ થઈ ગયું છે. તે હાલમાં કેપટાઉનમાં ક્વોરેન્ટાઇનમાં છે.

ઉપપ્રમુખે જવાબદારી સંભાળી

આગામી સપ્તાહ માટે ઉપરાષ્ટ્રપતિ ડેવિડ માબુઝાને તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે. મંત્રી મોંડાલી ગુંગુબેલેએ કહ્યું કે, રાષ્ટ્રપતિ રામફોસાએ લોકોને રસી લેવા અને સાવચેતી રાખવા ચેતવણી આપી છે. રામફોસાના સંપર્કમાં આવેલા લોકોને કોવિડ-19 ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

રામફોસાને આ સપ્તાહના અંતમાં કોરોના કમાન્ડ કાઉન્સિલ તરફથી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવનાર હતી કારણ કે, દેશમાં રોગચાળાના ચોથા મોજામાં ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેની પાછળનું કારણ ઓમિક્રોન હોવાનું માનવામાં આવે છે, જે કોરોના વાયરસનું એક સ્વરૂપ છે. જેની ઓળખ ત્રણ અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત કરવામાં આવી હતી.

પીએમ મોદીએ કર્યું ટ્વીટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે. “મારા મિત્ર સિરિલ રામફોસાના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા,”

આ પણ વાંચો: Mahindra Group ની આ કંપની મોટી સંખ્યામાં ભરતી કરશે, 1 વર્ષમાં 300 ફ્રેશર્સ સહીત 600 લોકોને રોજગારી અપાશે

આ પણ વાંચો: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં 300 જગ્યાઓ માટે ભરતી, ITI અને ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે અરજી

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">