ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ગુરુવારે ન્યુઝીલેન્ડના પીએમ જેસિંડા અર્ડર્ને આ અસ્થાયી પ્રતિબંધની જાહેરાત કરી છે. જેસિંડા અર્ડર્ને કહ્યું કે 11 એપ્રિલથી ભારતથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ન્યુઝીલેન્ડે કોરોના કેસોમાં ઝડપથી વધારાને કારણે આ નિર્ણય લીધો છે. આ પહેલા પણ ન્યુઝીલેન્ડે અન્ય ઘણા દેશોના મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ ન્યુઝીલેન્ડે ભારતીયોના પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તે પછી તે નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર નવી લહેરના આતંકના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાયટર્સના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન ન્યુઝીલેન્ડના તેના નાગરિકોના પ્રવેશ પણ પ્રતિબંધ કરવામાં આવશે. જેઓ ભારતથી આવતા હશે. આ પ્રતિબંધ 11 એપ્રિલના રોજ સાંજે 4 થી 28 એપ્રિલ સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન સરકાર પ્રવાસ દરમિયાન જોખમ સંચાલનને મજબૂત બનાવવા માટે કામ કરશે. આ હંગામી પ્રતિબંધ ન્યુઝીલેન્ડ દ્વારા એવા સમયે લાદવામાં આવી રહ્યો છે જ્યારે છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં દરરોજ 1 લાખથી વધુ નવા કોરોના કેસ મળી રહ્યા છે.
દેશમાં કોરોના ચેપનો કુલ આંક હવે 12 કરોડને વટાવી ગયો છે. ભારતમાં બીજી લહેરના કારણે છેલ્લા એક મહિનામાં પ્રથમ તરંગ કરતા વધુ પાયમાલી સર્જાઈ છે. પ્રતિબંધના દિવસો વિવિધ શહેરોમાં પાછા ફર્યા છે. મુંબઇથી લઈને દિલ્હી અને ગુજરાતના અનેક શહેરોમાં અલગ અલગ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. ક્યાંક કોરોના સાથે લડવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જ્યારે અમુક જગ્યાએ નાઇટ કર્ફ્યુ અને સેક્શન 144 જેવા કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મુંબઈમાં કોરોના વધ્યો તો બોલ્યા રાજ ઠાકરે – “અન્ય રાજ્યોના પ્રવાસી મજૂર જવાબદાર છે”
આ પણ વાંચો: મુસ્લિમ મતદારોને અપીલ કરવા બદલ ચૂંટણી પંચે મમતા બેનર્જીને મોકલી નોટિસ, 48 કલાકમાં જવાબ આપવા કહ્યું