જાણો એ લડાઈ વિશે જ્યારે ભારતીય સેનાએ ચીનની સેનાને ધૂળ ચટાડી દીધી હતી!

|

Sep 28, 2020 | 2:53 PM

ચીન સતત ભારતને 1962નું યુદ્ધ યાદ કરાવીને ધમકી આપે છે. જો કે આ યુદ્ધ પછીના ભારતના સૈન્યના સાહસની વાત ચીન નહીં કરે. એક લડાઈ એવી પણ ભારત અને ચીન વચ્ચે થઈ હતી જેમાં ચીનના 300 સૈનિકો માર્યા ગયા હતા અને ભારતના 65 સૈનિકો શહીદ થયા હતા. ભારતની રણનીતિથી ચીનને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો […]

જાણો એ લડાઈ વિશે જ્યારે ભારતીય સેનાએ ચીનની સેનાને ધૂળ ચટાડી દીધી હતી!

Follow us on

ચીન સતત ભારતને 1962નું યુદ્ધ યાદ કરાવીને ધમકી આપે છે. જો કે આ યુદ્ધ પછીના ભારતના સૈન્યના સાહસની વાત ચીન નહીં કરે. એક લડાઈ એવી પણ ભારત અને ચીન વચ્ચે થઈ હતી જેમાં ચીનના 300 સૈનિકો માર્યા ગયા હતા અને ભારતના 65 સૈનિકો શહીદ થયા હતા. ભારતની રણનીતિથી ચીનને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ પણ વાંચો : ગલવાન ઘાટીમાં ચીનની કાયરતા, જાણો કેવી રીતે 1962માં પણ ભારતની સાથે કર્યો હતો વિશ્વાસઘાત?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

1962ની લડાઈ બાદ ભારત અને ચીન બંને દેશએ પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. 1962 બાદ ભારતીય સેનાના અધિકારીઓએ નક્કી કર્યું કે કાંટાળી વાડ સરહદ પર લગાવવામાં આવે તો તણાવ ઓછો થઈ શકે. 11 સપ્ટેમ્બર, 1967ના રોજ સવારે વાડ લગાવવાનું કામ શરુ કરવામાં આવ્યું. આ વાડ નાથુલાથી લઈને સેબુલા સુધી લગાવવાની હતી. 70 ફિલ્ડ કંપનીના એન્જિનિયર્સની મદદથી વાડ લગાવવાની શરૂઆત કરવામાં આવી. જ્યારે 2 ગ્રેનેડિયર્સ અને સેબુ લા પોસ્ટના સૈનિકોને કહેવામાં આવ્યું કે કોઈપણ અપ્રિય ઘટના ઘટે તો તેઓ કાર્યવાહી માટે તૈયાર રહે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેવું વાડ લગાવવાનું કામ શરૂ થયું ચીનના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા. ભારતીય સેનાના કમાન્ડિંગ ઓફિસર કર્નલ રાયસિંહને કહેવામાં આવ્યું કે કાંટાળી વાડ લગાવવાનું બંધ કરવામાં આવે. જો કે ભારત તરફથી આદેશ હતો કે ચીનની કોઈપણ વિનંતી સ્વીકાર્યા વગર કામ ચાલુ રાખવું. આ વાતચીતમાં જ ચીનની સૈનાએ મશીનગન ફાયરિંગ શરૂ કરી દીધું. કર્નલ રાયને 3 ગોળીએ વાગી અને તેઓ ઢળી પડ્યા હતા. ભારતીય સેનાના જવાન જે પણ ખુલ્લામાં હતા તેઓ ચીનના સૈન્યના ગોળીબારમાં શહીદ થયા.

 

જ્યારે સગત સિંહે જોયું કે ચીન તરફથી આક્રમક રીતે ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેઓએ તોપનો મારો ચલાવવાનો આદેશ આપ્યો. ભારત તરફથી કરવામાં આવેલાં તોપમારામાં ચીનના 300 સૈનિક માર્યા ગયા. બાદમાં આ લડાઈ બે દિવસ સુધી ચાલી. ભારતે વધારે તોપ મગાવી અને ચીનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતીય સેના ઉંચાઈ પર હોવાથી ભારતને ફાયદો થયો. તોપનું નિશાન ચીનની સેનાના ઠેકાણા પર અચૂક વાગતું હતું. જ્યારે ભારતીય સૈનિકો ઉંચાઈ પર હોવાથી ચીનની તોપ  વધારે કશું બગાડી શકી નહી.

જ્યારે યુદ્ધવિરામ થયો ત્યારે ચીને આરોપ લગાવ્યો કે ભારતે ચીનના ક્ષેત્રમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આમ ભારતીય સેનાએ ચીનની સામે એ લડાઈ હતી જેમાં ચીનને વધારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. આ લડાઈ બાદ ચીનના વધુ સૈનિકો ભારત કરતાં માર્યા ગયા. આજેપણ ભારતીય સેનાના જવાનો આ લડાઈને યાદ કરે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:47 pm, Tue, 16 June 20

Next Article