Queen Elizabeth Net Worth : એલિઝાબેથ દ્વિતિય કેટલી સંપત્તિ છોડીને ગયા? જાણો કેટલી હતી તેની આવક

|

Sep 09, 2022 | 2:52 PM

મહારાણીના (Queen Elizabeth) આવકના મુખ્ય સ્ત્રોત વિશે વાત કરીએ તો, તેમને સરકાર તરફથી વાર્ષિક સોવેરીન ગ્રાન્ટ પ્રાપ્ત થતું હતું. તેમની આવકની રકમ 2021 અને 2022માં $86 મિલિયન હતી. આ આવક રાજવી પરિવારને પ્રવાસ, મિલકતની જાળવણી તેમજ મહેલના ખર્ચ માટે આપવામાં આવે છે.

Queen Elizabeth Net Worth : એલિઝાબેથ દ્વિતિય કેટલી સંપત્તિ છોડીને ગયા? જાણો કેટલી હતી તેની આવક
Queen Elizabeth II

Follow us on

બ્રિટનની (Britain) મહારાણી એલિઝાબેથનું (Queen Elizabeth) 96 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના સ્વાસ્થ્યને લઈને ડૉક્ટર ચિંતિત હતા. તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ માહિતી બકિંગહામ પેલેસને (Buckingham Palace) લઈને આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, “મહારાણી એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે તેમના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી. તેમના મૃત્યુથી હું દુઃખી છું. આ દુઃખના સમયે મારા વિચારો તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે.” મહરાણી એક એવા વ્યક્તિ હતા જેને વિદેશ પ્રવાસ માટે કોઈ પાસપોર્ટ કે વિઝાની જરૂર પડતી નહોતી.

આવી રીતે આવતી હતી રકમ

રાણી એલિઝાબેથ (Queen Elizabeth)ને વાર્ષિક લમ્પસમ રકમ મળે છે, જે સરકાર દ્વારા ‘સોવેરીન ગ્રાન્ટ’ કહેવાય છે. મહારાણીની આવક સોવેરીન ગ્રાન્ટ નામના કરદાતા ભંડોળમાંથી આવતી હતી. બ્રિટનની મહારાણી એલિઝાબેથ માટે આવકના ત્રણ મુખ્ય સ્ત્રોત હતા. સોવેરીન ગ્રાન્ટ, પ્રિવી પર્સ અને એમની અંગત મિલકતમાંથી થતી આવક, જે દર વર્ષે બ્રિટિશ રોયલ્ટીને મળતી હતી. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ ગ્રાન્ટ શું છે..??

હકીકતમાં તે રાજા જ્યોર્જ ત્રીજા દ્વારા કરવામાં આવેલા કરારથી શરૂ થયું છે. તેણે પોતાની આવક પોતાને અને ભાવિ પેઢીઓને વાર્ષિક ચૂકવવા માટે સોંપી દીધી. અગાઉ તેને સિવિલ લિસ્ટ કહેવામાં આવતું હતું. 2012માં તેને સોવેરીન ગ્રાન્ટ કહેવામાં આવતું હતું. તેમની આવકની રકમ 2021 અને 2022માં $86 મિલિયન રાખવામાં આવી હતી. આ આવક રાજવી પરિવારને પ્રવાસ, મિલકતની જાળવણી તેમજ મહેલના ખર્ચ માટે આપવામાં આવે છે. જો કે, રાણીને વાર્ષિક પગાર મળતો નથી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મહારાણીની સંપત્તિ હવે કોની થશે…?

સુત્રોના અહેવાલ મુજબ, મહારાણી $500 મિલિયનની સંપત્તિ છોડીને ગયા છે. આ તેને 70 વર્ષ શાસન કરીને મેળવી હતી અને આ ગાદી પ્રિન્સ ચાર્લ્સને મળશે. પરંતુ, હાલ મિલકતનું શું થશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને ‘રોયલ ફર્મ’ સાથે પણ જોડવામાં આવી રહી છે. તે $28 બિલિયનનું સામ્રાજ્ય છે, જેને કિંગ જ્યોર્જ VI અને પ્રિન્સ ફિલિપ જેવા શાહી પરિવારના સભ્યોએ ‘ફેમિલી બિઝનેસ’ તરીકે વર્ણવ્યું છે.

આ પેઢીને મોનાર્કી PLC તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હાઉસ ઓફ વિન્ડસરના વરિષ્ઠ સભ્યો અને લોકોનું એક જૂથ છે, જેનું નેતૃત્વ રાણી કરે છે. આ દ્વારા યુકેના અર્થતંત્રમાં કાર્યક્રમો અને પ્રવાસન દ્વારા મોટી રકમ એકત્ર કરવામાં આવી હતી. ક્રાઉન એસ્ટેટમાંથી મળેલી આવકમાં રાણીના ઓફિશિયલ ખર્ચને પહોંચી વળવા માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે.

ક્રાઉન એસ્ટેટ શું છે?

તેમાં લંડનની રીજન્ટ સ્ટ્રીટ, યુકેના દરિયા કિનારાઓ સહિતનો સમાવેશ થાય છે. સમગ્ર યુકેમાં 14.1 બિલિયન પાઉન્ડની રિયલ એસ્ટેટનું સંચાલન ક્રાઉન એસ્ટેટ તેના શાસનકાળ દરમિયાન ક્વીન પાસે રહે છે. જો કે, તે રાણીની ખાનગી મિલકત નથી.

રાણીની પોતાની મિલકત

અહેવાલ છે કે, રાણી પાસે $500 મિલિયનથી વધુની વ્યક્તિગત સંપત્તિ હતી. જે તેણે રોકાણ, આર્ટ કલેક્શન, જ્વેલરી અને રિયલ એસ્ટેટ દ્વારા હસ્તગત કરી હતી. હવે તેના મૃત્યુ બાદ તેનો મોટાભાગનો ભાગ પ્રિન્સ ચાર્લ્સ પાસે જશે. રાણીને રાણી માતા પાસેથી લગભગ $70 મિલિયન પણ મળ્યા હતા. વર્ષ 2002માં રાણી માતાનું અવસાન થયું હતું. પૈસા ઉપરાંત તેને પેઇન્ટિંગ્સ, સ્ટેમ્પ કલેક્શન, ફાઇન ચાઇના, જ્વેલરી, ઘોડા સહિત અન્ય ઘણી વસ્તુઓ પણ મળી હતી.

Next Article