AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khalistan: Pakistanમાં ઠાર મરાયો ખાલિસ્તાની કમાન્ડો પરમજીત સિંહ પંજવાર, ભારતમાં હતો વોન્ટેડ

અલગતાવાદી જૂથ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના ચીફ પરમજીત સિંહ પંજવારની લાહોરમાં હત્યા કરવામાં આવી છે. તે ઘણા સમયથી ભારતમાં વોન્ટેડ હતો. તે આઈએસઆઈનો નજીકનો માનવામાં આવતો હતો.

Khalistan: Pakistanમાં ઠાર મરાયો ખાલિસ્તાની કમાન્ડો પરમજીત સિંહ પંજવાર, ભારતમાં હતો વોન્ટેડ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 7:30 PM
Share

પાકિસ્તાનના લાહોરમાં ખાલિસ્તાની કમાન્ડો માર્યો ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલગતાવાદી જૂથ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ના ચીફ પરમજીત સિંહ પંજવારની શનિવારે સવારે લાહોરની સનફ્લાવર સોસાયટી જોહર ટાઉનમાં હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: 36 દિવસ સુધી ફરાર થયા બાદ ધરપકડ જાણો કોણ છે અમૃતપાલના ખાલિસ્તાની કાવતરાના 9 માસ્ટરમાઇન્ડ

અલગતાવાદી નેતા પરમજીત સિંહ પંજવાર ભારતમાં ઘણા લાંબા સમયથી વોન્ટેડ હતો. તેના પર હત્યા અને હથિયારોની દાણચોરીને પુનર્જીવિત કરવા સહિત ભારતમાં શીખ ઉગ્રવાદમાં વધારો કરવાનો આરોપ છે.

પરમજીત સિંહ પંજવાર ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એએસ વૈદ્યની હત્યા અને લુધિયાણામાં દેશની સૌથી મોટી બેંક લૂંટમાં પણ વોન્ટેડ હતો. લાહોરમાં થયેલા હુમલામાં પરમજીત સિંહ પંજવારના બે અંગરક્ષકો પણ માર્યા ગયા હતા. હુમલાખોરો દ્વારા આ બંને અંગરક્ષકોની હત્યા કરવામાં આવી હતી. અલગતાવાદી નેતા પરમજીત એક સમયે પાકિસ્તાનની કુખ્યાત આઈએસઆઈની ખૂબ નજીક હતો. સુરક્ષા દળોનું માનવું છે કે આ હત્યાકાંડ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની છબી સુધારવામાં ઘણી મદદ કરશે.

1986માં KCFમાં જોડાયો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજવાર પંજાબના તરનતારન જિલ્લાના પંજવાર ગામનો રહેવાસી હતો. 1986 સુધી તેણે સોહલમાં સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પણ કામ કર્યું. આ પછી તે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સમાં જોડાયો. જે સમયે પંજવાર કેસીએફમાં જોડાયા હતા, તે સમયે તેના કમાન્ડર લાભ સિંહ હતા, જેનો પંજવાર પર ઘણો પ્રભાવ હતો. લાભ સિંહ પરમજીત સિંહ પંજવારનો પિતરાઈ ભાઈ હતો. કહેવાય છે કે પંજવારની પત્ની અને બાળકો જર્મનીમાં રહે છે.

KCFનો હેતુ શું છે?

KCFનો ઉદ્દેશ્ય તમામ અલગતાવાદી ખાલિસ્તાની આતંકવાદી જૂથોને એક કરવાનો છે. તે તેમને એક કરીને ‘શીખ હોમલેન્ડ’ બનાવવા માંગે છે. આ સંસ્થામાં ત્રણ-સ્તરની સિસ્ટમ છે, જ્યાં સત્તાઓ વહેંચાયેલી છે. જેમાં પંથક સમિતિના સભ્યો પ્રથમ અને બીજા સ્તરનું નેતૃત્વ સંભાળે છે. KCFના ત્રીજા સ્તરમાં મુખ્યત્વે ઓલ ઈન્ડિયા શીખ સ્ટુડન્ટ્સ ફેડરેશન (AISSF) ના કેડરનો સમાવેશ થાય છે.

અમેરિકામાંથી પણ ભંડોળ મળે છે

આ અલગતાવાદી સંગઠન વિશે કહેવાય છે કે તેની હાજરી કેનેડા, બ્રિટન અને પાકિસ્તાનમાં છે. તેને પશ્ચિમ યુરોપ અને અમેરિકામાંથી પણ ભંડોળ મળે છે. આ ભંડોળ સામાન્ય રીતે તે લોકો પાસેથી આવે છે, જેઓ સંસ્થાની વિચારધારામાં વિશ્વાસ રાખે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">