
સંયુક્ત રાષ્ટ્ર સંધમાં ભારતના પ્રતિનિધિ અનુપમા સિંહે, પાકિસ્તાનના આરોપોને ફગાવતા,આરોપીના પિંજરામાં ઊભુ કરી દીધુ હતુ. તેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ પર ભારતનું વલણ સ્પષ્ટ છે. એક તરફ પાકિસ્તાન આતંકવાદની નિકાસ કરે છે અને બીજી તરફ સદ્ભાવના પર આધારિત સંધિના લાભો મેળવે છે તે અતાર્કિક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 1960 ની સંધિ જૂની થઈ ગઈ છે. વિશ્વ બદલાઈ રહ્યું છે, અને કોઈ પણ તકનીકી વ્યવસ્થા સમય જતાં સ્થિર રહી શકતી નથી. આ છ દાયકા જૂની સંધિ આજની વાસ્તવિકતાઓથી અલગ થઈ શકતી નથી.
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં 26 નિર્દોષ પ્રવાસીના મોત થયા હતા. આ હુમલા બાદ, ભારતે સિંધુ જળ સંધિને પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ ના કરે ત્યાં સુધી સ્થગિત કરી દીધી છે. સત્તાવાર માહિતી અનુસાર, પાકિસ્તાન તેની 80 ટકા ખેતી અને 93 ટકા પાણીની જરૂરિયાતો માટે સિંધુ નદી પ્રણાલી પર આધાર રાખે છે.
સચિવ અનુપમા સિંહે પાકિસ્તાનને તેના આંતરિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી. તેમણે ટિપ્પણી કરી કે ભારતીય પ્રદેશો પર લાલચુ નજર નાખવાને બદલે, પાકિસ્તાને તેની પોતાની સરહદોની અંદર પરિસ્થિતિ સુધારવી જોઈએ. તેમણે પાકિસ્તાનને ‘ફ્રેન્કેસ્ટાઇન રાજ્ય’ ગણાવ્યું હતું. ભારતે કહ્યું કે, પાકિસ્તાન કટ્ટરવાદ, આંતકવાદી જૂથનુ પાલન પોષણ કરે છે. જ્યારે આ કટ્ટરવાદી આતંકવાદનો રાક્ષસ પાકિસ્તાનને ભરખવા દોડે છે ત્યારે પાકિસ્તાન હેરાન પરેશાન થઈ ઉઠે છે. પાકિસ્તાનના રક્ષા પ્રધાન આતંકીઓને તાલીમ આપવા અંગેની વાતને ગર્વભેર સ્વીકાર કરે છે. અને બીજી બાજુ આતંકવાદથી પીડિત હોવાનો ઢોલ પીટે છે. જે પાકિસ્તાનના બેવડા ચહેરા ઉજાગર કરે છે.
#WATCH | First Secretary at the Permanent Mission of India to the United Nations, Anupama Singh says, “This is the country where the sitting Defense Minister boast of hosting, training and deploying terrorist estate policy and yet Pakistan calls itself a victim of terrorism,… pic.twitter.com/OrKNKUITev
— ANI (@ANI) June 18, 2026
ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાન અને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જમ્મુ અને કાશ્મીર અંગે આપવામાં આવેલા નિવેદનને પણ સ્પષ્ટપણે નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે, પાકિસ્તાનનો પ્રચાર ફક્ત પોતાની સ્થાનિક નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ છે. ભારતે પુનરોચ્ચાર કર્યો કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. હવે એકમાત્ર મુદ્દો પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના ભારતીય પ્રદેશોની મુક્તિનો છે. ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનની જૂની યુક્તિઓ હવે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર કામ કરશે નહીં.
At the UN Human Rights Council, Indian diplomat Anupama Singh highlighted the deteriorating situation in Pakistan-occupied Kashmir, citing the killing of protesters in Rawalakot and a wider crackdown on civilians. India said demands for basic rights and dignity in PoJK are being… pic.twitter.com/NaWHtmqb8f
— Shalinder Wangu (@Wangu_News18) June 18, 2026