59 એપ્લિકેશન પર પ્રતિબંધ બાદ ચીની કંપનીઓ વધુ એક ઝટકો, ભારતના આ નિર્ણયથી થશે કરોડોનું નુકસાન

|

Sep 26, 2020 | 4:04 PM

ભારત અને ચીન વચ્ચે LAC પર તણાવની પરિસ્થિતિ છે. ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતમાં ચીની કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે. ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત સરકારના વિવિધ વિભાગો ચીની કંપનીઓ પર નિર્ભરતા ઓછી થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. આ વિવાદની વચ્ચે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ […]

59 એપ્લિકેશન પર પ્રતિબંધ બાદ ચીની કંપનીઓ વધુ એક ઝટકો, ભારતના આ નિર્ણયથી થશે કરોડોનું નુકસાન

Follow us on

ભારત અને ચીન વચ્ચે LAC પર તણાવની પરિસ્થિતિ છે. ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતમાં ચીની કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે. ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત સરકારના વિવિધ વિભાગો ચીની કંપનીઓ પર નિર્ભરતા ઓછી થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. આ વિવાદની વચ્ચે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

આ પણ વાંચો :  અમદાવાદનાં વસ્ત્રાપુરમાં રથયાત્રાનાં વિવાદિત પોસ્ટરમાં ચારની અટકાયત, પોસ્ટર લગાડનારા કોંગ્રેસનાં કાર્યકર હોવાનું ખુલ્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારત અને ચીન તણાવ વચ્ચે ઈન્ડિયન હાઈવે પ્રોજેક્ટમાં ચીની કંપનીઓને સામેલ કરવામાં આવશે નહીં. જો કોઈ ચીની કંપનીઓ ભારતીય કંપની કે વિદેશી કંપની સાથેની ભાગીદારીથી પણ બોલી લગાવશે તો પણ તેમને સામેલ કરવામાં આવશે નહીં. ગડકરીએ વધુમાં ઉમેર્યું કે સરકાર એ  પ્રકારે નિર્ણય લેશે ચાઈનીઝ રોકાણકારોનો સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં હસ્તક્ષેપ ના થાય. આ માટે ઝડપથી એક નવી પોલીસી પણ નક્કી કરાશે. આમ કરોડો રુપિયાના રોડ પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ ભાગ લઈ શકશે નહીં અને મોટું નુકસાન સહન કરવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીની કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવશે અને સાથે જ પ્રોજેક્ટ ભારતીય કંપનીઓને મળી રહે તે માટે દેશની કંપનીઓને છૂટછાટ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે પ્રોજેક્ટ કાર્યરત છે અને તેમાં ચીની કંપનીઓ કામ કરી રહી છે તેને અટકાવવામાં આવશે નહીં. જો કે નવા પ્રોજેક્ટમાં ચીની કંપનીઓને સામેલ કરાશે નહીં. ઉલ્લેખનીય છે કે ગલવાન ઘાટીમાં ચીની સેનાએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. આ ઘટના પછી ચીની કંપનીઓ સામે દેશમાં વિરોધ ભભૂકી ઉઠ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 12:31 pm, Wed, 1 July 20

Next Article