AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: PM પદ છોડ્યા બાદ ઈમરાન ખાને વિપક્ષ પર કર્યો હુમલો, કહ્યું- ભ્રષ્ટ નેતાઓ તેમના કેસ દૂર કરવા સત્તા ઈચ્છે છે

પાકિસ્તાનમાં ચાલી રહેલી મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે, કાર્યવાહક વડાપ્રધાન ઇમરાન ખાને આજે કહ્યું કે, તેઓ લોકોના પ્રશ્નોના જવાબ આપવા આવ્યા છે. વિપક્ષ પર આરોપ લગાવતા ખાને કહ્યું કે વિપક્ષ સાડા ત્રણ વર્ષથી ખોટા આરોપો લગાવી રહ્યો છે.

Pakistan: PM પદ છોડ્યા બાદ ઈમરાન ખાને વિપક્ષ પર કર્યો હુમલો, કહ્યું- ભ્રષ્ટ નેતાઓ તેમના કેસ દૂર કરવા સત્તા ઈચ્છે છે
Imran Khan - File PhotoImage Credit source: FILE PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 5:57 PM
Share

પાકિસ્તાન (Pakistan)માં રાજકીય સંકટ સતત ઘેરાઈ રહ્યું છે. વડાપ્રધાન પદ છોડ્યા બાદ ઈમરાન ખાને (Imran Khan) સોમવારે ફરી એકવાર પાકિસ્તાનની જનતા સાથે મુલાકાત કરી. ઈમરાન ખાને કહ્યું હતું કે દેશમાં મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે તેઓ લોકોના સવાલોના જવાબ આપવા આવ્યા છે. વિપક્ષ પર આરોપ લગાવતા ખાને કહ્યું કે, વિપક્ષ સાડા ત્રણ વર્ષથી ખોટા આરોપો લગાવી રહ્યો છે. ઈમરાન ખાને જનતા સાથેની વાતચીતમાં કહ્યું કે વિપક્ષ હંમેશા ફિક્સ મેચ (Fix match) રમ્યો છે. વિપક્ષના નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસ છે. તેઓ તેમના કેસ દુર કરવા માટે સત્તા ઈચ્છે છે.

વિપક્ષ ચૂંટણીથી ભાગી રહ્યો છે – ઈમરાન

ખાને કહ્યું કે, વિપક્ષ લાંબા સમયથી ચૂંટણી કરાવવા માંગે છે. હવે મેં ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે વિપક્ષ ચૂંટણીથી ભાગી રહ્યો છે. ઈમરાન ખાને વધુમાં કહ્યું કે તે રેડ ઝોનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરશે અને પોતે જનતા સાથે વિરોધ કરવા ઉતરશે. તેમણે કહ્યું કે હવેથી તેઓ એવા લોકોને જ ચૂંટણી લડવા માટે ટિકિટ આપશે જેમના મનમાં દેશને આગળ લઈ જવાનો વિચાર હશે. તેણે લોકોને પૂછ્યું કે શું સારું છે? જે લોકોએ મત આપ્યા છે તેમની પાસે જવું કે બહારનું ષડયંત્ર રચીને સત્તામાં આવવું.

વિપક્ષનો વિરોધ કરશે – ઈમરાન

જણાવી દઈએ કે, ઈમરાન ખાને આજે ઈસ્લામાબાદના રેડ ઝોનની બહાર વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આજે રાત્રે ઈસ્લામાબાદમાં વિપક્ષ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. વિદેશી શક્તિઓ સાથે મળીને ષડયંત્ર રચી રહેલા દેશના ગદ્દારો વિરુદ્ધ આ પ્રદર્શન હશે. ખાને કહ્યું, ‘મેં રાજકારણમાં 26 વર્ષ પૂરા કર્યા છે. મેં એક વાત નોંધી છે કે, જ્યાં સુધી સંસદમાં દેશ વિશે વિચારનારા લોકો ન હોય ત્યાં સુધી પાકિસ્તાન પ્રગતિ કરી શકે નહીં.

પાકિસ્તાનમાં એક દિવસના રાજકીય ઉથલપાથલ બાદ રવિવારે સાંજે ઈમરાન માટે ખરાબ સમાચાર આવ્યા હતા. રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બલી ભંગ કર્યા બાદ ઈમરાન ખાનને રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, 10 અને 11 એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">