AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાઉદીના હુમલા બાદ યમનમાં તબાહીના દ્રશ્યો સર્જાયા, 100 થી 200 લોકોના મોત

Saudi Attack on Yemen: સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને યમન પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં સેંકડો લોકોના મોત થયા છે.

સાઉદીના હુમલા બાદ યમનમાં તબાહીના દ્રશ્યો સર્જાયા, 100 થી 200 લોકોના મોત
hundreds killed after Saudi Arabia's Air Strike in Yemen
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 3:10 PM
Share

સંયુક્ત રાષ્ટ્રના (United Nations Chief) વડાએ યમનના સાદા શહેર પર સાઉદી ગઠબંધનના હવાઈ હુમલાની (Saudi Attack on Yemen) સખત નિંદા કરી છે. અને આ ઘટનાની તપાસની વિનંતી કરી છે. આ હુમલામાં 70થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે રેડ ક્રોસે 100 થી વધુ લોકોના મોતની જાણ કરી છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુતેરેસના (Antonio Guterres)  પ્રવક્તા સ્ટેફન ડુજારિકે જણાવ્યું હતું કે, “સચિવ-જનરલએ જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આ ઘટનાઓની ત્વરિત, અસરકારક અને પારદર્શક તપાસની હાકલ કરી છે.”

યમનમાં રેડ ક્રોસના પ્રવક્તા બશીર ઓમરે જણાવ્યું હતું કે બચાવકર્તા પીડિતોની શોધ ચાલુ રાખી રહ્યા છે. રેડ ક્રોસના જણાવ્યા અનુસાર આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા છે. યમનના હુથી બળવાખોરો અને એક સહાય જૂથે શનિવારે દાવો કર્યો હતો કે ઓછામાં ઓછા 82 લોકો માર્યા ગયા છે. જોકે, હુમલાને કારણે કેટલા લોકોના મોત થયા છે તેની અમે સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શકતા નથી. ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સે કહ્યું છે કે લગભગ 200 લોકોના મોત થયા છે.

યમનમાં એમએસએફના મિશનના વડા અહેમદ મહતે જણાવ્યું હતું કે તેમની પાસે ઘણા અહેવાલો છે જે દર્શાવે છે કે ઘટનાસ્થળે હજુ પણ ઘણા મૃતદેહો છે. સાઉદી અરેબિયાએ શનિવારે બંદર શહેર હુદાયદાહ પર બીજો હવાઈ હુમલો કર્યો. આ હુમલા સાથે જોડાયેલી માહિતી બાદમાં સેટેલાઇટ તસવીરોમાં સામે આવી હતી. હુમલામાં એક ટેલિકોમ્યુનિકેશન સેન્ટરને નુકસાન થયું છે. જેના કારણે યમનમાં ઈન્ટરનેટ કનેક્શન ઠપ્પ થઈ ગયું હતું. શનિવારે સવારે પણ ઈન્ટરનેટ બંધ રહ્યું હતું.

યમનના હુથી બળવાખોરોના આરોગ્ય પ્રધાન તાહા અલ-મોતાવકીલે વૈશ્વિક સમુદાયને તબીબી સહાય પૂરી પાડવા અપીલ કરી છે. તેણે સાઉદી ગઠબંધન પર નાગરિકોને જાણી જોઈને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું, ‘અમે તેને માનવતા વિરુદ્ધ યુદ્ધ અપરાધ માનીએ છીએ. માનવ ઇતિહાસના આ નિર્ણાયક સમયે વિશ્વએ તેની જવાબદારી લેવી જ જોઇએ. ઘટનાસ્થળની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં લોકો લોહીથી લથપથ હાલતમાં કાટમાળ નીચે દટાયેલા જોવા મળ્યા હતા. દરેક જગ્યાએ લાશો પડેલી જોવા મળે છે. સેવ ધ ચિલ્ડ્રનનું કહેવું છે કે હુદાયદાહમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ બાળકોના પણ મોત થયા છે.

આ પણ વાંચો –

અમેરિકાના આઈડિયા ચોરીને ચીને તૈયાર કર્યું દુનિયાનું પહેલું ‘બોડી શિલ્ડ’ ટેન્કને તબાહ કરતી ગોળીઓને સામનો કરવા સક્ષમ

આ પણ વાંચો –

અંતરિક્ષ યાત્રા માટે બની રહ્યું છે ‘સ્પેસ્પ્લેન’ જે સામાન્ય પ્લેનની જેમ ભરશે ઉડાન, જાણો તેની ખાસિયતો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">