AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેરિસ રેલવે સ્ટેશન પર ચાકુથી હુમલો, 6 ઘાયલ, હુમલા પાછળનું કારણ સ્પષ્ટ નહિં

પેરિસમાં ચાકુથી હુમલા અંગે, ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મેનિન કહ્યું કે હુમલાખોરે સ્ટેશન પર ઘણા લોકોને ઘાયલ કર્યા હતા, પરંતુ તેમના ટ્વીટમાં તેમની સંખ્યા અથવા ઇજાઓ વિશે કોઈ અન્ય વિગતો જણાવી નથી.

પેરિસ રેલવે સ્ટેશન પર ચાકુથી હુમલો, 6 ઘાયલ, હુમલા પાછળનું કારણ સ્પષ્ટ નહિં
Image Credit source: Tv9 ભારતવર્ષ
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Jan 11, 2023 | 4:45 PM
Share

ફ્રાન્સની રાજધાની પેરિસના એક રેલવે સ્ટેશન પર કેટલાક લોકો પર ચાકુથી હુમલો થયાની ઘટના સામે આવી છે. ગૃહમંત્રીનું કહેવું છે કે હુમલાખોર પર પોલીસ કાબુ મેળવે તે પહેલા તેણે ઘણા લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. ઘાયલોમાં એકની હાલત વધુ ગંભીર છે. ફ્રેન્ચ મીડિયાના આ માહિતી આપવામાં આવી હતી. પોલીસ સૂત્રોથી મળેલી માહિતી મુજબ બુધવારે સવારે પોલીસે હુમલાખોર પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોર પાસે છરી હતી અને તેણે ઘણા લોકોને ઘાયલ કર્યા હતા. હુમલા અંગે, પેરિસ પોલીસનું કહેવું છે કે ગારે ડુ નોર્ડ સ્ટેશન પર પરિસ્થિતિ હવે કાબુમાં છે.

ઈજાગ્રસ્ત વિશે માહિતી ચોક્કસ નહિં

ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મેનિન કહ્યું કે, હુમલાખોરે સ્ટેશન પર ઘણા લોકોને ઘાયલ કર્યા હતા, પરંતુ તેમની સંખ્યા અથવા ઇજાઓની સ્થિતિ વિશે તેમના ટ્વિટમાં અન્ય કોઈ વિગતો આપી નથી. તેણે એમ પણ કહ્યું કે હુમલાખોરને ઝડપથી કાબૂમાં લેવામાં આવ્યો છે.

ઑફ-ડ્યુટી ઑફિસરે હુમલાખોરને ગોળી મારી

પોલીસે કહ્યું કે હુમલાખોરનો આ હુમલા પાછળનો ઈરાદો સ્પષ્ટ થઈ શક્યો નથી. પેરિસના સરકારી વકીલે એક નિવેદનમાં જણાવ્યું કે, ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પેરિસ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, હુમલાખોરને પોલીસે ઘણી ગોળી મારી હતી અને તેને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેનો ઈલાજ કરવામાં આવ્યા બાદ વધુ પુછપરછ કરવામાં આવશે. પોલીસના સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે હુમલાખોરને ગોળી મારનાર અધિકારી ઑફ ડ્યુટી હતો. આ રેલ્વે સ્ટેશન યુરોપનો સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે અને પેરિસ, લંડન અને યુરોપના ઉત્તર વચ્ચેની મુખ્ય લિંક રેલવે સ્ટેશન છે.

પહેલા પણ પેરિસમાં શિક્ષકનું માથું કાપી હત્યા

ફ્રાંસની રાજધાની પેરિસમાં શુક્રવારે એક હુમલાખોરે એક શિક્ષક પર ચાકુથી હુમલો કરીને માથું કાપી નાખવામાં આવ્યું હતું. પોલીસે હુમલાખોરની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો પણ પછી પોલીસે હુમલોખરને ગોળી મારવી પડી હતી. ફ્રાંસના રાષ્ટ્રપતિએ એમૅન્યુએલ મૅક્રોએ આ ઘટનાને ‘ઇસ્લામિક આતંકી હુમલો’ ગણાવી છે. કહેવાય છે કે આ શિક્ષકે તેમના વિદ્યાર્થીઓને પયગંબર મોહમ્મદનાં એ કાર્ટૂન બતાવ્યાં હતાં, જે ફ્રેંચ પત્રિકા શાર્લી ઍબ્દોએ છાપ્યાં હતાં. આ હુમલો સ્થાનિક સમય પ્રમાણે સાંજે અંદાજે પાંચ વાગ્યે થયો હતો. આ હુમલાની તપાસ આતંકવિરોધી ટીમના વકીલ કરી રહ્યા છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">