વિદેશ મંત્રી જયશંકરે ઇઝરાયલી મંત્રી યાયર લાપિડને મળ્યા, વેક્સિનેશન સર્ટિફિકેટ પર થયા સંમત

|

Oct 18, 2021 | 6:33 PM

ઇઝરાયલની પાંચ દિવસની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે તેમના ઇઝરાયલી સમકક્ષ યાયર લેપિડને મળ્યા હતા.

વિદેશ મંત્રી જયશંકરે ઇઝરાયલી મંત્રી યાયર લાપિડને મળ્યા, વેક્સિનેશન સર્ટિફિકેટ પર થયા સંમત
Foreign Minister Jaishankar meets Israeli Minister

Follow us on

ઇઝરાયલની (Israel) પાંચ દિવસની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) સોમવારે તેમના ઇઝરાયલી સમકક્ષ યાયર લાપિડને (Yair Lapid) મળ્યા. આ દરમિયાન બંને નેતાઓ વેક્સિનેશન સર્ટિફિકેટને (Vaccination certificates) પરસ્પર માન્યતા આપવા માટે સંમત થયા હતા. જયશંકરે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં જોડાવા માટે ઇઝરાયેલનો આભાર પણ માન્યો હતો. વિદેશ મંત્રીની આ મુલાકાતનો ઉદ્દેશ ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના નવા ક્ષેત્રોની શક્યતાઓ શોધવાનો છે.

અગાઉ વિદેશ મંત્રી જયશંકરે ‘જેરૂસલેમ ફોરેસ્ટ’માં ‘ભૂદાન ગ્રોવ (Bhoodan Grove)નું અનાવરણ કર્યું હતું. વિકાસ માટે ગામડાને મૂળભૂત એકમ તરીકે મહાત્મા ગાંધીના ખ્યાલને ધ્યાનમાં રાખીને, ‘ભૂદાન અને ગ્રામદાન’ જેવા સર્વોદય અભિયાનના સમાજવાદી વિચારોને અમલમાં મૂકવાના માર્ગો શોધવા માટે ભારતીય નેતાઓએ અનેક પ્રવાસોમાં ઇઝરાયલની મુલાકાત લીધી હતી. તેમણે ઇઝરાયલના સમુદાય અને સહકારી સંસ્થાઓ – કિબ્બુટજીમ અને મોશાવીમના અલગ સ્વરૂપોની સામાજિક રચનાનો અભ્યાસ કર્યો હતો.

‘ભૂદાન ગ્રોવ’ વિશે જયશંકરે શું કહ્યું

સર્વોદય અભિયાનના નેતા જયપ્રકાશ નારાયણ સપ્ટેમ્બર 1958માં ઇઝરાયલની નવ દિવસની મુલાકાતે ગયા હતા. તેમની મુલાકાત પછી 27-સભ્ય સર્વોદય દળ છ મહિનાના અભ્યાસ પ્રવાસ પર ત્યાં ગયા. ભારત પરત ફરતી વખતે, આ ટીમે 22મે 1960 ના રોજ ‘જેરુસલેમ ફોરેસ્ટ’ માં ‘ભૂદાન ગ્રોવ’ માટે રોપાઓ રોપ્યા. જયશંકરે નારાયણ અને ભૂદાન કામદારોની મુલાકાતને “આપણા પરસ્પર ઇતિહાસનું એક પાસું ગણાવ્યું જેનું તેને મહત્વ મળતું ન હતું.” તેમણે કહ્યું કે, આ તકતીનું અનાવરણ ખૂબ જ યોગ્ય સમયે થઈ રહ્યું છે. કારણ કે ગયા વર્ષે આચાર્ય વિનોબા ભાવેની 125 મી જન્મજયંતિ હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ચીનના અર્થતંત્ર ઉપર ખતરો, ત્રીજા ક્વાર્ટરમાં ઝટકો લાગતા રિયલ એસ્ટેટે આર્થિક પ્રગતિમાં અવરોધ ઉભો કર્યો

વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સપ્ટેમ્બરના અંત સુધી માત્ર 4.9 ટકાના દરે વિકાસ કરી શકે છે. જ્યારે અગાઉ આ આંકડો 7.9 ટકા સુધી હતો. સરકારે જાહેર કરેલા ડેટામાં આ માહિતી મળી છે. ફેક્ટરી ઉત્પાદન, છૂટક વેચાણ અને બાંધકામમાં રોકાણના કારણે ચીનને આવા ગંભીર ઝટકાનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, અપેક્ષા રાખવામાં આવી હતી કે આ આંકડો 5.2 ટકા સુધી રહેશે. પરંતુ ચીનની અર્થવ્યવસ્થા આ આંકડાને સ્પર્શવામાં પણ નિષ્ફળ રહ્યું છે. સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન અપેક્ષિત 4.5 ટકાની સરખામણીમાં માત્ર 3.1 ટકા વધી શકે છે.

આ પણ વાંચો: CBSE Board Exams 2022 : CBSE 10 અને 12ની ટર્મ-1ની પરીક્ષાની તારીખ આજે થશે જાહેર

આ પણ વાંચો: TCS Smart Hiring Program અંતર્ગત 78000 ફ્રેશર્સની ભરતી કરશે, જાણો નોકરી માટે જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત

Next Article