AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US News : અમેરિકાના હવાઈના જંગલમાં લાગી ભીષણ આગ, 36 લોકોના મોત

રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ હવાઈમાં લાગેલી આ ભીષણ આગને કારણે જાનમાલના નુકસાનને રોકવા માટે કેન્દ્રીય મદદ મોકલી છે. મળતી માહિતી અનુસાર યુએસ આર્મીની સાથે કોસ્ટ ગાર્ડ અને નેવીને પણ બચાવકાર્ય માટે તૈનાત કરવામાં આવી છે.

US News : અમેરિકાના હવાઈના જંગલમાં લાગી ભીષણ આગ, 36 લોકોના મોત
US FireImage Credit source: AP
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 10:56 PM
Share

US News : અમેરિકાના હવાઈમાં સ્થિત માયુના જંગલોમાં ભીષણ આગ (Fire) લાગી છે. આગના કારણે 36 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી રહ્યા છે. એટલું જ નહીં આ ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે.

જંગલમાં લાગેલી આગને કારણે લહેના શહેરમાં પર્યટન સ્થળોને મોટું નુકસાન થયું છે. યુએસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જંગલમાં આગના ઝડપી ફેલાવવા માટે ચક્રવાત ડોરા પણ જવાબદાર છે, જોરદાર પવનોને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે.

આ પણ વાંચો Russia News: ફિનલેન્ડ બનશે યુદ્ધનો નવો મોરચો, રશિયાએ બોર્ડર પર સેના તૈનાત કરવાની કરી જાહેરાત, સેંટ પીટર્સબર્ગ પર પણ ખતરો

રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ હવાઈમાં લાગેલી આ ભીષણ આગને કારણે જાનમાલના નુકસાનને રોકવા માટે કેન્દ્રીય મદદ મોકલી છે. મળતી માહિતી અનુસાર યુએસ આર્મીની સાથે કોસ્ટ ગાર્ડ અને નેવીને પણ બચાવકાર્ય માટે તૈનાત કરવામાં આવી છે. મરીન તરફથી આગ પર કાબૂ મેળવવા માટે બ્લેક હોક હેલિકોપ્ટર આપવામાં આવ્યા છે.

આ સિવાય હવાઈના નેશનલ ગાર્ડ્સ હાલમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું છે કે પરિવહન વિભાગ લોકોને ટાપુમાંથી બહાર કાઢવા માટે સંકલન કરી રહ્યું છે અને આમાં કોમર્શિયલ એરલાઈન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.

વર્તમાન પરિસ્થિતિ કેવી છે ?

હવાઈના લહેના, પુલેહુ અને અપકન્ટ્રીમાં પણ આગ લાગતા આ વિસ્તારમાં ફાયર ફાઈટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 2100 લોકોને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે અને ચાર ઈમરજન્સી શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય પર્યટન માટે આવેલા લગભગ બે હજાર લોકોને કાહુલુઈ એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. હોનોલુલુમાં હવાઈ કન્વેન્શન સેન્ટરને પણ બાકીના બચાવકર્તાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગને કારણે ઘર છોડવા મજબૂર થયેલા 4000 લોકોને અહીં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગરમાં હોટલ-રેસ્ટોરન્ટ માટે કલેક્ટરનો કડક આદેશ, કિચનમા CCTV ફરજિયાત
ભાવનગરમાં હોટલ-રેસ્ટોરન્ટ માટે કલેક્ટરનો કડક આદેશ, કિચનમા CCTV ફરજિયાત
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, 40 લાખથી વધુ ભક્તો આવશે
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, 40 લાખથી વધુ ભક્તો આવશે
અમદાવાદ: જૈન ગુરુના નામે ₹21.79 લાખની ઠગાઈ
અમદાવાદ: જૈન ગુરુના નામે ₹21.79 લાખની ઠગાઈ
મહેસાણામાં PM મોદીના બાળપણના મિત્રોએ વાગોળ્યા જૂના સંસ્મરણો
મહેસાણામાં PM મોદીના બાળપણના મિત્રોએ વાગોળ્યા જૂના સંસ્મરણો
વડોદરા MS યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે ફરી સવાલ
વડોદરા MS યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે ફરી સવાલ
Breaking News : સુરતમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા
Breaking News : સુરતમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
g clip-path="url(#clip0_868_265)">