AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું બલુચિસ્તાનનું મંગોચર શહેર પાકિસ્તાનના હાથમાંથી સરકી ગયું? બલૂચ બળવાખોરોએ સરકારી ઇમારતો પર કબજો કર્યો

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને એવામાં હવે બલુચિસ્તાન પણ એક્શનમાં આવી ગયું છે. વાત એમ છે કે, પાકિસ્તાનના કલાત જિલ્લાના મંગોચર શહેરમાં ઘણી ઇમારતો બલૂચ બળવાખોરોએ કબજે કરી લીધી છે.

શું બલુચિસ્તાનનું મંગોચર શહેર પાકિસ્તાનના હાથમાંથી સરકી ગયું? બલૂચ બળવાખોરોએ સરકારી ઇમારતો પર કબજો કર્યો
| Updated on: May 04, 2025 | 1:48 PM
Share

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના મંગોચર શહેર પર કબજો કરી લીધો છે. બળવાખોરોએ સરકારી ઇમારતો અને લશ્કરી ઠેકાણાઓ પર કબજો જમાવી લીધો છે.

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને એવામાં હવે બલુચિસ્તાન પણ એક્શનમાં આવી ગયું છે. વાત એમ છે કે, પાકિસ્તાનના કલાત જિલ્લાના મંગોચર શહેરમાં ઘણી ઇમારતો બલૂચ બળવાખોરોએ કબજે કરી લીધી છે. અહેવાલો અનુસાર, બળવાખોરોએ શહેરમાં સરકારી ઇમારતો અને લશ્કરી મથકો પર કબજો જમાવી લીધો છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં વિદ્રોહીઓએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો અને હથિયાર કબજે કર્યા હતા.

ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનની પશ્ચિમી સરહદ પર કટોકટી

આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાને ભારત તરફથી સંભવિત લશ્કરી કાર્યવાહીની અપેક્ષાએ તેની પશ્ચિમી સરહદો પર લશ્કરી તૈનાતી વધારી દીધી છે. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ બગડ્યા છે.

ભારત સાથે વધતા તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાને પોતાની પશ્ચિમી સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનને આશંકા છે કે, ભારત તરફથી કોઇ લશ્કરી કાર્યવાહી થઈ શકે છે. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધારે તિરાડ પડી છે.

બલૂચ બળવાખોરોનો પાકિસ્તાન પર હુમલો

26 એપ્રિલના રોજ બલુચિસ્તાનમાં IED વિસ્ફોટમાં 10 અર્ધલશ્કરી જવાનો માર્યા ગયા હતા, જેની જવાબદારી BLA એ લીધી હતી. આ વર્ષે માર્ચમાં બલૂચ લિબરેશન આર્મીએ 380 મુસાફરોને લઈને જાફર એક્સપ્રેસ હાઈજેક કર્યું હતું. જો કે, આ પછી પાકિસ્તાન સેનાએ ઓપરેશન ગ્રીન બોલાન શરૂ કર્યું, જેમાં સરકારી આંકડાઓ અનુસાર, 64 લોકો માર્યા ગયા. BLA એ આ દાવાને નકારી કાઢ્યો અને દાવો કર્યો કે 50 સૈનિકો અને 214 બંધકો માર્યા ગયા છે.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">