AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid in China: ચીનમાં રજાઓ દરમિયાન કોવિડ ફેલાવવાનું જોખમ વધ્યું, બેઇજિંગમાં કડક પ્રતિબંધો

બેઇજિંગની (Beijing) સ્થાનિક સરકારે જણાવ્યું હતું કે લોકોએ સાર્વજનિક સ્થળોની મુલાકાત લેતા પહેલા અથવા જાહેર પરિવહનમાં ચડતા પહેલા સાત દિવસની અંદર ન્યુક્લીક-એસિડ પરીક્ષણ પરિણામો દર્શાવવા આવશ્યક છે.

Covid in China: ચીનમાં રજાઓ દરમિયાન કોવિડ ફેલાવવાનું જોખમ વધ્યું, બેઇજિંગમાં કડક પ્રતિબંધો
Corona In China
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 7:00 PM
Share

29 એપ્રિલે ચીનના શાંઘાઈમાં (Shanghai) ક્વોરેન્ટાઈન વિસ્તારોની બહાર કોઈ નવા કોવિડ કેસ નોંધાયા નથી. કેટલાક અઠવાડિયામાં આવું પહેલીવાર બન્યું છે. આરોગ્ય અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે બેઇજિંગે (Beijing) પાંચ દિવસની મજૂર દિવસની રજાના પ્રથમ દિવસે સમગ્ર શહેરમાં પ્રતિબંધો કડક કર્યા છે. બેઇજિંગે 4 મે સુધી શાળાઓ, મનોરંજન સ્થળો, જીમ અને થિયેટરો સહિત તમામ જાહેર સ્થળોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. શહેરમાં રજાના દિવસોમાં લોકો ભેગા થતા અટકે કે બહાર ન જાય તે માટે આવું કરવામાં આવ્યું છે. આ દિવસોમાં ચીન કોરોના વાયરસથી (China Coronavirus) ખરાબ રીતે પ્રભાવિત છે.

આ પાંચ દિવસની રજા ચીનમાં સૌથી વ્યસ્ત સમય છે, કારણ કે આ સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જોકે આ વર્ષે કોવિડ કેસના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી છે. તે જ સમયે, રજાઓ સમાપ્ત થયા પછી પણ, બેઇજિંગની સ્થાનિક સરકારે કહ્યું કે લોકોએ સાર્વજનિક સ્થળોએ જતા પહેલા અથવા જાહેર પરિવહનમાં ચડતા પહેલા સાત દિવસની અંદર થયેલા ન્યુક્લીક-એસિડ પરીક્ષણ પરિણામો દર્શાવવા આવશ્યક છે. બેઇજિંગના અધિકૃત વીચેટ પેજ પર એક નોટિસ અનુસાર, 5 મેથી, તમામ જાહેર વિસ્તારોમાં પ્રવેશતા અને જાહેર પરિવહન લેતા લોકોએ છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવેલા પરીક્ષણનો રિપોર્ટ દર્શાવવો પડશે.

લોકોના સામાન્ય જીવનમાં પાછા ફરવાની નથી કોઈ માહિતી

હોટેલ અને BNB માં રોકાણ માટે 48 કલાકની અંદર કરવામાં આવેલ ન્યુક્લીક એસિડ ટેસ્ટના પરિણામો પણ બતાવવાના રહેશે. શાંઘાઈ અને બેઇજિંગના અધિકારીઓએ હજુ સુધી કહ્યું નથી કે લોકો ક્યારે સામાન્ય જીવનમાં પાછા ફરી શકશે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે બેઇજિંગમાં 48 કોવિડ કેસ નોંધાયા હતા, જ્યારે એક દિવસ પહેલા 47 કેસ નોંધાયા હતા. બેઇજિંગમાં અત્યાર સુધીમાં કુલ 282 કોવિડ કેસ નોંધાયા છે. શનિવારે, ચીનમાં કોરોનાવાયરસના 10,700 કેસ નોંધાયા હતા. આમાંના મોટાભાગના કેસો શાંઘાઈમાં નોંધાયા હતા. ચીનના વિવિધ પ્રાંતોમાં પણ કોવિડના કેસ વધતા જોવા મળી રહ્યા છે.

ચીનમાં ફરી ત્રાટક્યો ઓમિક્રોન

ચીન કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની સુનામીનો સામનો કરી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે, અત્યારે આપણે ઓમિક્રોનની સુનામીનો સામનો કરી રહ્યા છીએ. ચેપનો આ પ્રકાર ખૂબ જ ઝડપથી ફેલાય છે, એટલી ઝડપથી કે આપણે કલ્પના પણ કરી શકતા નથી. ઝાઓએ કહ્યું કે ચીને 2021માં ફેલાયેલા ડેલ્ટા વેરિઅન્ટને લગભગ 14 દિવસમાં નિયંત્રિત કરી લીધું હતું, પરંતુ ઓમિક્રોનનો હુમલો ખૂબ જ ગંભીર છે. યુરોપિયન યુનિયન ચેમ્બર ઓફ કોમર્સે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી ત્યારે તેઓ ચીનમાં એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.

આ પણ વાંચો :  કેનેડામાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ ફરી શરૂ થયો વિરોધ, પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે, અનેક લોકોની ધરપકડ

Follow Us
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
"પટેલો બોલવામાં કડવા હોય છે તેમણે મીઠુ બોલતા શીખવુ પડશે"- અનાર પટેલ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
g clip-path="url(#clip0_868_265)">