7મેથી સરકાર વિદેશમાં ફસાયેલા લોકોને લાવશે પરત પણ આ કડક નિયમોનું કરવું પડશે પાલન!

|

Sep 29, 2020 | 12:35 PM

વિદેશમાં ઘણાં ભારતીય લોકો ફસાયા છે અને સરકાર તેને પરત લાવવા માટે યોજના બનાવી રહી છે. જો કે જે લોકોએ ભારત પરત આવવું હશે તેમને ટીકિટ ભાડું આપવાનું રહેશે. ભારત સરકાર પોતાના ખર્ચે વિદેશમાંથી લોકોને પરત લાવશે નહીં. આ માટે એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવામાં આવશે. ભારતીય દુતાવાસ અલગ અલગ દેશોમાં ફસાયેલા લોકોની યાદી તૈયાર કરીને […]

7મેથી સરકાર વિદેશમાં ફસાયેલા લોકોને લાવશે પરત પણ આ કડક નિયમોનું કરવું પડશે પાલન!

Follow us on

વિદેશમાં ઘણાં ભારતીય લોકો ફસાયા છે અને સરકાર તેને પરત લાવવા માટે યોજના બનાવી રહી છે. જો કે જે લોકોએ ભારત પરત આવવું હશે તેમને ટીકિટ ભાડું આપવાનું રહેશે. ભારત સરકાર પોતાના ખર્ચે વિદેશમાંથી લોકોને પરત લાવશે નહીં. આ માટે એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવામાં આવશે. ભારતીય દુતાવાસ અલગ અલગ દેશોમાં ફસાયેલા લોકોની યાદી તૈયાર કરીને વેરિફિકેશન કરી રહ્યું છે અને તે બાદ ક્યાં કેટલી ફલાઈટ મોકલવી કે નેવીના જહાજથી લોકોને પરત લાવવા તે અંગે વિચારણા કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચો :   લોકો ઘરે પરત જવા માગે છે પણ જુઓ ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર કેવી છે સ્થિતિ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે તે મુજબ લોકોએ ભારત પરત આવવા માટે ભાડું આપવાનું રહેશે અને આ સુવિધા પેમેન્ટ આધારિત જ રહેશે. આ માટે સરકારી એરલાઈન્સ નહીં પણ કર્મશિયલ ફ્લાઈટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 7મેથી તબક્કાવાર લોકોને ભારત લાવવામાં આવશે. ફ્લાઈટમાં સફર કર્યા પહેલાં લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. જે યાત્રીઓમાં કોરોના વાઈરસના લક્ષણ નહીં હોય તેમને સફર માટે પરવાનગી આપવામાં આવશે. આ માટે ભારત સરકારના તમામ દિશાનિર્દેશોનું ચુસ્તતાથી પાલન કરવાનું રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગૃહ મંત્રાલયની તરફથી જે જાણકારી મળી તે મુજબ દરેક યાત્રીઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવશે. જે લોકો ભારત આવશે તેઓને પણ 14 દિવસ સુધી હોસ્પિટલ કે ક્વોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવશે. આ માટે ખર્ચ પણ જે તે વ્યક્તિએ 14 દિવસ સુધી ચુકવવાનો રહેશે. 14 દિવસ પછી તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને બાદમાં ઘરે મોકલવા કાર્યવાહી કરાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:54 pm, Mon, 4 May 20

Next Article