AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની સફળતાથી ચીન કેમ નારાજ?, ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ચીની અખબાર કાઢી રહ્યું છે ખામી

ગ્લોબલ ટાઈમ્સે ચીનની ટેક્નોલોજીની ભારત સાથે સરખામણી કરતા કહ્યું કે ચીન વિવિધ પાસાઓમાં ભારત કરતા વધુ આગળ છે. ચીની અખબારે ભારતના અંતરિક્ષ કાર્યક્રમની ચીન સાથે તુલના કરી અને તેની ખામીઓ નીકાળી છે.

ભારતની સફળતાથી ચીન કેમ નારાજ?, ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ચીની અખબાર કાઢી રહ્યું છે ખામી
Chinese newspaper irritated by success of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 9:56 AM
Share

CHINA NEWSPAPER: ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર દેશોની હરોળમાં જોડાઈ ગયું છે. બુધવારે, ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ભારતના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતર્યા કે તરત જ વિશ્વભરના અખબારોએ તેને પ્રાધાન્યતા પર પ્રકાશિત કરી અને ભારતના પ્રમાણમાં સસ્તા અવકાશ કાર્યક્રમને લોખંડી ગણાવ્યો. પરંતુ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર ગણાતા અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ સમાચાર લાંબા સમય પછી 24 ઓગસ્ટે મોડી સાંજે પ્રકાશિત કર્યા અને ત્યારબાદ ભારતના અંતરિક્ષ કાર્યક્રમની ચીન સાથે તુલના કરી અને તેની ખામીઓ નીકાળી છે.

ગ્લોબલ ટાઈમ્સે ચીનની ટેક્નોલોજીની ભારત સાથે સરખામણી કરતા કહ્યું કે ચીન વિવિધ પાસાઓમાં ભારત કરતા વધુ આગળ છે. પેપરમાં બેઈજિંગ સ્થિત વરિષ્ઠ અવકાશ નિષ્ણાત પેંગ ઝિહાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 2010માં ચાંગે ઈ-2ના પ્રક્ષેપણથી, ચીન ઓર્બિટર અને લેન્ડરને સીધા પૃથ્વી-ચંદ્ર ટ્રાન્સફર ઓર્બિટમાં મોકલવામાં સક્ષમ છે. ભારત પાસે આ ટેક્નોલોજી નથી કારણ કે તેના લોન્ચ વાહનોની ક્ષમતા મર્યાદિત છે. ચીનની ટેકનોલોજી અદ્યતન છે જેના કારણે સમય અને ઈંધણની બચત થાય છે. ચીન જે ઈંધણ વાપરે છે તે ઘણું એડવાન્સ છે.

ભારતને ઓછું બતાવવાની કોશિશ

ચીનના અખબારે ભારતને હલકી કક્ષાનું ચિત્રિત કરવાનો પ્રયાસ કરતાં એક નિષ્ણાતને ટાંકીને કહ્યું કે, ‘ચીનનું રોવર વિશાળ છે, તેનું વજન 140 કિલો છે, જ્યારે ભારતના રોવર પ્રજ્ઞાનનું વજન માત્ર 26 કિલો છે. ભારતનું પ્રજ્ઞાન ચંદ્રની રાત્રિનો સામનો કરી શકતું નથી અને ચંદ્ર પર માત્ર એક દિવસનું જીવનકાળ ધરાવે છે (એક ચંદ્ર દિવસ 14 પૃથ્વી દિવસ બરાબર છે.) તેનાથી વિપરીત, ચીનનું Yutu-2 રોવર ચંદ્રની સપાટી પર લાંબા સમય સુધી કામ કરવાનો રેકોર્ડ ધરાવે છે કારણ કે તે પરમાણુ શક્તિથી સજ્જ છે, જેથી તે લાંબા સમય સુધી કામ કરી શકે.

આ સાથે ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કે ભારત અને ચીનને BRICS અને SCO મિકેનિઝમની અંદર અવકાશના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જરૂર છે.

ચીનના અખબારે તેના લેખના અંતમાં લખ્યું છે કે ચીનના અવકાશ કાર્યક્રમ સાથે મળીને કામ કરવા ઈચ્છુક કોઈપણ દેશ માટે ચીન તેમનુ દિલ ખોલીને સ્વાગત કરતુ રહ્યુ છે, પરંતુ ભારત સાથે અવકાશ કાર્યક્રમમાં સહયોગના માર્ગમાં ભૌગોલિક રાજકીય અવરોધો છે.

વિશ્વભરના મીડિયાએ કર્યા વખાણ

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ વિશ્વભરના અખબારો દ્વારા મુખ્ય રીતે આવરી લેવામાં આવ્યું હતું. સાઉદી અરેબિયા, અમેરિકા, બ્રિટન, પાકિસ્તાન વગેરે દેશોના અખબારોમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના અહેવાલો આવ્યા હતા.

બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને લખ્યું છે કે ઐતિહાસિક ક્ષણમાં, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક તેનું અવકાશયાન લેન્ડ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. આ સફળતા પર ભારતમાં ખુશીનો માહોલ છે.

પાકિસ્તાનના જિયો ન્યૂઝે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતનું ચંદ્રયાન-3 આખરે ચંદ્ર પર ઉતર્યું છે. સ્પેસટેક ફર્મ સાથે સંકળાયેલ નિષ્ણાત કાર્લા ફિલોટિકોને ટાંકીને જિયો ન્યૂઝે લખ્યું છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ભારત ચંદ્ર પર બર્ફીલા પાણીની શોધ કરી શકે છે, જે ચંદ્ર સંબંધિત શોધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચાઈનીઝ ગ્લોબલ ટાઈમ્સે ચંદ્રયાન-2ની નિષ્ફળતા પર શું કહ્યું?

વર્ષ 2019 માં, જ્યારે ભારતનું બીજું ખાણ મિશન ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરાણ કરતા પહેલા ક્રેશ થયું હતું, ત્યારે ચીનના એક અખબારે એક અહેવાલમાં લખ્યું હતું કે જ્યારે ભારત આવા ચંદ્ર ઉતરાણની નજીક છે, ત્યારે તેની પાસે થોડી ધીરજ રાખવાની જરૂર છે.

અખબારે 9 સપ્ટેમ્બર 2019ના એક અહેવાલમાં લખ્યું છે કે, ‘ભારતના ચંદ્રયાન-2નું લેન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના 380,000 કિલોમીટરની તુલનામાં, આ અંતર માત્ર એક પગલું હતું. ભારતના મૂન મિશનની આ નિષ્ફળતા અફસોસની વાત છે. માત્ર એક પગલું અને ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડ કરનાર પ્રથમ દેશ અને યુએસ, રશિયા અને ચીન પછી ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ બની શક્યું હોત.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">