ચીનની હરકત બાદ ભારત સરકાર એક્શનમાં, જાણો રેલવેેએ ચીની કંપનીને કેવી રીતે આપ્યો ઝટકો?

|

Sep 28, 2020 | 1:39 PM

લદાખની ગલવાન ઘાટીમાં કાવતરું ઘડીને ચીનની સેનાએ ભારતના સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 20 વીર જવાન શહીદ થયા છે. આ ઘટના પછી દેશમાં ચીની સામાન અને ચીની ટેકનોલોજી સામે વિરોધનો માહોલ છે. એક તરફ સરકારે BSNL અને MTNLને નિર્દેશ આપ્યો છે કે તેઓ ચીનના ઉપકરણનો ઉપયોગ ઓછો કરે. આ તરફ ભારતીય રેલવેએ […]

ચીનની હરકત બાદ ભારત સરકાર એક્શનમાં, જાણો રેલવેેએ ચીની કંપનીને કેવી રીતે આપ્યો ઝટકો?

Follow us on

લદાખની ગલવાન ઘાટીમાં કાવતરું ઘડીને ચીનની સેનાએ ભારતના સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 20 વીર જવાન શહીદ થયા છે. આ ઘટના પછી દેશમાં ચીની સામાન અને ચીની ટેકનોલોજી સામે વિરોધનો માહોલ છે. એક તરફ સરકારે BSNL અને MTNLને નિર્દેશ આપ્યો છે કે તેઓ ચીનના ઉપકરણનો ઉપયોગ ઓછો કરે. આ તરફ ભારતીય રેલવેએ પણ ચીની કંપનીને મોટો ઝટકો આપ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય રેલવેએ ચીની કંપનીનો 471 કરોડ રુપિયાનો પ્રોજેકટ કર્યો રદ
ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(DFCCIL)એ બીજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન ગ્રુપ કો. લિ.ની સાથે 471 કરોડ રુપિયાનો કરાર રદ કરી દીધો છે. આ પ્રોજેક્ટમાં કાનપુર અને દીન દયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશનની વચ્ચે 417 કિમીમાં સિગ્નલિંગ-ટેલિકોમ્યુનિકેશનની સુવિધા ઉભી કરવાની કરવાની હતી. આ પ્રોજેક્ટ ચીની કંપનીને આપવામાં આવ્યો હતો. જેનો કુલ ખર્ચ 471 કરોડ જેટલો હતો. જો કે રેલવે વિભાગે આ પ્રોજેક્ટના કરારને જ રદ કરી દીધો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ગામ અને નાના શહેરોમાં પણ થઈ શકશે કોરોના ટેસ્ટ, સરકારે લોન્ચ કરી મોબાઈલ લેબ

રેલવેએ કયું કારણ આપીને આ કરારને કર્યો રદ? 
ભારતીય રેલવેએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ખરાબ પ્રદર્શનના લીધે ચીનની કંપની સાથે આ કરાર ખતમ કરવામાં આવ્યો છે. ભારતીય કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીની કંપનીએ વધારે સમયમાં ઓછું કામ કર્યું છે.  DFCCIL કંપની જે ભારતીય રેલવેની સહયોગી કંપની છે તેને આ નિર્ણય લીધો છે. આમ ભારત સરકારના વિવિધ વિભાગો ચીની કંપની પરની નિર્ભરતા ઘટાડી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 12:17 pm, Thu, 18 June 20

Next Article