ચીન બોર્ડર પર નિયમોમાં ફેરફાર, ભારતીય સેનાના જવાનોને હવે મળી આ એક મોટી છૂટ

|

Sep 28, 2020 | 1:08 PM

પૂર્વ લદાખમાં ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા હતા. બંને દેશના સૈનિક વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. ભારત હવે ચીન સીમા પર નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. એલએસી પર રુલ્સ ઓફ ઈંગેજમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા ફેરફારથી સેનાના જવાનો અસામાન્ય પરિસ્થિતિમાં તરત જ નિર્ણય લઈ શકશે. […]

ચીન બોર્ડર પર નિયમોમાં ફેરફાર, ભારતીય સેનાના જવાનોને હવે મળી આ એક મોટી છૂટ

Follow us on

પૂર્વ લદાખમાં ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા હતા. બંને દેશના સૈનિક વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. ભારત હવે ચીન સીમા પર નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. એલએસી પર રુલ્સ ઓફ ઈંગેજમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા ફેરફારથી સેનાના જવાનો અસામાન્ય પરિસ્થિતિમાં તરત જ નિર્ણય લઈ શકશે.

 

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસનો આંક 27 હજારને પાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સેનાના સૂત્રોએ ખાનગી ન્યૂઝ એજન્સીને જાણકારી આપી કે હવે રુલ્સ ઓફ ઈંગેજમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સેનાના ફિલ્ડ કમાંડર પણ અસામાન્ય પરિસ્થિતિમાં હથિયારના ઉપયોગ કરવાની પરવાનગી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે ચીન અને ભારત વચ્ચે 1996 અને 2005માં સમજૂતી થઈ હતી. આ સમજૂતી મુજબ બંને દેશ એકબીજા પર ગોળીબાર નહીં કરે. આ ઉપરાંત એલએસીના 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈ જ બ્લાસ્ટ બંને દેશ કરી શકશે નહીં અને હથિયારનો ઉપયોગ પણ કરી શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સેનાને તમામ છૂટ આપવામાં આવી છે. જો કે આ સાથે જ ચીનની સાથે ડિપ્લોમેટિક સ્તરની વાતચીત પણ કરવામાં આવી રહી છે. ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોએ ભારતના સૈનિકો પર ઈરાદાપૂર્વક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ભારતના 20 જવાન શહીદ થયા છે. જે પછી ભારત ચીનની સમજૂતી પર વિચાર કરવામાં આવે તેવી માગણી ઉઠી હતી. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે હવે સેનાના જવાનો આવી કોઈ પરિસ્થિતિમાં ફિલ્ડ કમાંડર પાસેથી પણ આદેશ લઈ શકશે અને હથિયારનો ઉપયોગ કરી શકશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:00 pm, Sun, 21 June 20

Next Article