AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડાના PR જોઈએ છે? ભારતીય અરજદારો માટે આ 9 દસ્તાવેજો ફરજિયાત, જાણો

કેનેડામાં કાયમી રહેઠાણ (Permanent Residency – PR) મેળવવાનું સ્વપ્ન જોનારાઓ માટે જરૂરી દસ્તાવેજો પૂર્ણ રાખવો ખુબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય દસ્તાવેજો વિના PR મળતું નથી, અને ઘણા અરજદારો માત્ર દસ્તાવેજોની ખામીના કારણે રિઝેક્ટ થઈ જાય છે.

કેનેડાના PR જોઈએ છે? ભારતીય અરજદારો માટે આ 9 દસ્તાવેજો ફરજિયાત, જાણો
| Updated on: Nov 25, 2025 | 7:16 PM
Share

કેનેડામાં દર વર્ષે લાખો વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓ રોજગાર અને અભ્યાસ માટે આવે છે. તેમને કામચલાઉ રહેવાસીઓ (Temporary Residents – TR) તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કે તેઓ થોડા સમય માટે જ કેનેડામાં રહે છે. જો કે, કેનેડા સરકાર યોગ્ય લાયકાત ધરાવતા TR ને કાયમી રહેઠાણ (PR) આપવા માટે વિવિધ પ્રોગ્રામ્સ ચલાવે છે.

2021માં શરૂ કરવામાં આવેલા TR થી PR માર્ગ (Pathway) દ્વારા ઘણા કામચલાઉ રહેવાસીઓને કાયમી રહેઠાણ મળવાનું શરૂ થયું. પરંતુ PR માટે અરજી કરવા યોગ્ય દસ્તાવેજોની જરૂર પડે છે. ખાસ કરીને, કેટલીક પ્રક્રિયાઓ જેમ કે પોલીસ ક્લિયરન્સ મેળવવામાં લાંબો સમય લાગી શકે છે, તેથી આ દસ્તાવેજો પહેલા થી તૈયાર રાખવા અત્યંત જરૂરી છે.

PR માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

  • ભાષા પ્રાવીણ્યનો પુરાવો

IELTS, TOEFL અથવા અન્ય માન્ય અંગ્રેજી/ફ્રેન્ચ ભાષા પરીક્ષા સ્કોર્સ.

  • 2.ગુનાહિત પૃષ્ઠભૂમિનો પુરાવો

સંબંધિત દેશનું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC).

  • શૈક્ષણિક દસ્તાવેજો

વિદેશી ડિગ્રી માટે ECA રિપોર્ટ અથવા કેનેડિયન ડિગ્રી.

  • મુસાફરીનો ઇતિહાસ

પાસપોર્ટ, વિસા સ્ટેમ્પ્સ, ટ્રાવેલ લોગ, એરલાઇન ટિકિટ પુષ્ટિકરણ.

  • રોજગાર સંબંધિત દસ્તાવેજો

સંપૂર્ણ કામનો ઇતિહાસ, સંદર્ભ પત્રો, રોજગાર કરાર, અનુભવ સર્ટિફિકેટ.

  • કેનેડામાં રોજગારનો પુરાવો

વર્ક પરમિટ, પગાર સ્લીપ, નોકરીદાતા પત્ર, રોજગાર કરાર.

  • સામાજિક/સંસ્થાકીય જોડાણનો પુરાવો

NGOs/ક્લબ/સંસ્થામાં કરેલા દાન અથવા સ્વયંસેવક કાર્યના દસ્તાવેજો અને રસીદો.

  • ઓળખ દસ્તાવેજો

પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, લગ્ન/દત્તક દસ્તાવેજો.

  • અનુવાદિત દસ્તાવેજો

અંગ્રેજી અથવા ફ્રેન્ચમાં ન હોય તેવા તમામ દસ્તાવેજોના પ્રમાણિત અનુવાદ.

અરજી કરતા પહેલા દસ્તાવેજો તૈયાર રાખો

PR અરજીની સફળતા મોટાભાગે તમારા દસ્તાવેજોની પૂર્ણતા અને શુદ્ધતા પર આધાર રાખે છે. ખાસ કરીને પોલીસ ક્લિયરન્સ જેવા દસ્તાવેજો મેળવવામાં મહિનાઓ લાગી શકે છે. જો તમામ દસ્તાવેજો પહેલાંથી તૈયાર હોય, તો અરજી ઝડપથી અને અવરોધ વગર આગળ વધી શકે છે.

કેનેડામાં ભારતીય મૂળના પરિવારો માટે મોટી રાહત, નવો નાગરિકતા કાયદો થશે લાગુ

Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">