AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડાના PR જોઈએ છે? ભારતીય અરજદારો માટે આ 9 દસ્તાવેજો ફરજિયાત, જાણો

કેનેડામાં કાયમી રહેઠાણ (Permanent Residency – PR) મેળવવાનું સ્વપ્ન જોનારાઓ માટે જરૂરી દસ્તાવેજો પૂર્ણ રાખવો ખુબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય દસ્તાવેજો વિના PR મળતું નથી, અને ઘણા અરજદારો માત્ર દસ્તાવેજોની ખામીના કારણે રિઝેક્ટ થઈ જાય છે.

કેનેડાના PR જોઈએ છે? ભારતીય અરજદારો માટે આ 9 દસ્તાવેજો ફરજિયાત, જાણો
| Updated on: Nov 25, 2025 | 7:16 PM
Share

કેનેડામાં દર વર્ષે લાખો વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓ રોજગાર અને અભ્યાસ માટે આવે છે. તેમને કામચલાઉ રહેવાસીઓ (Temporary Residents – TR) તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કે તેઓ થોડા સમય માટે જ કેનેડામાં રહે છે. જો કે, કેનેડા સરકાર યોગ્ય લાયકાત ધરાવતા TR ને કાયમી રહેઠાણ (PR) આપવા માટે વિવિધ પ્રોગ્રામ્સ ચલાવે છે.

2021માં શરૂ કરવામાં આવેલા TR થી PR માર્ગ (Pathway) દ્વારા ઘણા કામચલાઉ રહેવાસીઓને કાયમી રહેઠાણ મળવાનું શરૂ થયું. પરંતુ PR માટે અરજી કરવા યોગ્ય દસ્તાવેજોની જરૂર પડે છે. ખાસ કરીને, કેટલીક પ્રક્રિયાઓ જેમ કે પોલીસ ક્લિયરન્સ મેળવવામાં લાંબો સમય લાગી શકે છે, તેથી આ દસ્તાવેજો પહેલા થી તૈયાર રાખવા અત્યંત જરૂરી છે.

PR માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

  • ભાષા પ્રાવીણ્યનો પુરાવો

IELTS, TOEFL અથવા અન્ય માન્ય અંગ્રેજી/ફ્રેન્ચ ભાષા પરીક્ષા સ્કોર્સ.

  • 2.ગુનાહિત પૃષ્ઠભૂમિનો પુરાવો

સંબંધિત દેશનું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC).

  • શૈક્ષણિક દસ્તાવેજો

વિદેશી ડિગ્રી માટે ECA રિપોર્ટ અથવા કેનેડિયન ડિગ્રી.

  • મુસાફરીનો ઇતિહાસ

પાસપોર્ટ, વિસા સ્ટેમ્પ્સ, ટ્રાવેલ લોગ, એરલાઇન ટિકિટ પુષ્ટિકરણ.

  • રોજગાર સંબંધિત દસ્તાવેજો

સંપૂર્ણ કામનો ઇતિહાસ, સંદર્ભ પત્રો, રોજગાર કરાર, અનુભવ સર્ટિફિકેટ.

  • કેનેડામાં રોજગારનો પુરાવો

વર્ક પરમિટ, પગાર સ્લીપ, નોકરીદાતા પત્ર, રોજગાર કરાર.

  • સામાજિક/સંસ્થાકીય જોડાણનો પુરાવો

NGOs/ક્લબ/સંસ્થામાં કરેલા દાન અથવા સ્વયંસેવક કાર્યના દસ્તાવેજો અને રસીદો.

  • ઓળખ દસ્તાવેજો

પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, લગ્ન/દત્તક દસ્તાવેજો.

  • અનુવાદિત દસ્તાવેજો

અંગ્રેજી અથવા ફ્રેન્ચમાં ન હોય તેવા તમામ દસ્તાવેજોના પ્રમાણિત અનુવાદ.

અરજી કરતા પહેલા દસ્તાવેજો તૈયાર રાખો

PR અરજીની સફળતા મોટાભાગે તમારા દસ્તાવેજોની પૂર્ણતા અને શુદ્ધતા પર આધાર રાખે છે. ખાસ કરીને પોલીસ ક્લિયરન્સ જેવા દસ્તાવેજો મેળવવામાં મહિનાઓ લાગી શકે છે. જો તમામ દસ્તાવેજો પહેલાંથી તૈયાર હોય, તો અરજી ઝડપથી અને અવરોધ વગર આગળ વધી શકે છે.

કેનેડામાં ભારતીય મૂળના પરિવારો માટે મોટી રાહત, નવો નાગરિકતા કાયદો થશે લાગુ

Follow Us
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">