AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Earthquake News : નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.8 અને 5.9ની તીવ્રતા મપાઈ

નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા 4.8 અને 5.9 માપવામાં આવી છે.

Breaking News Earthquake News : નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.8 અને 5.9ની તીવ્રતા મપાઈ
Breaking News Nepal Earthquake
| Updated on: Apr 28, 2023 | 7:42 AM
Share

નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા 4.8 અને 5.9 માપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પહેલો ભૂકંપ રાત્રે 11.58 કલાકે આવ્યો હતો, જ્યારે બીજો 1.30 કલાકે આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ પણ વાંચો :  Earthquake: મોબાઈલ આપશે ભૂકંપની ચેતવણી, ઇમરજન્સી એલર્ટ ફીચર માટે કેન્દ્ર સરકારે ફોન કંપનીઓને 6 મહિનામાં અમલ કરવાની આપી સૂચના

ભૂકંપનું કેન્દ્ર બાજુરાના દહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા 1 એપ્રિલે દોલાખા જિલ્લાના સુરી ખાતે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. ઓખાલધુંગા, રામેછાપ, સિંધુપાલ ચોક અને નુવાકોટ જિલ્લા તેમજ કાઠમંડુ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા પણ મધ્યમ તીવ્રતાનો નોંધાયો હતો ભૂકંપ

નેપાળના સુરખેત જિલ્લાના ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી રાજેશ શર્માએ જણાવ્યું કે, આંચકા દોઢ કલાકના અંતરે આવ્યા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. લોકો પોતપોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. પોલીસે કહ્યું છે કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

આ પહેલા 1 એપ્રિલે દોલખા જિલ્લાના સુરી ખાતે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. અહીંના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, કાઠમંડુથી 180 કિમી પૂર્વમાં દોલખા ખાતે સવારે 11.27 વાગ્યે (સ્થાનિક સમય) 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઓખાલધુંગા, રામેછાપ, સિંધુપાલ ચોક અને નુવાકોટ જિલ્લા તેમજ કાઠમંડુ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

એપ્રિલ 2015માં 7.8ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો

એપ્રિલ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન લગભગ 9,000 લોકો માર્યા ગયા અને લગભગ 22,000 લોકો ઘાયલ થયા હતા. આ ધરતીકંપે 800,000 થી વધુ ઘરો અને શાળાની ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું.

નેપાળમાં વારંવાર ભૂકંપના આંચકા કેમ આવે છે?

IIT કાનપુર સિવિલ એન્જિનિયરિંગ વિભાગના સિનિયર પ્રોફેસર અને જીઓસાયન્સ એન્જિનિયરિંગના નિષ્ણાંત પ્રો. જાવેદ એન. મલિકે જણાવ્યું કે, 2015માં પણ નેપાળમાં 7.8 થી 8.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર પૂર્વ નેપાળ હતું. જો કે, હિમાલયની શ્રેણીમાં ટેકટોનિક પ્લેટ અસ્થિર બની ગઈ છે. જેના કારણે આવા ભૂકંપ લાંબા સમય સુધી આવતા રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">