AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો મોટો દાવો, ઈમરાન ખાને દુબઈમા નેકલેસ સહીત 14 કરોડના ઉપહાર વેચી માર્યા

Pakistan Politics : ઈસ્લામાબાદમાં આયોજિત ઈફ્તાર પાર્ટી દરમિયાન પત્રકારો સાથે વાત કરતા પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે ઈમરાન ખાને દુબઈમાં જે મોંઘી ભેટ વેચી છે તેમાં ડાયમંડ જ્વેલરી સેટ, બ્રેસલેટ અને કાંડા ઘડિયાળનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો મોટો દાવો, ઈમરાન ખાને દુબઈમા નેકલેસ સહીત 14 કરોડના ઉપહાર વેચી માર્યા
Imran Khan and Shehbaz Sharif
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 10:40 PM
Share

પાકિસ્તાનના (Pakistan) સત્તામાંથી બહાર થયા બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) મુશ્કેલીઓ વધી રહી છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે (Shehbaz Sharif) ઈમરાન ખાન પર દુબઈમાં 14 કરોડ રૂપિયાના તોશાખાનાની ભેટ વેચવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, ઈમરાન ખાને અન્ય દેશોમાંથી મળેલી ભેટને દુબઈમાં 14 કરોડ રૂપિયામાં વેચી છે. ઈસ્લામાબાદમાં આયોજિત ઈફ્તાર પાર્ટી દરમિયાન પત્રકારો સાથે વાત કરતા પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે ઈમરાન ખાને દુબઈમાં જે મોંઘી ભેટ વેચી છે તેમાં ડાયમંડ જ્વેલરી સેટ, બ્રેસલેટ અને કાંડા ઘડિયાળનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે શાહબાઝ શરીફે આ આરોપ એવા સમયે લગાવ્યો છે જ્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં દાખલ તોશાખાનાની વિગતો માંગતી અરજી પર સુનાવણી ચાલી રહી છે. અરજી પર ટિપ્પણી કરતા તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે તેઓ ઓફિશિયલ સિક્રેટ એક્ટ, 1923 હેઠળ વિગતો જાહેર કરી શકતા નથી.

હવે આ સમગ્ર મામલે ઈમરાન સરકારના પૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે. ફવાદ ચૌધરીએ વડાપ્રધાન શાહબાઝ શરીફના નિવેદનને નકારી કાઢ્યું છે અને કહ્યું છે કે પાકિસ્તાનના નવા વડાપ્રધાન અમારા નેતા ઈમરાન ખાનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઘણો જ કિંમતી હાર 18 કરોડ રૂપિયામાં વેચવાનો આરોપ

પાકિસ્તાનની ટોચની તપાસ એજન્સીએ એવા આરોપોની તપાસ શરૂ કરી છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તેમના કાર્યકાળ દરમિયાન ભેટમાં આપેલો અમૂલ્ય હાર સરકારી તોશાખાનામાં જમા કરાવવાને બદલે 18 કરોડ રૂપિયામાં એક ઝવેરીને વેચવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, ખાનને ભેટમાં આપેલો હાર તોશાખાનામાં જમા કરાવવામાં આવ્યો ન હતો, પરંતુ ભૂતપૂર્વ વિશેષ સહાયક ઝુલ્ફીકાર બુખારીને આપવામાં આવ્યો હતો, જેમણે તેને લાહોરના એક સરાફને 18 કરોડ રૂપિયામાં વેચ્યો હતો.

સમાચાર અનુસાર, ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ આરોપો પર ખાન વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. તે જણાવે છે કે સરકારી ઓફિસમાં હોય ત્યારે મળેલી ભેટોને અડધી કિંમત ચૂકવીને વ્યક્તિગત મિલકત તરીકે રાખી શકાય છે, પરંતુ ખાને રાજ્યની તિજોરીમાં થોડા હજાર રૂપિયા જમા કરાવ્યા.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">