પાકિસ્તાની સેનાના કાફલા પર ‘બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ’નો ઘાતક હુમલો, મોટી સંખ્યામાં સૈનિકોના મોતની આશંકા

|

Sep 25, 2021 | 5:33 PM

બલોચ લિબરેશન આર્મીના લડવૈયાઓએ પાકિસ્તાનની (pakistan) સેના પર જીવલેણ હુમલો કર્યો છે. જેમાં સેનાનું એક વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.

પાકિસ્તાની સેનાના કાફલા પર બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટનો ઘાતક હુમલો, મોટી સંખ્યામાં સૈનિકોના મોતની આશંકા
File photo

Follow us on

બલોચ સ્વાતંત્ર્ય સેનાનીઓએ (Baloch Freedom Fighters) પાકિસ્તાન (Pakistan) સેનાના કાફલા પર ઘાતક હુમલો કર્યો છે. આ હુમલો રોકેટ અને અન્ય ઘાતક હથિયારોથી કરવામાં આવ્યો છે. ઘટના અવારણ જિલ્લાના પીરંજર વિસ્તારની છે. આ સ્થળ બલુચિસ્તાન (Balochistan) પ્રાંતમાં આવેલું છે.

એવી આશંકા છે કે મોટી સંખ્યામાં સૈનિકો મૃત્યુ પામ્યા છે. સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, IED હુમલામાં પાકિસ્તાન (Pakistan) સેનાનું વાહન નાશ પામ્યું છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સેનાના વાહન પર પાકિસ્તાનનો ધ્વજ હતો. આ હુમલામાં બે લોકો મૃત્યુ પામ્યા છે અને પાંચ ઘાયલ થયા છે. માર્યા ગયેલા સૈનિકોમાં પાકિસ્તાન આર્મીના સૈનિક લાન્સ નાઇક મોહમ્મદ મુનીરનું નામ સામેલ છે. બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF)એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ મામલે BLF ના પ્રવક્તાનું કહેવું છે કે પાકિસ્તાની સેનાના 11 લોકો માર્યા ગયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હુમલો કેમ કરવામાં આવ્યો?
પાકિસ્તાની સેના પર એટલા માટે હુમલો કરવામાં આવ્યો કારણ કે આ લોકોનું આ વિસ્તારમાં ઓપરેશન કરવા આવ્યા હતા. અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા છે, તે સ્પષ્ટપણે જાણી શકાયું નથી. આ મામલે પાકિસ્તાન સેના દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ના તો હુમલા કે સૈનિકોના મૃત્યુ વિષે કોઈ પુષ્ટિ થઈ છે. જોકે પાકિસ્તાન આર્મી પર હંમેશા બલુચિસ્તાનના લોકોને ત્રાસ આપવા અને મારવાનો આરોપ લાગ્યો છે.

અગાઉ પણ સેના પર હુમલો થયો હતો
લગભગ ત્રણ મહિના પહેલા બલુચિસ્તાનમાં જ પાકિસ્તાનની સેના પર મોટો હુમલો થયો હતો. જેમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ 27 ઘાયલ થયા હતા.

બાદમાં પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે હુમલાની પુષ્ટિ કરી હતી. સેના પર હુમલા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બંદૂકધારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાની સેના બલુચિસ્તાનના સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ પાકિસ્તાની તાલિબાનના હુમલાનો સામનો કરી રહી છે. આ વર્ષે સેના પર ઘણા જીવલેણ હુમલા થયા છે.

આ પણ વાંચો : Narendra Giri Death: સીબીઆઈએ મહંત નરેન્દ્ર ગિરીના મોતની શરૂ કરી તપાસ, નોંધાઈ એફઆઈઆર

આ પણ વાંચો  :ભારતમાં 100 વર્ષથી વધુ જૂનો છે સહકારી ચળવળનો ઇતિહાસ, 25 કરોડથી વધુ લોકો સહકારી ક્ષેત્રમાં સામેલ

Next Article