AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Canada controversy : ભારત સાથેના તણાવ વચ્ચે ટ્રુડો માટે ખરાબ સમાચાર, PMની રેસમાં કેનેડિયન વિપક્ષી નેતાથી પાછળ

કેનેડામાં 2025માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ તે પહેલા આવેલો આ સર્વે ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટીની ટેન્શન વધારનાર છે. કેનેડિયન ન્યૂઝ ચેનલ માટે IBSO દ્વારા હાથ ધરાયેલ સર્વેક્ષણ દર્શાવે છે કે કેનેડિયનો વિપક્ષી નેતા પિયર પોઈલીવરેને PM માટે શ્રેષ્ઠ ઉમેદવાર તરીકે જુએ છે. સર્વેમાં 39% લોકોએ તેમને પીએમ પદ માટે લાયક ગણ્યા. જ્યારે ટ્રુડોની તરફેણમાં માત્ર 30% મત પડ્યા હતા.

India Canada controversy : ભારત સાથેના તણાવ વચ્ચે ટ્રુડો માટે ખરાબ સમાચાર, PMની રેસમાં કેનેડિયન વિપક્ષી નેતાથી પાછળ
Bad news for Trudeau
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 3:33 PM
Share

Canada : ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ખરાબ સમાચાર આવ્યા છે. આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા કેનેડિયન મીડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટ્રુડો પીએમ પદની રેસમાં પાછળ ધકેલાયા હોય તેવું લાગી રહ્યું છે. આ સર્વે અનુસાર, કેનેડિયનો આગામી ચૂંટણીમાં પીએમ પદ માટે ટ્રુડો કરતા વિપક્ષી નેતા પિયર પોઈલીવરેને વધુ લાયક માને છે.

સર્વે PM ટ્રુડોના તણાવમાં કર્યો વધારો

કેનેડામાં 2025માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ તે પહેલા આવેલો આ સર્વે ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટીની ટેન્શન વધારનાર છે. કેનેડિયન ન્યૂઝ ચેનલ માટે IBSO દ્વારા હાથ ધરાયેલ સર્વેક્ષણ દર્શાવે છે કે કેનેડિયનો વિપક્ષી નેતા પિયર પોઈલીવરેને PM માટે શ્રેષ્ઠ ઉમેદવાર તરીકે જુએ છે. સર્વેમાં 39% લોકોએ તેમને પીએમ પદ માટે લાયક ગણ્યા. જ્યારે ટ્રુડોની તરફેણમાં માત્ર 30% મત પડ્યા હતા.

આ સર્વે એવા સમયે થયો છે જ્યારે ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની સપોર્ટર હરદીપ સિંહ નિજ્જરને કેનેડીયન ગણાવી તેની હત્યા પાછળ ભારત એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તે જ સમયે, ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપોને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા.

ટ્રુડોની રાજકીય ટૂલ કીટ નિષ્ફળ ગઈ

ટ્રુડોની ભારત પર આરોપ લગાવવાની રાજકીય ટૂલ કિટ ખરેખર નિષ્ફળ ગઈ છે. ટ્રુડોએ નિજ્જરની હત્યાના ભારતના આરોપનો રાજકીય મામલા તરીકે ઉપયોગ કર્યો છે. ખરેખર, ટ્રુડોને 2021ની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળી ન હતી. ટ્રુડોની સરકારને ખાલિસ્તાની તરફી જગમીત સિંહ ધાલીવાલની આગેવાની હેઠળની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) દ્વારા ટેકો મળ્યો હતો.બીજી મોટી વાત તો એ કે ટ્રુડોની સરકાર એનડીપીની મદદે ચાલી રહી છે.

ત્યારે આ બધાની વચ્ચે એમ પણ કહેવામાં આવી રહ્યું છે ટ્રુડો ભારત પર જગમીત સિંહના દબાણમાં આવીને ભારત પર ગંભીર આરોપો લગાવી રહ્યું છે. જો કે આ કરવામાં ટ્રુડોને નિષ્ફળતા જ હાથ લાગી છે ભારતે પહેલાથી તમામ આરોપો ફગાવી દીધા છે અને તે તમામ આરોપોને બે-બુનિયાદી ગણાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">