Afghanistan: તાલિબાનની ક્રુરતા યથાવત, 100થી વધુ ભૂતપૂર્વ સૈન્ય અધિકારી ગાયબ થઈ ગયા અથવા હત્યા થઇ ગઈ હોવાની આશંકા

|

Dec 01, 2021 | 3:49 PM

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક ઝડપથી વધી રહ્યો છે. તાલિબાન તેમના વચનોથી પલટાઈને ભૂતપૂર્વ સરકારી અધિકારીઓની પાછળ લાગી ગયા છે. હત્યા અને ગુમ થયાની માહિતીઓ સામે આવી રહી છે.

Afghanistan: તાલિબાનની ક્રુરતા યથાવત, 100થી વધુ ભૂતપૂર્વ સૈન્ય અધિકારી ગાયબ થઈ ગયા અથવા હત્યા થઇ ગઈ હોવાની આશંકા
TALIBAN

Follow us on

તાલિબાને(Taliban) અફઘાનિસ્તાન(Afghanistan)માં પોતાની સત્તા હવે જમાવી લીધી છે. જો કે તાલિબાને(Taliban) પોતાની ક્રુરતા સત્તા મેળવ્યા બાદ પણ યથાવત રાખી છે. એક રિપોર્ટમાં માહિતી સામે આવી છે કે તાલિબાને 15 ઓગસ્ટે સત્તામાં આવ્યા ત્યારથી તેણે 100થી વધુ ભૂતપૂર્વ પોલીસ(Former police) અને ગુપ્તચર અધિકારીઓને(Intelligence officers) કાં તો મારી નાખ્યા છે અથવા બળજબરીથી ગાયબ કરી દીધા છે.

 

હ્યુમન રાઈટ્સ વોચે મંગળવારે એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે 15 ઓગસ્ટથી 31 ઓક્ટોબરની વચ્ચે સૈન્ય કર્મચારીઓ, પોલીસ, ગુપ્તચર સેવાના સભ્યો અને મિલિશિયા સહિત 47 ભૂતપૂર્વ સશસ્ત્ર દળોના સભ્યોની હત્યા કરવામાં આવી હતી અથવા ગુમ થયા હતા.

53 અન્ય લોકોની હત્યા કરવામાં આવી
હ્યુમન રાઇટ્સ વોચડોગ જૂથે જણાવ્યું કે, તેમની રિસર્ચથી જાણવા મળ્યુ કે ઓછામાં ઓછા 53 અન્ય લોકોની હત્યા કરવામાં આવી હતી અથવા ગાયબ થઈ ગયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ગઝની, હેલમંડ, કંદહાર અને કુન્દુઝ પ્રાંતમાંથી 100થી વધુ હત્યાઓની વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ છે. જૂથના એશિયા ડિરેક્ટર પેટ્રિશિયા ગોસમેને જણાવ્યું હતું કે તાલિબાન નેતૃત્વએ જૂની સરકારના લોકોને કોઈ નુકસાન નહીં પહોંચાડવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ પણ આ તાલિબાન શાસનમાં થઈ રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હત્યા કે ગુમ થયાની જાણકારી કેવી રીતે મળી?
તેમણે કહ્યું કે હવે વધુ હત્યાઓ અટકાવવાની, જવાબદારોને પકડવાની અને પીડિતોના પરિવારોને વળતર ચૂકવવાની જવાબદારી તાલિબાનની છે. જૂથે જણાવ્યું હતું કે તેને સાક્ષીઓ, ભૂતપૂર્વ અધિકારીઓના સંબંધીઓ, ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ, તાલિબાન અધિકારીઓ અને અન્ય લોકો સાથેની મુલાકાતોમાંથી જાણવા મળ્યું છે કે 15 ઓગસ્ટ અને 31 ઓક્ટોબરની વચ્ચે ચાર પ્રાંતોમાં સશસ્ત્ર દળોના 47 ભૂતપૂર્વ સભ્યો માર્યા ગયા અથવા માર્યા ગયા કે ગાયબ થઈ ગયા. જૂથે ચાર પ્રાંતના 40 લોકોનો સામ-સામે ઇન્ટરવ્યુ લીધો હતો, જ્યારે 27 લોકોનો ફોન પર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો.

તાલિબાને શું પ્રતિક્રિયા આપી ?
પૂર્વ સૈન્ય અધિકારીઓના ગુમ થવા અંગે તાલિબાન કમાન્ડરનું કહેવું છે કે આ માટે જે પણ જવાબદાર હશે તેને માફ કરવામાં આવશે નહીં. તાલિબાન નેતૃત્વએ ભૂતપૂર્વ આત્મસમર્પણ દળોના સભ્યોને તેમની સુરક્ષાની ખાતરી આપવા માટે એક પત્ર માટે નોંધણી કરવા કહ્યું છે. જોકે, તાલિબાન દળોએ લોકોની ધરપકડ કરવા આ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. તેમજ ઘણા લોકોની હત્યા કરવામાં આવી હતી અથવા બળજબરીથી ગાયબ કરવામાં આવ્યા હતા. તાલિબાન ઠેર ઠેર સર્ચ ચલાવી રહ્યા છે. તે પૂર્વ સરકાર સાથે જોડાયેલા લોકો વિશે શોધી રહ્યો છે અને તેમાંથી ઘણા લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચોઃ Surat : નર્મદ યુનિવર્સીટીનો ‘કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના’ જેવો ઘાટ, વિકાસ માટે સરકાર સમક્ષ 3 હજાર કરોડનો ડ્રાફ્ટ પ્લાન રજૂ

આ પણ વાંચોઃ Health : યાદશક્તિ તેજ બનાવવા આ વસ્તુઓને કહો “ના” , વાંચો રસપ્રદ તારણ વિશે

Published On - 3:44 pm, Wed, 1 December 21

Next Article