Afghanistan: અફઘાન હિંદુઓ અને શીખો માટે આવ્યા રાહતના સમાચાર, સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા

|

Aug 20, 2021 | 4:51 PM

Afghanistan Hindu Sikhs: હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સંપૂર્ણ નિયંત્રણ છે. ત્યારથી લઘુમતી હિન્દુ અને શીખ સમુદાયના લોકો પોતાની અને તેમના પરિવારની સલામતીને લઈને ડરી ગયા છે. આ લોકો આ દેશમાંથી બહાર જવા માંગે છે.

Afghanistan: અફઘાન હિંદુઓ અને શીખો માટે આવ્યા રાહતના સમાચાર, સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Afghanistan Hindu Sikh Community: અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનનું(Taliban) શાસન આવતાની સાથે જ અહીં રહેતા લઘુમતી સમુદાયના લોકો પોતાની સુરક્ષાને લઈને ખૂબ જ ડરી ગયા છે. આ લોકોની મદદ માટે તમામ શક્ય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. કાબુલમાં રહેતા સ્થાનિક શીખોનું(Sikh)  કહેવું છે કે ભારતીય દૂતાવાસના અધિકારીઓએ ગુરુવારે અફઘાનિસ્તાનના કરતા-પરવાન સ્થિત ગુરુદ્વારા સિંહ સભામાંથી 60 જેટલા હિન્દુઓ અને શીખોને સલામત સ્થળે મોકલ્યા હતા.

 

આમાંથી ઘણા શીખોએ કહ્યું છે કે તેઓ કેનેડા અથવા અમેરિકા મોકલવા કરતાં ભારત જવાનું પસંદ કરશે, કારણ કે ત્યાંની સ્થિતિ ઘણી સારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાન સંસદમાં શીખ સમુદાયના બે સભ્યો અનારકલી કૌર હોનયાર અને નરેન્દ્ર સિંહ ખાલસાનો સમાવેશ થાય છે જેમને કાબુલમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નરેન્દ્ર ખાલસા અફઘાન શીખ નેતા અવતાર સિંહ ખાલસાનો પુત્ર છે, જેની 2018માં જલાલાબાદ આતંકી હુમલામાં હત્યા કરવામાં આવી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

લોકોએ ગુરુદ્વારામાં આશરો લીધો

તાલિબાનોએ રાજધાની કાબુલ પર કબજો કર્યો ત્યારથી ઓછામાં ઓછા 285 શીખો અને હિન્દુઓએ ગુરુદ્વારામાં આશરો લીધો છે, જેમાંથી મોટાભાગના લોકો પાસે માન્ય દસ્તાવેજો છે. કાબુલ, જલાલાબાદ અને ગઝનીના રહેવાસીઓ છે. મંગળવારે, કેટલાક અફઘાન શીખોએ વીડિયો જાહેર કર્યો અને અમેરિકા અને કેનેડા પાસેથી મદદ માંગી છે.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર એક શીખ માણસે કહ્યું, ‘પાંચ અફઘાન શીખોની ભારતમાં મિલકત છે અને તેઓ ત્યાં કામ કરે છે, હવે માત્ર ભારત જ જવા માગે છે. તેઓ પોતાની મિલકત ભાડે આપીને પણ જીવી શકે છે, પરંતુ જેમની ભારતમાં મિલકત નથી, તેઓ અમેરિકા કે કેનેડા જવા માગે છે.

 

ભારતીય અધિકારીઓએ ફોન કર્યો

આ વ્યક્તિએ કહ્યું ‘ગુરુવારે સાંજે કરતા-પરવાન ગુરુદ્વારામાં શીખ અને હિન્દુ નેતાઓનો ફોન આવ્યો હતો. કદાચ તે ભારતીય અધિકારીઓનો ફોન હતો, જેણે ગુરુદ્વારાને 50ની બેચમાં છોડવા કહ્યું હતું. ગુરુદ્વારાના ચાર લોકોએ અમને પ્રથમ બેચમાં બહાર જવાનું કહ્યું પછી ભલે આપણે આવું કરવા માંગતા હોઈએ કે નહીં. તે 60 લોકોની યાદીમાં મારું નામ પણ સામેલ હતું. બેચમાં ભારતીય લોકો પણ સામેલ છે.

 

 

આ પણ વાંચો  : અફઘાનિસ્તાનની પંજશીર ખીણ, જ્યાં તાલિબાન પગ મૂકવાના વિચારથી પણ ડરે છે, જાણો શું છે આ ‘અફઘાની કિલ્લો’

આ પણ વાંચો :Afghanistan Crisis: તાલિબાનોનો અસલી ચહેરો આવ્યો સામે, કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા, હવામાં કર્યુ ફાયરિંગ
આ પણ વાંચો :યુએસ સંસદ ભવન પાસે ટ્રકમાં વિસ્ફોટકો હોવાની માહિતી મળી મળતા આસપાસના વિસ્તારો ખાલી કરાયા
Next Article