Afghanistan : તાલિબાને સરકારી ન્યુઝ ચેનલમાં મહિલા એન્કર પર લગાવ્યો પ્રતિબંધ, એન્કરે કહ્યું- હવે શું કરીશું ?

નોકરીમાંથી કાઢી મુક્યા બાદ અફઘાન ન્યુઝ એન્કર ખાદીજા અમીનાએ કહ્યું, "હવે હું શું કરીશ, આગામી પેઢી પાસે કોઈ કામ નહીં હોય. 20 વર્ષમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તે જતું રહેશે. તાલિબાન તાલિબાન છે, તેઓ બદલાયા નથી.

Afghanistan : તાલિબાને સરકારી ન્યુઝ ચેનલમાં મહિલા એન્કર પર લગાવ્યો પ્રતિબંધ, એન્કરે કહ્યું- હવે શું કરીશું ?
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 2:20 PM

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનોએ સરકારી ન્યુઝ ચેનલોમાંથી મહિલા એન્કર પર પ્રતિબંધ મૂક્યો છે. એક દિવસ પહેલા એક પત્રકાર પરિષદમાં તાલિબાને મહિલાઓને ઇસ્લામના આધારે તેમના અધિકારો આપવાની વાત કરી હતી. આ સાથે તેને કામ પર આવવાનું પણ કહેવામાં આવ્યું હતું. જો કે, આ પછી જ તાલિબાનોએ મહિલા ન્યૂઝ એન્કરની નોકરી છીનવી લીધી અને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે.

તાલિબાનોએ સરકારી સંચાલિત ન્યૂઝ ચેનલમાં તમામ મહિલા એન્કરને તાલિબાન એન્કર સાથે બદલી દીધા છે. તાલિબાને ન્યૂઝ એન્કર્સને કાઢી મૂક્યા છે અને હવે તાલિબાન એન્કર ટેલિવિઝન પર સમાચાર વાંચશે. નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ એક અફઘાન ન્યૂઝ એન્કર ખાદીજા અમીનાએ કહ્યું કે, ‘હવે હું શું કરીશ, આવનારી પેઢીને કોઈ કામ નહીં રહે. 20 વર્ષમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તે જતું રહેશે. તાલિબાન તાલિબાન છે, તેઓ બદલાયા નથી.”

તાલિબાને પત્રકાર પરિષદમાં શું કહ્યું?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પહેલા તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે વીસ વર્ષ લડાઈ બાદ અમે વિદેશી દળોને ભગાડી દીધા છે. આપણી સામે જે બન્યું તે બધું આપણે ભૂલી ગયા છીએ. અમે તમામ દેશોને ખાતરી આપીએ છીએ કે અમે તમારા દૂતાવાસ અને લોકોની સુરક્ષા કરીશું. મુજાહિદે કહ્યું કે તેની કોઈ સાથે દુશ્મની નથી અને તેણે પોતાના નેતાના આદેશના આધારે દરેકને માફ કરી દીધા છે.

તેમણે કહ્યું કે અમે અમારી બહેનો માટે ભેદભાવ નહીં કરીએ. અમારી બહેનો મુસ્લિમ છે, તેમની સંભાળ રાખવી પડશે. તેમણે કહ્યું કે તેઓ તેમના દેશની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. દેશના હિત માટે જે કરવું પડે તે કરીશું, અમે મીડિયા માટે પ્રતિબદ્ધ છીએ. તેઓએ અમારી માન્યતાઓ અને ઇસ્લામિક માન્યતાઓનું ધ્યાન રાખવું પડશે.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે તાલિબાન મહિલાઓને ઇસ્લામના આધારે તેમના અધિકારો આપવા પ્રતિબદ્ધ છે. મહિલાઓ આરોગ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં જ્યાં જરૂર હોય ત્યાં કામ કરી શકે છે. મહિલાઓ સાથે કોઈ ભેદભાવ રહેશે નહીં.

અફઘાનિસ્તાનની મહિલામાં ભયનો માહોલ

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે, ત્યારથી દેશમાં અશાંતિ છે. સમગ્ર વિશ્વમાં અફઘાનિસ્તાનની સ્થિતિની ચર્ચા થઈ રહી છે. કાબુલ કબજે કર્યા પછી લગભગ આખો દેશ તાલિબાનના કબજામાં આવી ગયો છે. આવી સ્થિતિમાં યુદ્ધગ્રસ્ત દેશની સ્થિતિ ખૂબ જ અશાંત છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ મહિલાઓમાં છે, કારણ કે તેઓ તેમના અધિકારો ગુમાવવાનો ડર ધરાવે છે.

આ પણ વાંચો : બ્રોકોલીની ખેતીથી ખેડૂતોની આવકમાં થશે વધારો, આ બાબતોનું ધ્યાન રાખી કરો બ્રોકોલીની સફળ ખેતી

આ પણ વાંચો :સજીવ ખેતીથી વાર્ષિક 40 લાખ રૂપિયા કમાય છે આ ખેડૂત, 2000 ખેડૂતોને પણ કરાવે છે સજીવ ખેતી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">