Afghanistan: તાલિબાનનો ટાર્ગેટ બન્યા અફઘાન શીખો, ગુરુદ્વારામાંથી સમુદાયનો ધાર્મિક ધ્વજ હટાવાયો

તાલિબાનોએ અફઘાનિસ્તાનના પખ્તિયા પ્રાંતના ગુરુદ્વારામાંથી કથિત રીતે શીખ ધાર્મિક ધ્વજ નિશાન સાહિબ હટાવી દીધું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

Afghanistan: તાલિબાનનો ટાર્ગેટ બન્યા અફઘાન શીખો, ગુરુદ્વારામાંથી સમુદાયનો ધાર્મિક ધ્વજ હટાવાયો
Taliban removes religious flag of community from gurdwara (Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 4:21 PM

તાલિબાનોએ (Taliban) અફઘાનિસ્તાનના (Afghanistan) પખ્તિયા પ્રાંતના (Paktia province) ગુરુદ્વારામાંથી (Gurudwara) કથિત રીતે શીખ ધાર્મિક ધ્વજ નિશાન સાહિબ હટાવી દીધું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટ્વિટ કરવામાં આવી રહેલી તસવીરો અનુસાર પખ્તિયા પ્રાંતના ચમકાની વિસ્તારમાં ગુરુદ્વારા થાલા સાહિબની છત પરથી નિશાન સાહિબ નીચે ઉતારવામાં આવ્યું છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક (Guru Nanak) દ્વારા પણ આ ગુરુદ્વારાની મુલાકાત લેવામાં આવી હતી.

યુએસ અને નાટોના સૈનિકોને હટાવ્યા બાદથી અફઘાનિસ્તાન તાલિબાનની હિંસાનો સામનો કરી રહ્યું છે. દેશના મુખ્ય શહેરોમાં સતત હિંસા જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનના મુખ્ય શહેરો પર કબજો મેળવવા માટે તાલિબાન અફઘાન સુરક્ષા દળો સાથે સતત યુદ્ધ કરી રહ્યું છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારતે યુદ્ધગ્રસ્ત દેશની નાજુક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને હિમાયત કરી છે કે આ વિસ્તારમાં કાયમી શાંતિ માટે અફઘાનિસ્તાનમાં શાંતિ મહત્વપૂર્ણ છે. ભારતે પણ આ મુદ્દે સતત ચર્ચા કરી છે.

ગયા વર્ષે શીખ સમુદાયના 30 લોકોની હત્યા કરવામાં આવી હતી

ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખ સમુદાયના નેતા નિદાન સિંહ સચદેવાનું (Nidan Singh Sachdeva) તાલિબાનોએ ગુરુદ્વારામાંથી અપહરણ કર્યું હતું. સચદેવાનું 22 જૂન 2020ના રોજ પખ્તિયા પ્રાંતમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને અફઘાન સરકાર અને સમુદાયના વડીલોના પ્રયાસો બાદ તેને છોડવામાં આવ્યા હતા. અગાઉ 25 માર્ચે કાબુલમાં પૂજા સ્થળ પર ઇસ્લામિક સ્ટેટ દ્વારા થયેલા આતંકવાદી હુમલામાં શીખ સમુદાયના લગભગ 30 સભ્યો માર્યા ગયા હતા. જોકે, ભારતીય અધિકારીઓએ કહ્યું કે હક્કાની નેટવર્ક અને લશ્કર-એ-તૈયબા આ હત્યાઓમાં સામેલ છે.

અફઘાનિસ્તાનમાં હિંસા યથાવત

2020 સુધીમાં અફઘાનિસ્તાનમાં લગભગ 650 શીખ હતા. સમુદાયના સભ્યોએ કાબુલમાં ભારતીય દૂતાવાસને પણ ખાસ વિમાનોમાંથી બચાવવા માટે પત્ર લખ્યો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા દ્વારા સતત સૈનિકોની વાપસી વચ્ચે હિંસા વધી રહી છે. તાલિબાને મે મહિનાની શરૂઆતથી મોટાભાગના ગ્રામીણ અફઘાનિસ્તાનમાં પ્રગતિ કરી છે અને હવે હેરતથી કાબુલ સુધીના શહેરો પર હુમલાઓ વધારી રહ્યા છે. તાજેતરના સપ્તાહોમાં કેટલાક અફઘાન શહેરો તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યા છે, અને અન્ય કેટલાક શહેરોમાં લડાઈ તીવ્ર બની છે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રેસલર બજરંગ પૂનિયાએ જીતી બીજી મેચ,ઇરાનના પહેલવાનને આપી મ્હાત,પહોંચ્યા સેમીફાઇનલમાં, રોમાંચક મુકાબલા બાદ ભારતીય મહિલા હૉકી ટીમની હાર, પણ બ્રિટેનને આપી જોરદાર ટક્કર

આ પણ વાંચો: Women’s Hockey Team : PM મોદીએ કહ્યું મહિલા હોકી ટીમ પર ગર્વ, ભારતની દીકરીઓ હૃદયને સ્પર્શી ગઈ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">