Afghanistan: તાલિબાનનો ટાર્ગેટ બન્યા અફઘાન શીખો, ગુરુદ્વારામાંથી સમુદાયનો ધાર્મિક ધ્વજ હટાવાયો
તાલિબાનોએ અફઘાનિસ્તાનના પખ્તિયા પ્રાંતના ગુરુદ્વારામાંથી કથિત રીતે શીખ ધાર્મિક ધ્વજ નિશાન સાહિબ હટાવી દીધું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
તાલિબાનોએ (Taliban) અફઘાનિસ્તાનના (Afghanistan) પખ્તિયા પ્રાંતના (Paktia province) ગુરુદ્વારામાંથી (Gurudwara) કથિત રીતે શીખ ધાર્મિક ધ્વજ નિશાન સાહિબ હટાવી દીધું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટ્વિટ કરવામાં આવી રહેલી તસવીરો અનુસાર પખ્તિયા પ્રાંતના ચમકાની વિસ્તારમાં ગુરુદ્વારા થાલા સાહિબની છત પરથી નિશાન સાહિબ નીચે ઉતારવામાં આવ્યું છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક (Guru Nanak) દ્વારા પણ આ ગુરુદ્વારાની મુલાકાત લેવામાં આવી હતી.
યુએસ અને નાટોના સૈનિકોને હટાવ્યા બાદથી અફઘાનિસ્તાન તાલિબાનની હિંસાનો સામનો કરી રહ્યું છે. દેશના મુખ્ય શહેરોમાં સતત હિંસા જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનના મુખ્ય શહેરો પર કબજો મેળવવા માટે તાલિબાન અફઘાન સુરક્ષા દળો સાથે સતત યુદ્ધ કરી રહ્યું છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે.
ભારતે યુદ્ધગ્રસ્ત દેશની નાજુક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને હિમાયત કરી છે કે આ વિસ્તારમાં કાયમી શાંતિ માટે અફઘાનિસ્તાનમાં શાંતિ મહત્વપૂર્ણ છે. ભારતે પણ આ મુદ્દે સતત ચર્ચા કરી છે.
#FLASH :- The #NishanSahib , Sikh religious flag removed by #Taliban Forces from the roof of Gurdwara Thala Sahib , Chamkani , Paktia , #Afghanistan : sources pic.twitter.com/VSxFoLjOhy
— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ راویندرسنگھ روبن (@rsrobin1) August 6, 2021
ગયા વર્ષે શીખ સમુદાયના 30 લોકોની હત્યા કરવામાં આવી હતી
ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખ સમુદાયના નેતા નિદાન સિંહ સચદેવાનું (Nidan Singh Sachdeva) તાલિબાનોએ ગુરુદ્વારામાંથી અપહરણ કર્યું હતું. સચદેવાનું 22 જૂન 2020ના રોજ પખ્તિયા પ્રાંતમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને અફઘાન સરકાર અને સમુદાયના વડીલોના પ્રયાસો બાદ તેને છોડવામાં આવ્યા હતા. અગાઉ 25 માર્ચે કાબુલમાં પૂજા સ્થળ પર ઇસ્લામિક સ્ટેટ દ્વારા થયેલા આતંકવાદી હુમલામાં શીખ સમુદાયના લગભગ 30 સભ્યો માર્યા ગયા હતા. જોકે, ભારતીય અધિકારીઓએ કહ્યું કે હક્કાની નેટવર્ક અને લશ્કર-એ-તૈયબા આ હત્યાઓમાં સામેલ છે.
અફઘાનિસ્તાનમાં હિંસા યથાવત
2020 સુધીમાં અફઘાનિસ્તાનમાં લગભગ 650 શીખ હતા. સમુદાયના સભ્યોએ કાબુલમાં ભારતીય દૂતાવાસને પણ ખાસ વિમાનોમાંથી બચાવવા માટે પત્ર લખ્યો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા દ્વારા સતત સૈનિકોની વાપસી વચ્ચે હિંસા વધી રહી છે. તાલિબાને મે મહિનાની શરૂઆતથી મોટાભાગના ગ્રામીણ અફઘાનિસ્તાનમાં પ્રગતિ કરી છે અને હવે હેરતથી કાબુલ સુધીના શહેરો પર હુમલાઓ વધારી રહ્યા છે. તાજેતરના સપ્તાહોમાં કેટલાક અફઘાન શહેરો તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યા છે, અને અન્ય કેટલાક શહેરોમાં લડાઈ તીવ્ર બની છે.