મુંબઈની પાસે દરિયામાં એક માલવાહક જહાજ ડૂબી ગયુ. ડૂબી ગયેલા જહાજમાં આશરે 550 ટન ઓઈલ ભરેલ હતુ. જહાજ ડૂબી જવાથી સમુદ્રમાં ચારે તરફ ઓઈલ રેલાયુ છે અને તે હજુ પણ પ્રસરી રહ્યું હોવાનુ કહેવાય છે. મિડીયા રિપોર્ટ મુજબ જહાજ બે ટૈકર કંપનીનુ છે. જો કે જહાજ કેવી રીતે દરિયામાં ડૂબ્યુ તેના વિશે કોઈ વિગતો બહાર આવી નથી. જો કે જહાજ ડૂબી જવાથી દરિયામાં ફેલાયેલા ઓઈલને કારણે સમુદ્રમાં પ્રદુષણ ફેલાવવાનો અને દરિયાઈ જીવ સૃષ્ટી સામે ખતરો વધી ગયો છે.
દરિયામા ઢોળાયેલા ઓઈલ દરિયાઈ મોજાની સાથે કિનારા તરફ આગળ વધી રહ્યુ હોવાનું જણાવાઈ રહ્યું છે. મોટી માત્રામાં ઓઈલનો જથ્થો હોવાથી હજુ પણ થોડાક દિવસ ઓઈલના વહેવાનું ચાલુ રહેવાની સંભાવના છે. જો કે જહાજ જે જગ્યાએ ડૂબ્યુ ત્યાથી સાગર કિનારો બહુ દૂર નથી. તેથી દરિયામા વહેતુ ઓઈલ દરિયા કિનારે ભેગુ થશે જેના પગલે, બહુ બધી માછલીઓના મોતનો ભય તોળાઈ રહ્યો છે.
અત્રે એ જાણવુ જરૂરી છે કે વિશ્વભરમાં ઓઈલનુ સૌથી વધુ વહન દરિયાઈ માર્ગે થાય છે. ભારતમાં આયાત થતા કુલ ઓઈલના 70 ટકા ઓઈલ દરિયાઈ માર્ગે લાવવામાં આવે છે. દક્ષિણ પૂર્વ એશિયાઈ, પૂર્વ એશિયા, જાપાન અને ચીન પશ્ચિમ એશિયાના મોટાભાગના દેશોમાં મોકલાતુ ઓઈલ દરિયાઈ માર્ગે પસાર થઈ રહ્યું છે. અને તે મોટાભાગે ઓઈલનું વહન કરતા જહાજોની આવ જા ભારતીય સમુદ્રમાંથી થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:13 pm, Sun, 9 August 20