લો બોલો ! 150 વર્ષ જુના ડુબેલા જહાજમાંથી મળ્યો કરોડોનો ખજાનો પણ લોકો એ વ્હિસ્કી મેળવવા લગાડી દીધી હોડ

|

Feb 08, 2023 | 8:02 AM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું માનવામાં આવે છે કે આ જહાજ ખજાનાથી ભરેલું છે. જો કે, પરવાનગી વિના આ પ્રાપ્ત કરી શકાતું નથી. જહાજનો કાટમાળ શોધી કાઢનાર રોસ રિચર્ડસને જણાવ્યું કે આ કાટમાળમાંથી ખજાનો કાઢવાની વાત ચાલી રહી છે, જેના માટે હરાજીની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવશે.

લો બોલો ! 150 વર્ષ જુના ડુબેલા જહાજમાંથી મળ્યો કરોડોનો ખજાનો પણ લોકો એ વ્હિસ્કી મેળવવા લગાડી દીધી હોડ
150-year-old sunken ship found treasure worth crores

Follow us on

17 ડિસેમ્બર, 1854 ના રોજ મિશિગન તળાવમાં ડૂબી ગયેલું વહાણ 150 વર્ષથી વધુ સમય સુધી ગુમ રહ્યું હતું. આ જહાજ સાથે 17 લોકોના મોત થયા હતા. પરંતુ વર્ષ 2010માં આ જહાજ પાણીની નીચે 180 ફૂટ નીચે જોવા મળ્યું હતું. વાસ્તવમાં, જેમને સમુદ્રમાં જહાજોનો કાટમાળ મળે છે તેઓને 150 વર્ષ પહેલાં તોફાનમાં ડૂબેલા જહાજમાંથી 1.5 અબજ રૂપિયાનું સોનું મળવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જહાજ 19મી સદીના દુર્લભ વ્હિસ્કી અને સોનાના સિક્કાઓથી ભરેલું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું માનવામાં આવે છે કે આ જહાજ ખજાનાથી ભરેલું છે. જો કે, પરવાનગી વિના આ પ્રાપ્ત કરી શકાતું નથી. જહાજનો કાટમાળ શોધી કાઢનાર રોસ રિચર્ડસને જણાવ્યું કે આ કાટમાળમાંથી ખજાનો કાઢવાની વાત ચાલી રહી છે, જેના માટે હરાજીની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવશે.

રોસે કહ્યું કે તે જહાજ પર ડાઇવિંગ કરવા માટે આતુર છે. તેમણે કહ્યું કે વેસ્ટમોરલેન્ડ પર ઐતિહાસિક રીતે સમૃદ્ધ સોના અને ચાંદીનો ખજાનો છે. તેમણે કહ્યું કે અમે જહાજમાંથી વ્હિસ્કીના પીપડા અને સંભવતઃ પાણીની નીચેથી અન્ય કલાકૃતિઓ કાઢવા માટે પ્રારંભિક વાતચીત કરી રહ્યા છીએ. રિપોર્ટ અનુસાર રોસે કહ્યું કે વેસ્ટમોરલેન્ડ કોઈ મ્યુઝિયમથી ઓછું નથી. તે 1850 ના દાયકાના સંપૂર્ણ રીતે સચવાયેલા અવશેષોથી ભરેલું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેમણે કહ્યું કે તેને દુનિયાની સામે લાવવું જરૂરી છે. પાણીની અંદર પણ તે 150 વર્ષ પછી પણ સારી રીતે સચવાય છે. તેમણે કહ્યું કે ડિસ્ટિલરી જહાજમાં હાજર દારૂમાં વધુ રસ લઈ રહી છે. તે તેને બહાર કાઢીને વેચવા માંગે છે. એવું માનવામાં આવે છે કે વર્ષ 1854માં મકાઈ જુદી જુદી જાતની હોવી જોઈએ. તેથી જહાજમાં વાઇનનો સ્વાદ ખૂબ જ અલગ હોઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે જહાજ ડૂબી ગયું ત્યારે તેમાં વ્હિસ્કીના 250 બેરલ હતા, જે કડકડતી ઠંડીમાં જવાનો માટે મોકલવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, જહાજમાં હાજર સોનાની કિંમત આજના સમયમાં લગભગ 1.5 અબજ રૂપિયા જણાવવામાં આવી રહી છે. રોસે તેમના પુસ્તક ધ સર્ચ ફોર ધ વેસ્ટમોરલેન્ડમાં ભંગાર માટેની શોધની વિગતો આપી છે.

Published On - 8:02 am, Wed, 8 February 23

Next Article