Weight Loss Mistakes: વજન વધવાનું કારણ તમારી આ ભૂલ હોઈ શકે છે

|

Aug 11, 2021 | 1:04 PM

કોરોના મહામારી અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકો વધી રહેલા વજનને લઈ ચિંતિત છે. દરેક વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન છે. વજન ઘટાડવા માટે વિવિધ પગલાં અપનાવે છે, પરંતુ તેની અસર દેખાતી નથી.

Weight Loss Mistakes: વજન વધવાનું કારણ તમારી આ ભૂલ હોઈ શકે છે
વજન વધવાનું કારણ તમારી આ ભૂલ હોઈ શકે છે

Follow us on

Weight Loss Mistakes: મોટાભાગના લોકો વધતા વજનની સમસ્યાથી પરેશાન છે. તેનું મુખ્ય કારણ કોરોના (corona) મહામારી અને ખરાબ લાઈફસ્ટાઈલ (Lifestyle) છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આપણે અનેક ઉપાયો અપનાવીએ છીએ.

ઘણી વખત આપણે ખુબ મહેનત કર્યા છતા વજન ઓછું થતું નથી. વજન ઘટાડતી (Weight loss) વખતે ઘણી વખત આપણે કેટલીક સામાન્ય ભૂલો કરીએ છીએ. ચાલો આપણે આ ભૂલો વિશે જાણીએ જેના કારણે વજન વધવા લાગે છે.

પૂરતો ખોરાક ન લેવો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જો તમે માનો છો કે, ઓછું જમવાથી વજન ઝડપથી ઘટે છે, તો તે તમારી સૌથી મોટી ભૂલ છે. શરૂઆતમાં ઓછી કેલરી ખાવાથી વજન ઓછું થાય છે. પરંતુ થોડા સમય પછી પોષક તત્વોના અભાવને કારણે આરોગ્ય (Health) ને અસર થાય છે. જો આપણે કોઈ ડાયટ પ્લાન ન કરીએ તો મગજ વિચારે છે કે, આપણે ભૂખ્યા રહેવું પડશે અને આપણા શરીરમાં કામ કરવાની પ્રક્રિયા ધીમી પડી જશે. જેના કારણે આપણું વજન વધવા લાગે છે.

તમારા ડાયટમાં ફેરફાર કરો

તમારા આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ અને ફેટનું સેવન સંપૂર્ણપણે બંધ ન કરો. આ સિવાય ખોરાકમાં ભરપૂર માત્રામાં વિટામિન (Vitamin), મિનરલ્સ, ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ્સ લો.

સમયે-સમયે તમારા આહારમાં ફેરફાર કરો

જો તમે વજન ઘટાડવા માટે આહારનું આયોજન કરો છો, તો તે જ આહારનું પાલન કરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી વજન વધવા લાગે છે. સ્ટડી મુજબ વજન ઘટાડવા (Weight loss) માટે સમયે-સમયે તમારા આહારમાં ફેરફાર કરો.

70 ટકા આહાર અને 30 ટકા કસરત

વધુ પડતી કસરત (Exercise) કરવાથી વજન ઓછું થતું નથી. નિયમિત કસરત કરવી શરીર માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરત કરવી નુકસાનકારક છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, 70 ટકા આહાર અને 30 ટકા કસરત વજન ઘટાડવામાં યોગદાન આપે છે.

કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવું

લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવું પણ વજન વધવાનું કારણ છે. લાંબા સમય સુધી બેસીને, શરીર લિપેઝ એન્ઝાઇમનું ઉત્પાદન બંધ કરે છે જેનાથી ચરબીને ઓગાળવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

પૂરતી ઉંઘ ન મળવી

સારા સ્વાસ્થ્ય (Health) માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. ઉંઘ વજન ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમને 6 થી 9 કલાકની ઉંઘ ન મળે, તો વજન વધી શકે છો.

 

આ પણ વાંચો : Benefits of Cashew : ત્વચા, વાળ અને આંખો માટે કાજુના ફાયદા વિશે જાણો

Next Article