AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ

Skin Tips: જોજોબા તેલ ત્વચાની વિવિધ સમસ્યાઓની સારવાર માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. શુષ્ક ત્વચાથી લઈને વૃદ્ધત્વના સંકેતોથી લઈને ખીલ સુધી, તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ
Problem of pimples (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 8:52 AM
Share

Beauty Tips: ખીલ (pimples) વાળી ત્વચા ધરાવતા લોકો કોઈપણ તેલથી માઈલ દૂર રહે છે. સામાન્ય માન્યતા એવી છે કે તેલ ખીલને વધારે છે. પરંતુ કેટલાક કુદરતી તેલ છે જે તમને ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. જોજોબા તેલ (Jojoba Oil Benefits) તે અસરકારક કુદરતી તેલોમાંનું એક છે જેનો ઉપયોગ ખીલની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય છે. જોજોબા તેલ (Jojoba Oil) ત્વચાની વિવિધ સમસ્યાઓની સારવાર માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. શુષ્ક ત્વચાથી લઈને વૃદ્ધત્વના સંકેતોથી લઈને ખીલ સુધી, તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ તેલ લગભગ તમામ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં વિટામિન બી-કોમ્પ્લેક્સ, વિટામિન ઇ, કોપર, ઝિંક, સેલેનિયમ, આયોડિન, ક્રોમિયમ વગેરે હોય છે. જોજોબા તેલનો ઉપયોગ ખીલથી છુટકારો મેળવવા માટે ઘણી રીતે કરી શકાય છે.

ખીલથી છુટકારો મેળવવા માટે આ 4 રીતે જોજોબા તેલનો ઉપયોગ કરો

જોજોબા તેલ મસાજ

જોજોબા તેલના 4-6 ટીપાં લો અને તેને તમારી સ્વચ્છ ચહેરાની ત્વચા પર ત્મયાં સુધીસાજ કરો જ્યાં સુધી તે શોષાઈ ન જાય. તેને ધોવાની જરૂર નથી. શ્રેષ્ઠ પરિણામો માટે, જોજોબા તેલનો ઉપયોગ રાત્રે મોઇશ્ચરાઇઝર તરીકે કરો. સૂતા પહેલા તમારા સ્વચ્છ ચહેરા પર જોજોબા તેલના થોડા ટીપાંથી મસાજ કરો અને બીજા દિવસે સવારે તેને ધોઈ લો. જોજોબા તેલનો નિયમિત ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરે છે.

જોજોબા તેલ અને લીંબુનો રસ

એક ચમચી તાજા લીંબુનો રસ લો અને તેમાં જોજોબા તેલના 3-4 ટીપાં ઉમેરો. તેને મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડી મિનિટો માટે તમારી આંગળીઓથી ત્વચાને હળવા હાથે મસાજ કરો. આ મિશ્રણને ચહેરા પર 15-20 મિનિટ માટે રહેવા દો. ધોવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો અને તમે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.

જોજોબા તેલ અને એલોવેરા

એક ચમચી એલોવેરા જેલમાં જોજોબા તેલના 3-4 ટીપાં મિક્સ કરો. અને મિશ્રણને આખા ચહેરા પર લગાવો. તેને 20 થી 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. કુદરતી રીતે ખીલથી છુટકારો મેળવવા માટે તમે દર બીજા દિવસે તેનો ઉપયોગ કરી શકો છો.

જોજોબા તેલ અને ખાવાનો સોડા

એક બાઉલમાં એક ચમચી ખાવાનો સોડા લો. તેમાં જરૂરી માત્રામાં જોજોબા તેલ ઉમેરો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તમારા ચહેરાને સારી રીતે સાફ કરો અને આખા ચહેરા પર પેસ્ટ લગાવો. હળવા હાથે બે મિનિટ મસાજ કરો અને પછી તેને લગભગ 5-8 મિનિટ માટે રહેવા દો. તે પછી તાજા અને ઠંડા પાણીથી ધોઈ લો. ખીલની સારવાર માટે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો: Health Tips: શું તમને રાત્રે ઊંઘ નથી આવતી ? આ સરળ ઉપાયો અપનાવવાથી ઘસઘસાટ આવી જશે ઉંઘ

આ પણ વાંચો: Work From Home કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે કારણ

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">