ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ

Skin Tips: જોજોબા તેલ ત્વચાની વિવિધ સમસ્યાઓની સારવાર માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. શુષ્ક ત્વચાથી લઈને વૃદ્ધત્વના સંકેતોથી લઈને ખીલ સુધી, તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ
Problem of pimples (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 8:52 AM

Beauty Tips: ખીલ (pimples) વાળી ત્વચા ધરાવતા લોકો કોઈપણ તેલથી માઈલ દૂર રહે છે. સામાન્ય માન્યતા એવી છે કે તેલ ખીલને વધારે છે. પરંતુ કેટલાક કુદરતી તેલ છે જે તમને ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. જોજોબા તેલ (Jojoba Oil Benefits) તે અસરકારક કુદરતી તેલોમાંનું એક છે જેનો ઉપયોગ ખીલની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય છે. જોજોબા તેલ (Jojoba Oil) ત્વચાની વિવિધ સમસ્યાઓની સારવાર માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. શુષ્ક ત્વચાથી લઈને વૃદ્ધત્વના સંકેતોથી લઈને ખીલ સુધી, તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ તેલ લગભગ તમામ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં વિટામિન બી-કોમ્પ્લેક્સ, વિટામિન ઇ, કોપર, ઝિંક, સેલેનિયમ, આયોડિન, ક્રોમિયમ વગેરે હોય છે. જોજોબા તેલનો ઉપયોગ ખીલથી છુટકારો મેળવવા માટે ઘણી રીતે કરી શકાય છે.

ખીલથી છુટકારો મેળવવા માટે આ 4 રીતે જોજોબા તેલનો ઉપયોગ કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જોજોબા તેલ મસાજ

જોજોબા તેલના 4-6 ટીપાં લો અને તેને તમારી સ્વચ્છ ચહેરાની ત્વચા પર ત્મયાં સુધીસાજ કરો જ્યાં સુધી તે શોષાઈ ન જાય. તેને ધોવાની જરૂર નથી. શ્રેષ્ઠ પરિણામો માટે, જોજોબા તેલનો ઉપયોગ રાત્રે મોઇશ્ચરાઇઝર તરીકે કરો. સૂતા પહેલા તમારા સ્વચ્છ ચહેરા પર જોજોબા તેલના થોડા ટીપાંથી મસાજ કરો અને બીજા દિવસે સવારે તેને ધોઈ લો. જોજોબા તેલનો નિયમિત ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરે છે.

જોજોબા તેલ અને લીંબુનો રસ

એક ચમચી તાજા લીંબુનો રસ લો અને તેમાં જોજોબા તેલના 3-4 ટીપાં ઉમેરો. તેને મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડી મિનિટો માટે તમારી આંગળીઓથી ત્વચાને હળવા હાથે મસાજ કરો. આ મિશ્રણને ચહેરા પર 15-20 મિનિટ માટે રહેવા દો. ધોવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો અને તમે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો.

જોજોબા તેલ અને એલોવેરા

એક ચમચી એલોવેરા જેલમાં જોજોબા તેલના 3-4 ટીપાં મિક્સ કરો. અને મિશ્રણને આખા ચહેરા પર લગાવો. તેને 20 થી 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. કુદરતી રીતે ખીલથી છુટકારો મેળવવા માટે તમે દર બીજા દિવસે તેનો ઉપયોગ કરી શકો છો.

જોજોબા તેલ અને ખાવાનો સોડા

એક બાઉલમાં એક ચમચી ખાવાનો સોડા લો. તેમાં જરૂરી માત્રામાં જોજોબા તેલ ઉમેરો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તમારા ચહેરાને સારી રીતે સાફ કરો અને આખા ચહેરા પર પેસ્ટ લગાવો. હળવા હાથે બે મિનિટ મસાજ કરો અને પછી તેને લગભગ 5-8 મિનિટ માટે રહેવા દો. તે પછી તાજા અને ઠંડા પાણીથી ધોઈ લો. ખીલની સારવાર માટે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો: Health Tips: શું તમને રાત્રે ઊંઘ નથી આવતી ? આ સરળ ઉપાયો અપનાવવાથી ઘસઘસાટ આવી જશે ઉંઘ

આ પણ વાંચો: Work From Home કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો શું છે કારણ

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">